SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વિક્રમને સત્તરમ સેકે વિચારશીલ જેને એમ કુરણું થઈ હોય એમ જણાય છે કે ખરા વિદ્વાનો અને ધુરંધર શાસનપ્રેમીઓ ઉત્પન્ન કરવા માટે સારાં સાધને તૈયાર કરવાની જરૂર છે અને તેટલા માટે તેઓએ ઘણુ ગ્રંથની શુદ્ધ પ્રતે લખાવી તેને માટે મોટા ભંડારી ( લાઈબ્રેરી) સ્થાપિત કર્યા. અત્યારે મોટે ભાગે ગ્રંથ મેળવવા હોય તે કાગળ ઉપર લખાયલા સારા ગ્રંથની નકલ સંવત ૧૫૦૦ થી ૧૭૫૦ સુધીની મળી આવે છે. તેમાં પણ સેળમાં સૈકાઓ માટે અગત્યનો ભાગ બજાવ્યું છે. આવી રીતે સાધન તૈયાર થયાં એટલે એને લાભ લેનાર સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં અને અઢારમાની શરૂઆતમાં ઘણું શાસનરક્ષકે નીકળી આવ્યા અને એમ કહેવાય છે કે સત્તરમા સૈકામાં બાવન પંડિત જૈનમાં થયા અને તેઓ લગભગ એક સાથે થયેલા જણાય છે. આ સંબંધી વિશેષ હકીકત આગળ વિચારવામાં આવશે. અત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે, વિક્રમને સત્તર સકો જેન કેમને માટે તેની પૂર્વનાં ૪૦૦ વરસના પ્રમાણમાં બહુ સારે થયે. આપણું ચરિત્રનાયક એ જ સમયમાં થયા છે એમ જ્યારે હવે પછીની હકીકત પરથી જણાશે ત્યારે આનંદ થાય તેવી બીજી ઘણી હકીકત તેમાંથી મળી આવશે. આ બાવન પંડિતોનાં નામમાંથી કેટલાકની હકીકત કાંઈ કાંઈ મળી આવે છે. તે સમયમાં ઘણું બનાવો બન્યા છે જે જેને કામે નોંધી રાખ્યા છે. આથી આપણું ચરિત્રનાયકના સમયનો ઈતિહાસ જાણવાની કેટલીક જિજ્ઞાસા તૃપ્ત થવાનો સંભવ છે. અહીં ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં જે હકીકત કહી તે પરથી એક રહસ્ય પણ પ્રાપ્ત થાય છે અને તે એ છે કે, અત્યારે સારાં સાધનો તૈયાર કરાવ્યાં હોય તે ભવિષ્યમાં તેને લાભ લેનારા જરૂર નીકળી આવશે એમ ઈતિહાસ સાબિત કરે છે. અત્યારે સુંદર છપાતાં પુસ્તક વાંચનાર ન હોય તે તેથી ખેદ પામવાનું નથી, એવાં અનેક સાધને તૈયાર કરી ભવિષ્યની પ્રજાને સાધને જ આપવાની આપણી ફરજ છે. એને લાભ લેનારા જરૂર નીકળશે એમ પૂર્વનો ઈતિહાસ સૂચવે છે. શ્રી આનંદઘનજીને સમય આપણુ ચરિત્રનાયક શ્રીમદ્ આનંદઘનજીના સંબંધમાં પ્રકીર્ણ વાતે મળે છે તે પર વિચાર કરીએ તે પહેલાં તેમને સમય નિર્ણય કરવાનાં સાધને આપણે ઐતિહાસિક દૃષ્ટિથી વિચારીએ. તેઓનાં માતાપિતા કેણ હતાં? તેઓ કયા શહેરમાં રહેનારા હતા? તેમણે કયારે દીક્ષા લીધી ? તેઓને કયારે દેહોત્સર્ગ થયે? વિગેરે સંબંધી કાંઈ આધારભૂત હકીકત મળતી નથી. આપણે સંગે વિચારીને તેઓના જન્મસ્થાન અને સમય સંબંધી વિચાર કરીએ, આવા વિચારો નિર્ણયાત્મક તે કદાપિ હોઈ શકે જ નહિ, કારણ કે અનુમાનના આધાર પર જ રહેવાનું જ્યાં હોય છે ત્યાં વિશેષ સાધન મળતાં અનુમાન કરવાનાં કારણે ફરી જાય છે અને કેટલીક વાર પૃથક્કરણ કરવાની જુદી જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy