________________
એકવીસમું પદ
૨૫૯
પકડી રાખે કે અન્ય સર્વ બાબતોને તદ્દન ગૌણ કરી નાખે છે. નયમાં તેટલા માટે અંશગ્રાહી જ્ઞાન હોય છે. આપણે પાંચમા પદના અર્થમાં જોયું છે કે નયવાદમાં હંમેશાં એક અંગ ઉપર વિશેષ લક્ષ્ય રહે છે. રાત્રધર્મગ્ર પ્રમri તથા શagrદયવસાયિ જ્ઞા મામ્ આવા સર્વ અંશોના જ્ઞાનને ગ્રહણ કરી સર્વ દિશાથી અમુક વસ્તુ તરફ જોઈ શકે તેને પ્રમાણજ્ઞાન કહે છે. પ્રમાણજ્ઞાન સર્વ નયના સ્વરૂપને ગ્રહણ કરનાર હોવાથી અને સર્વ ધર્મોનું જ્ઞાતાપણું હોવાથી તે બહુ ઉપયોગી શુદ્ધ જ્ઞાન છે અને જ્યારે નય પક્ષ છોડી પ્રમાણપક્ષ પર આવી જવાય છે ત્યારે લડાઈ માત્ર બંધ પડે છે. રૂપી વિગેરે નિશાનીઓનું સ્વરૂપ હવે આપણે વિપુલ દષ્ટિથી વિચારીએ.
સંસારી દશામાં ચેતન કર્મથી આવૃત્ત છે. એ કર્મવર્ગણ અતિ સૂક્ષ્મ પણ રૂપી છે અને તેનાથી આ જીવ આવૃત્ત હોવાને લીધે તદક્ષિયા તેને રૂપી કહી શકાય. એ વ્યવહારનયનું વચન સમજવું.
સંગ્રહનયવાળો આત્માની સત્તા સંગ્રહ છે. તે કહે છે કે-આત્મા પિતે ઉપજતું નથી, મરતે નથી, તે તે જે છે તે જ છે. વળી તેના આઠ ચકપ્રદેશ તે સિદ્ધની પેઠે નિરંતર ઉજજવળ જ રહે છે-કર્મથી લેપાતા નથી, તે અપેક્ષાએ આત્માને અરૂપી કહી શકાય.
વળી વ્યવહારનય અને વિશેષગ્રાહી નૈગમનયની અપેક્ષાએ આત્માને રૂપારૂપી કહી શકાય. જેટલો ભાગ તેને કવૃત્ત છે તે કાર્મણ વર્ગની અપેક્ષાએ રૂપી કહી શકાય અને તે જ વખતે તેને રુચકપ્રદેશ કમવર્ગણાથી અલિપ્ત હોવાથી તેને અરૂપી કહી શકાય અને તે રૂપીભાવ અને અરૂપીભાવ એકી વખતે હાજર હોવાથી તદપેક્ષા આત્માને રૂપરૂપી કહી શકાય.
આત્માના આઠ રુચપ્રદેશ સિદ્ધ જેવા હમેશાં હોય છે-રહે છે, તેથી સંગ્રહાયની અપેક્ષાએ આત્માને સિદ્ધસ્વરૂપ કહી શકાય, તેમ જ તે જ દષ્ટિથી તેને શુદ્ધ સનાતન પણ કહી શકાય. તે જ સંગ્રહનયની અપેક્ષાએ તથા સમભિરૂઢનયની અપેક્ષાએ ચેતનને નિત્ય અને અબાધિત પણ કહી શકાય.
સંસારદશામાં કર્માવૃત્ત આત્માનાં જન્મ મરણ થાય છે તે તેને ઉત્પાદ અને વ્યય છે અને તે વ્યવહાર અને વિશેષગ્રાહી નિગમનયની અપેક્ષાએ છે તે ઉપર બતાવ્યું છે.
જુસૂત્રનયવાળા અતીત અને અનાગત કાળની અપેક્ષા ન કરે પણ વર્તમાન કાળે જે વસ્તુ જેવા ગુણે પરિણમે-વતે તે વસ્તુ તે જ પરિણામે માને. મતલબ, આ નય પરિણામગ્રાહી છે. એ નયવાળા સિદ્ધપર્યાયવાળાને સિદ્ધ કહે પણ અન્યને ન કહે.
શબ્દનયની અપેક્ષાએ બલીએ તે શબ્દમાં ફેર નથી. એક શબ્દના અનેક પર્યા હોય તે સર્વને શબ્દનયવાળા એક જ અર્થના માને છે, તે નયની અપેક્ષાએ પર્યાયભેદને ભેદ નથી અને તેથી રૂપી અરૂપી એ તફાવત તે નયવાળા સ્વીકારતા નથી. આથી ઉલટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org