________________
વીસમું પદ
૨૪૫
ભાવ—ઉપર પ્રમાણે શુદ્ધ ચેતનાએ ચેતનજીને કહ્યું તે હકીકત સાંભળી શુદ્ધ સ્વરૂપ આનંદઘન ચેતનજી ખેલ્યા-ડે પ્રિયા ! હું ચેતના ! તેં મને કહ્યું તે સ` વાત મેં સાંભળી, તેથી હવે હું તારું દર્શન પ્રાપ્ત કરવા અને તારી સાથે રહેવાની પ્રખળ ઈચ્છાવાળા થયા છુ અને મારી તે તૃષાને તું હવે તૃપ્ત કર. તુ હાલ મારી સાથે અંતર રાખી ઘુમટો તાણીને ઊભી છે, મારાથી છેટી રહ્યા કરે છે તે તારી લાજ દૂર કર, જેથી હુ' તારું મુખ જોઉં અને તારું સ્વરૂપ વિચારું,
શુદ્ધ સ્વરૂપમાં ચેતનજી આવે ત્યારે તેને શુદ્ધ ચેતનાને વરવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તેથી શુદ્ધ સ્વરૂપમાં આવતે આત્મા વિભાવદશારૂપ ઘુમટો દૂર કરવા શુદ્ધ ચેતનાને કહે એ સમજાય તેવી હકીકત છે.
આ ટૂંકા પદમાં એક બહુ મુદ્દાની વાત કહી છે તે ખાસ ધ્યાન આપવા ચેાગ્ય છે. શુદ્ધ ચેતના ચેતનજીને કહે છે કે-તમે જાગા છે કે ઊંઘા છે તેની મને સમજણ પડતી નથી. આ વાતમાં બહુ રહસ્ય છે. આપણને કેાઇ દિવસ એમ લાગતુ નથી કે આપણે કામ કરતી વખત ઊંઘતા હેાઇએ, પણ વાસ્તવિક વિચાર કરતાં જણાશે કે પરભાવરમણમાં આત્મિક દૃષ્ટિએ આપણે ઊંધીએ જ છીએ. જ્યાં સુધી આ નિદ્રાના ત્યાગ કરવામાં નહિ આવે, સ્વભાવરમણુતા થઈ પરિણતિની નિર્મળતા થશે નહિ ત્યાં સુધી આપણા સંસારચક્રને છેડા આવવાના નથી, એ સંદેહ વગરની વાત છે. ચાલુ માની લીધેલા વ્યવહારમાં જેમ લોકીકમાં જવાની, કપડાં આપવાની, આમત્રણેા દેવાની બાબતમાં બનતી જાગૃતિ રાખવામાં આવે છે અને જે તેમ કરે નહિ તે હાસ્યાસ્પદ થાય છે તેમ આત્મિક વ્યવહારમાં આપણે વેષ જાળવતા નથી, ધ્યાન આપતા નથી, જાગૃતિ રાખતા નથી, પરભાવમાં ભમીએ છીએ, શુદ્ધ પરિણતિને તજીએ છીએ અને સાધનસાધ્યના ગોટાળા કરીએ છીએ, એ દશા સુધારવાની જરૂર છે, એકદમ તે સંબ’ધમાં વિચાર કરવાની જરૂર છે અને ઉત્તમ જોંગવાઈના લાભ લેવાની અતિ જરૂર છે.
પદ્મ વીસમું
રાગ ગાડી, આશાવરી.
आज सुहागन नारी, अवधू आज ० मेरे नाथ आप सुध लीनी, कीनी निज अंगचारी अवधू० १
“ હે અવિનાશી ચેતનજી! હવે હું સૌભાગ્યવતી નારી થઈ છું. મારા નાથે પોતે મારી ખબર લીધી અને મને પેાતાના અંગની સેવા કરનારી દાસી બનાવી છે. ”
૧ આજ=હવે. સુહાગન=સૌભાગ્યવતી. અવધૂ=અવિનાશી આભા, વિશેષા માટે જુએ પદ પાંચમાની પહેલી ગાથા પર વિવેચન. સુધ=ખબર. લીની=લીધી, નિજાતાની. અંગચારી=અંગને સેવનારી દાસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org