SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમું પદ ૨૪૭ શણગારો વર્ણવ્યા છે. અત્ર ચેતનજી પિતાના મંદિરે પધાર્યા અને વિરહ અવસ્થા દૂર થઈ તેની ખુશાલીમાં અને પતિને રંજન કરવા માટે શુદ્ધ ચેતનાએ પણ શણગાર સજે તેનું વર્ણન કરે છે. આ હકીકત વાંચતાં વિચારવું કે શણગાર પણ અધિકારવશાત્ હોય છે. ગામડાની ગોરી ભરવાડ જે નિરંતર કાળો સાડલે પહેરે છે તેને જેપુરી છાયલ અને બેટી બંગડી શણગાર તુલ્ય ગણાય છે અને શેકીઆની સ્ત્રીઓ જે નિરંતર મલમલના છાયલ અને સેનાની બંગડી પહેરે છે તેને સોનેરી સાડી અને હીરાની બંગડી શણગાર ગણાય છે. એથી આગળ વધીએ તે રાણીઓના શણગાર અને તેથી વધારે આત્મિક દશામાં આગળ વધતાં શુદ્ધ ચેતનાના શણગારમાં અવશ્ય સુધારે વધારે હોય છે. શુદ્ધ દશાના શણગારે વિશુદ્ધતર અને માનસિક જ હોય છે. ૧. કુલવધુ શણગાર સજવામાં ઝીણી સાડી પહેરે છે જેમાંથી સૌભાગ્યવતી સ્ત્રીનાં સુંદર અવયવે દેખાય છે અને તેના પર ચક્ષુને આકર્ષક રંગ હોવાથી પતિને તે બહુ આનંદ આપે છે. અહીં શુદ્ધ ચેતનાએ ઝીણી સાડી પહેરી અને તેના પર પ્રેમ, પ્રતીત, રાગ અને રુચિના રંગથી મિશ્ર કરેલો સુંદર ખુલતો રંગ ચડાવ્યું. તદ્દન ધળી સાડી તે હમેશાં કેટલીક વિધવા પહેરે છે. સધવા સ્ત્રી રંગિત સાડી પહેરે છે. અધિકાર પ્રમાણે શુદ્ધ ચેતનાએ જે સુંદર સાડીને શણગાર કર્યો તેના પર રંગ પણ એ જ આકર્ષક હતા અને તે રંગ પ્રેમ, પ્રતીત, રાગ અને રુચિથી મિશ્ર થયેલ હતું. પ્રેમ” અંતરંગ બહુમાન-જો દુનિયામાં ખરેખરી કઈ વસ્તુ હોય તો તે આ જ છે એવી અંતઃકરણની દૃઢ માન્યતા તેનું નામ પ્રેમ કહેવાય છે. સર્વ જંતુ ઉપર બંધુબુદ્ધિ, પતિ તરફ શુદ્ધ હદયની અનુસરણવૃત્તિ અને “કાર્યેષુ મંત્રી” એ શ્લેકમાં પ્રસિદ્ધ થયેલ સર્વ અવસ્થા દર્શાવનાર ભાવને પ્રેમ કહે છે. નિષ્કામ પ્રેમથી ત્રણ જગત્ વશ થાય છે. પ્રતીત –વિશ્વાસ. વિચારણાપૂર્વક હેતુના જ્ઞાન સાથે તીર્થકર મહારાજે જે હકીકત બતાવી છે તે સત્ય છે એવી અડગ શ્રદ્ધાને–આસ્થાને “પ્રતીત” કહેવામાં આવે છે. પ્રતીતિપૂર્વક જે શ્રદ્ધા થયેલી હોય તે એકદમ ખસી જતી નથી, ફરી જતી નથી, ડામાડોળ થઈ જતી નથી. રાગ” ગુરુ તથા દેવ તરફ પ્રત્યભિગમન “રાગ ન કરશે કે જન કેઈશું રે, ન રહેવાય તે કર મુનિશું રે; ફણી જેમ મણિ વિષને તેમ તેહે રે, રાગનું ભેષજ સુજસ સનેહા રે.” આવા પ્રકારને રાગ જે નિરાગતુનું કારણ છેવટે થાય છે તે. રુચિ” સ્વકર્તવ્યપૂર્તિકારક સમકિતરૂપ શ્રદ્ધા. આ શબ્દ પ્રતીતની સાથે આવે છે તેથી અતીંદ્રિય વિષયેના સંબંધમાં સમજ વધારે ઉચિત લાગે છે. આવી રીતે પ્રેમ, પ્રતીત, રાગ અને રુચિના રંગથી રંગેલી સુંદર ઝીણી સાડી ચેતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy