SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી આનંદઘનજી અને તેમને સમય દેહત્સર્ગ થયે અને તેઓએ ક્યારે ક્યા ગુરુ પાસે ક્યાં દીક્ષા ગ્રહણ કરી? કેટલે અભ્યાસ કર્યો? ક્યાં ક્યાં વિચર્યા? વિગેરે તદ્દન સામાન્ય બાબતમાં એક પણ આધારભૂત હકીકત પ્રાપ્ત થઈ શકી નથી. આત્મજ્ઞાનમાં અતિ પ્રગતિ પામેલા અને જૈન અને જૈનેતરમાં એકંદરે એક સરખી રીતે અતિ માન પામેલા તથા ઉપાધ્યાયજી શ્રીમદ્યશવિજયજી જેવા સમર્થ પુરુષથી સ્તવના પામેલા મહાત્માના સંબંધમાં આવી સ્થિતિ પ્રાપ્ત થાય તે અતિ ખેદને વિષય છે, પરંતુ જેઓ આ શરીરને સાધન માત્ર ગણે છે, નામને અર્થવગરનું ગણે છે, અને માનમતંગજ પર તેને કાબૂમાં લેવા સારુ સ્વારી કરે છે, તેઓને આ બાબતમાં ઘણું દરકાર રહેતી નથી. આથી આનંદઘનજી પોતે પિતાનું ચરિત્ર લખે એ તો બનવાજોગ જ હતું નહિ અને અન્ય કોઈએ લખવા પ્રયત્ન કર્યો નહિ હોય અથવા તે સંબંધમાં કાંઈ લખાયું હશે તે હજુ તે પ્રાપ્ત થયું નથી; પરિણામે જેમ દરેક મહાપુરુષના નામ ફરતી અનેક દંતકથાઓ જોડાઈ જાય છે તેમ આ મહાત્માના સંબંધમાં પણ બન્યું છે. તેઓના સંબંધમાં બહુ વાતે સંપ્રદાયથી ચાલ્યા કરે છે અને તેમાંની ઘણીખરી એવા પ્રકારની છે કે તેમાંથી સત્ય હકીકતને શોધી કાઢવી તે પણ મુશ્કેલ પડે તેમ છે. અનેક દંતકથાઓ અને વાર્તાઓ જે નામની આસપાસ ફરી વળે અને જનહદયમાં ઘર કરે તે વાતમાં મોટે ભાગે અતિશ અથવા કલપનાને અંશ ભળવો સંભવિત ધારી શકાય, પણ એટલું તો એ સાથે એક અવાજે કહી શકાય કે જે નામની ફરતી અનેક દંતકથાઓ ચાલતી હોય અને જે વાતને લેકે આટલાં વરસ થયાં પણ ભૂલી શક્યાં ન હોય તે વાતના અધિષ્ઠાતા પુરુષ પ્રાકૃત જનસમાજથી સારી ભૂમિકા ઉપર કઈ પણ કારણથી આરૂઢ થયેલા હોવા જોઈએ. સાધારણ માણસની આજુબાજુ અતિ મહત્વવાળી અર્થગૌરવથી ભરપૂર દંતકથાઓ ફરી વળતી નથી. આ મહાત્મા સંબંધી કાંઈક પ્રાપ્ય હકીકત લખી તેઓનું સમાજમાં કયું સ્થાન છે અને હાવું જોઈએ તે પર લોકોના વિચાર જાણશું અને આપણે પણ સંબંધી વિચાર કરશે. એ બધું જાણવા પહેલાં આ મહાત્મા સંબંધી જે જે હકીકત અન્યને પૂછવાથી મળી આવી છે તેમાંની આધારભૂત જણાતી વાતોનું રૂપદર્શન કરી લઈએ. વિક્રમને સત્તરમે રોકે વિક્રમને સત્તરમા સૈકે જેન કેમને માટે બહુ અગત્યનું છે. મુસલમાનોના ત્રાસથી ધાર્મિક પુસ્તકોની તથા મંદિરોની થયેલી પાયમાલી તથા જાનમાલની અસ્થિરતાને લીધે લગભગ ચાર પાંચ વરસ થયાં સ્થિર બેસવાને સમય નહોતે. સત્તરમા સૈકામાં મુગલાઈ રાજ્યમાં કાંઈક સારી સ્થિતિ રહી, છત્રપતિ શિવાજીની આણ પ્રવતી અને જનસમાજમાં એક પ્રકારની સામાન્ય શાંતિને પ્રવાહ પ્રસર્યો. આ પહેલાંના સેળમા સૈકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy