________________
૨૪૪
શ્રી આનઘનજીનાં પા
સ્વભાવમાં કે વિભાવમાં તેનું સ્થિત્યંતર થયા કરે છે. ત્યારે હું ચેતના ! તારા પતિ હું વિભાવદશામાં જાગ્રત રહું છું અને તુ ઉંઘ્યા કરે છે ત્યારે મારી અને તારી પ્રીતિ શી રીતે જામશે ? પતિ મંદિરે પધારે અને સ્ત્રી ઊંઘ્યા કરે તે પછી તેને પતિમેળાપના લાભ શી રીતે મળે ? માટે હું તને કહું છું કે-ચેતના ! તુ તદ્ન મૂર્ખ સ્ત્રી છે, ગાંડી છે, જો તારે પતિના મેળાપ કરવાની ઈચ્છા હાય તે તું પણ તેના પ્રમાણે વભાવદશામાં જાગ્રત રહે અથવા પતિ જ્યારે જાગે છે ત્યારે તુ ઊંઘે છે તે વાતના ખુલાસેા કર.
ઉપરના સવાલના જવાબ આપતાં શુદ્ધ ચેતના કહે છે—પતિ! મારા નાથ! તમે તે વિભાવદશામાં ચતુર હશેા એ વાત ખરી હશે, પણ હું તે એ વભાવદશાથી તદ્દન અજાણી છું, એનુ સ્વરૂપ ગમે તેવું હોય તેની સાથે મારે સંબંધ નથી, મારે તે જાણવાની દરકાર પણ નથી. આ પ્રમાણે હેાવાથી મને તે ખબર પડતી નથી કે વાસ્તવિક રીતે તમે જાગે છે કે ઊંધા છે. તમે એમ માને છે કે તમે પાતે જાગે છે, પણ જે દશામાં તમે જાગે છે અને જેમાં તમે નિપુણ છે તે દશા અમારા વિચારક્ષેત્રની બહાર છે, તમે દ્રવ્યક્રિયા કરતા હા તે મારે જાણવાની આવશ્યકતા નથી, ભાવક્રિયા કે સ્વભાવદશામાં તમે જાગ્રત નથી એ તે સ્પષ્ટ જણાઈ આવે છે અને વિભાવમાં જાગ્રત હૈ। કે નહિ તે જાણુવાની મારે દરકાર નથી. શુદ્ધ ચેતનાપૂર્વક કરણી કરી હેાય તે જ કરણી શુદ્ધ ચેતના જાણે છે, સ્વીકારે છે અને તે જ કરણી ચેતનાને શુદ્ધ કરતી જાય છે અને તે સિવાયનાં અન્ય કૃત્યે હું' જાણતી નથી. મતલખ તે સં કૃત્યો અલેખે જાય છે, ફળ વગરનાં થાય છે. હું પતિ ! આટલા ઉપરથી આપ જાગેા છે કે નથી જાગતા તે હું જાણતી નથી.
તાત્પર્યા એ છે કે-વિભાવદશા અને શુદ્ધ ચેતના વિરોધી છે, પરસ્પર મેળ-સંબંધ વગરનાં છે એમ સમજવું. એ જાણવા પૂરતા જ જ્ઞાન માટે સવાલ હોય તે શુદ્ધ ચેતના પેાતાના સ્વરૂપમાં સ્થિત ાય ત્યારે વિભાવદશાને જાણતી જ નથી એમ કહી શકાય નહિં, અત્ર જે હકીકત છે તે અજાણપણાની છે અને તે અરસપરસ સંબંધ પૂરતી જ છે.
દુલહુ શબ્દના અર્થ સમીચીન કરવા માટે તેને ‘• પિયા ’ના વિશેષણ તરીકે મૂકયા છે. એવી રીતે વિશેષણ અને વિશેષ્ય વચ્ચે લાંબુ' અંતર રહે એમ ઘણા કવિઓની કૃતિમાં અને છે. દુલહને નારીનું વિશેષણ પણ કરી શકાય છે, પણ આત્મા શુદ્ધ ચેતનાને એવા સ્વરૂપમાં સમજતા હૈાય એટલે સુધી તેના વિકાસ હજી થયા નથી.
आनंदघन पिया दरस पियारों, खोल घुंघट मुख जोवे.
दुल० २
“ આનંદને રાશિ આપનાર હૈ પ્રિયા ! તારા દર્શનનેા હું તૃષાતુર છું, તારી લાજ કાઢી નાખ, (જેથી ) તારું' મુખ જોઉં. ”
૨ પિયા પ્રિયા, શુદ્ધ ચેતના. દરસદન, દેખવુ' તે. પિયાસે’પિપાસુ, તૃષાતુર. 'ધટ='મટા, લાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org