SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમુ' પદ્મ ૨૫૭ સિદ્ધ હાય તે તેને સ ંસારમાં આવવા-જવાપણું ન હોય, તેને બધાવાપણું ન હેાય, તેને મેાક્ષ પણ ન હોય, કારણ તે મમય જ છે અને તેથી તેને જન્મ કે મરણુ સારાં કે ખરાબ ઘટતાં નથી તેથી આત્માને સિદ્ધસ્વરૂપી કહેવામાં વિધ આવે છે. અહેા ચેતનજી ! તારું સ્વરૂપ એવુ અદ્ભૂત છે કે એને વિચારતાં વિચારતાં ગમે તેટલી હદ સુધી જઈએ પણ એના પાર આવતા નથી, અનેા છેડા આવતા નથી; એ મહાન્ આશ્ચર્યની ભૂમિ છે. પ્રથમ પાદમાં કવચિત્ ‘ શુદ્ધ સનાતન ’ શબ્દ કોઈ પ્રતમાં મૂકેલા છે. સનાતનના ભાવ હવે પછીની ગાથામાં વિચારશું. જીવ અનાદિ શુદ્ધ છે, મૂળગુણે યુક્ત છે એમ કહીએ તે તેના બધ, મેાક્ષ અને સ'સારી દશામાં વર્તનભાવ ઘટતા નથી. આ અર્થ તે પાઠાંતરને થાય છે અને તે ઉપર બતાવેલા ચેતનજીના સિદ્ધસ્વરૂપના અર્થ સાથે મળતા ભાવ બતાવે છે. ( ચેતન ) અનાદિ કાળથી સિદ્ધ છે કૃતાર્થ છે એમ કહું તે પછી જન્મ પામે છે, વિનાશ પામે છે તે કાણુ ? જો તે ઉપજે છે, વિનાશ પામે છે એમ કહું તેા તેના નિત્યપણાના અને અખાધિતપણાના લાપ થઈ જાય છે. सिद्ध सनातन जो कहुं रे, उपजे विणसे कोण ? उपजे विणसे जो कहुं प्यारे, नित्य अबाधित गौन, निशानी० ३ ભાવ—ચેતનજી સિદ્ધ સનાતની છે, અનાદિ કાળથી કુતા છે, તેણે પેાતાનુ કાર્ય સાધી લીધું છે, તેને હવે કોઇ કામ કરવાનું બાકી રહ્યું નથી એમ જો તેના સંબંધમાં કહું તે તેમાં પણ કેટલાક વિરાધ આવે છે. જો એનાં સર્વ કામ થઇ ગયાં હાય, એ કૃતકૃત્ય થઈ ગયેલ હાય તે। આ સંસારમાં જન્મ મરણુ કાણુ પામે છે? જે કૃતકૃત્ય થઈ ગયા હોય, સિદ્ધદશામાં સ્થિત થયા હાય તેને દેવ, મનુષ્ય, તિય ચ, નારક ગતિમાં રખડપટ્ટી થવાનું સ ંભવે નહિ. નિજ ગુણુમાં રમણતા કરી, જ્ઞાનાનંદમાં સ્થિરતા લાવી એક જ સ્થાને સ્થિત થયેલા હાય તે જ સિદ્ધ કહેવાય, એનાં સર્વ કાર્યાં થઇ ગયાં કહેવાય અને આ ચેતનજી તે ઉચ્ચ નીચ ગાત્રમાં રખડે છે, સુરૂપ કુરૂપ થાય છે, ધનવાન નિર્ધન થાય છે, કીર્તિવંત અને અપયશને ધારણ કરનાર થાય છે વિગેરે અનેક ભાવા ધારણ કરે છે, અનેક જગ્યાએ ઉપજે છે, મરે છે; વળી ઉપજે છે, વળી મરે છે. આ સ` સિદ્ધને ઘટે નહિ; માટે આ ચેતનજીને સનાતન સિદ્ધ કહેવામાં અનેક જાતના પ્રત્યક્ષ વિરાધ આવે છે. આ જન્મ મરણ પ્રત્યક્ષ આપણે દેખી શકીએ છીએ તેથી આ ચેતનજીને સિદ્ધ સનાતન કહેવામાં પણ વિચાર થઇ આવે છે. ૩ સિદ્ધકૃતા. સનાતન જૂના, પુરાણેા. નિયનિત્ય, નિરંતર હોવાપણું. અબાધિત=અબાધિતત્વ, દુઃખરહિતપણું. ગૌલેાપ. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy