________________
શ્રી આનંદઘનજીનાં પ અત્ર પરિસમાપ્તિ થાય છે, સુખની અત્ર પરિસીમાં આવે છે અને આનંદાબ્ધિને એક વિભાગ પણ અત્રે એ છો રહેતો નથી, સમુદ્રને એકેએક તરંગ સુખાનુભવ આપી દે છે.
૧૬. બીજી ગાથાના અર્થમાં પ્રથમ અને બીજું પદ જૂદું પાડી પ્રેમપ્રતીત રાગરુચિવડે શરીર રંગવારૂપ જૂદ શંગાર અને ઝીણી સાડી પહેરવારૂપ જૂદ શંગાર એમ અર્થ કરીએ તો સોળ શણગાર પૂરા થાય છે. શરીર ઉપર ચંદનાદિ લગાડવારૂપ અથવા સ્તનાદિ ઉપર ચિત્ર કરવારૂપ શંગાર ઘણી જગ્યાએ વર્ણવેલ છે. વળી દરેક શણગાર અકેક પદમાં લખ્યા છે તેમ ત્યાં પણ થવું જ જોઈએ તેથી વિચારી સુજ્ઞ વાંચનારે યોગ્ય અર્થ ઘટાવ.
આ સોળ શણગારની કલ્પના મેં કરી છે, તેમાં કાંઈક નવીનતા લાગશે, કારણ પ્રસ્તુત રીતે શણગારે જુદી રીતે ગણાય છે, પણ તેની ગણતરી કરવાની એકસરખી પદ્ધતિ ન હોવાથી તે સંબંધમાં કેઈ નિર્ણય નથી. અત્ર લોકચિને પસંદ આવે તેવી રીતે આ પદમાં રૂપકે સ્પષ્ટ રીતે વાપર્યા છે અને તેને ઘટાવવા યત્ન કર્યો છે.*
પદ એકવીસમું
રાગ - ગોડી. निशानी कहा बतावु रे, तेरो अगम अगोचर रूप. निशानी० रूपी कहुं तो कछु नहि रे, बंधे कैसे अरूप १ .
रूपारूपी जो कहुं प्यारे, असे न सिद्ध अनूप. निशानी०१ * જુઓ જબૂસ્વામીને રાસ ભાદેવે પિતાની સ્ત્રી નાગીલાને અર્ધ મંડિતાવસ્થામાં છોડી દીધી હતી ત્યાં આ શંગાર બતાવેલ છે.
૪ મારી પાસે પદની જે પ્રતે આવી છે તેમાંથી કોઈ પ્રતમાં આ પદ નથી તેથી આ પદને આનંદઘનજીનું પોતાનું બનાવેલું સમજવું કે ક્ષેપક તરીકે સમજવું તે સંબંધી એક પ્રશ્ન થાય છે. આવી જાતનાં પદો આનંદઘનજીએ લખ્યા છે તેથી શંગારની વાત પર રૂપક ન કરે એ તો સંભવિત લાગતું નથી. આ સંબંધમાં વિશેષ વિવેચન ઉપોદ્ધાતમાં કર્યું છે અને ક્ષેપક પદ માટે ત્યાં જે વિચાર ચલાવ્યો છે તે અત્રે પ્રસ્તુત છે. આ પદને અંગે ખાસ વિચાર કરવા યોગ્ય હોય તે તે એ જ છે કેઆનંદઘનજીની લેખનપદ્ધતિ અને ભાષાશૈલીને બરાબર મળતો આ પદનો વિષયે છે તેથી તેને ક્ષેપક કહેતાં પહેલાં કેટલોક વિચાર કરવો ઉચિત છે અને બીજી પ્રતોમાં તે આપેલ નથી તેથી કદાચ ક્ષેપક હોય એ પણ ભાસ થાય છે. પદમાં જે અર્થગાંભીર્ય અને રસાત્મકપણું છે તે આનંદઘનજીની ભાષા સાથે આબેહુબ મળતું આવે છે. આથી આ પદને વિવાદાત્મક વિભાગમાં મૂકવું ઉચિત ગણાશે.
t ઘણી પ્રતોમાં “વચન અગોચરરૂપ ” એ પાઠ છે. તારું રૂ૫ વચનથી સમજી ન શકાય તેવું છે એમ અર્થ થાય છે.
૧. નિશાની છે. કહા=શું. અગમન જાણી શકાય તેવું. અગોચરન સમજી શકાય તેવું. કહ્યું કાંઈ બંધ=બંધાય. કેસે કેવી રીતે. રૂપારૂપી કાંઈક રૂપી અને કાંઈક અરૂપી. ઐસેં=એવા. અનુપજેની ઉપમા આપી શકાય નહિ તેવા.
Jain Education International
ucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org