SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમું પદ ૨૫૫ એની નિશાનીઓ હું શું બતાવું? તારું રૂપ ન જાણી શકાય તેવું અને ન સમજી શકાય તેવું છે. જે (તું ) રૂપી છે એમ કહું તો કાંઈ છે જ નહિ, અરૂપી હોય તે તે કેવી રીતે બંધાય ? અને જે કાંઈક રૂપી અને કાંઈક અરૂપી (રૂપારૂપી) કહું તે હે પ્યારા ! અનુપમ સિદ્ધ(ના જો) એવા નથી. ” ભાવ—ઉપર જણાવ્યું તેમ સર્વ શણગાર સજીને શુદ્ધ ચેતના ચેતનજી પાસે આવી, બન્નેને મેળાપ થયે અને પ્રેમ બંધાયે; છેવટે શુદ્ધ ચેતના અને ચેતનજી એક રૂપ થયા, તે વખતે જે એનું રૂપ થયું તેનું વર્ણન થઈ શકે તેવું નથી. તે હકીકત અત્ર બતાવવા સાથે તે પણ બતાવશે કે એ ચેતનછ સર્વ આશ્ચર્યનું ધામ છે અને તેના સંબંધી વિચાર કરવો અને તેનું સ્વરૂપ સમજવું એ બહુ મુશ્કેલ છે. કઈ કોઈ અજાણ્યા માણસ આત્માનું સ્વરૂપ પૂછતો હોય તેને જવાબ આપવારૂપ આત્માને ઉદ્દેશીને રચાયેલું આ પદ , તેમાં બહુ સૂક્ષમ હકીક્ત બતાવી છે તે સમજવા ગ્ય છે. હે ચેતનજી ! તારું રૂપ જાણવું અને સમજવું બહુ મુશ્કેલ છે. મને કોઈ પૂછે છે કે ચેતનજી કેવા છે? તેના જવાબમાં હું શું કહું? તે આવે છે, આના જેવો છે એમ મારાથી કેવી રીતે કહી શકાય? કારણ કે જે વસ્તુની સાથે તમારી સરખામણી કરવા ચાહું તે વસ્તુ તો પૌગલિક હોય અને પૌગલિક વસ્તુ સાથે તમારી સરખામણી ઘટી શકે નહિ. આથી જેની સાથે સરખાવી શકાય તેવી કોઈ વસ્તુ આ જગતમાં મળવી અશક્ય છે, કારણ તે સર્વથી ચેતન તદ્દન ભિન્ન છે. ત્યારે હવે કઈ કઈ વિશેષણો આપવાથી તેનું સ્વરૂપ સમજવામાં આવે તે વિચાર કરીએ. હે ચેતન ! તારું સ્વરૂપ જાણવું અથવા સમજવું મુશ્કેલ છે અને જણાય તો વચનના વિષયમાં આવવું મુશ્કેલ છે. આ પ્રમાણે હોવાથી સંસારી જી આત્માનું સ્વરૂપ બરાબર જાણી શકતા નથી અને તેથી તે અગમ્ય છે અને કેવળજ્ઞાની તેનું સ્વરૂપ દિવ્ય જ્ઞાનથી બરાબર જાણે છે તે તેને સંપૂર્ણ રીતે વચન દ્વારા કહી શકતા નથી, તે વચન અગોચર છે અથવા તેને સમજવું પણ મુશ્કેલ છે તેથી તે અચર છે. સામાન્યપણે રૂપી દ્રવ્યમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ આકાર એ પ્રત્યેકમાંથી એક અથવા વધારે હોય છે, રૂપી દ્રવ્યની વ્યાખ્યા જ એ છે કે જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન હોય. આત્માને જ્યારે તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે શરીર ન હોવાથી તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કે સંસ્થાન કાંઈ હોતું નથી તેથી આત્માને રૂપી કહી શકાય નહિ, કારણ કે રૂપી તરીકે તેનામાં જે ગુણધર્મો હોવા જોઈએ તે તેનામાં બિલકુલ નથી. હવે જે આત્માને અરૂપી કહેવામાં આવે છે તેમાં પણ વિરોધ આવે છે. જે વસ્તુ અરૂપી હોય તે રૂપી વસ્તુથી બંધાય નહિ અને આત્મા તે સંસારાવસ્થામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy