________________
૧૩
ઇતિહાસની આવશ્યકતા દેરનાર મજબૂત વિચારશક્તિનું બળ ધરાવનાર એક વા અનેક પુરુષે કેમમાં ન હોયત્યારે કોમની શી સ્થિતિ થાય તે વિચારી લેવા ગ્ય છે. અહીં મૂળ વિષયથી કાંઈક આપણે વિશેષ દૂર થતા જઈએ છીએ તેથી તે બાબતમાં માત્ર દિગદર્શન કરી જવાબદાર પુરુષનું તે તરફ ધ્યાન ખેંચી મૂળ વિષય ઉપર આવતાં એટલું જણાવી દેવાની જરૂર છે કે ઈતિહાસની બાબતમાં આપણે બહુ પછાત છીએ અને જે સાધને આપણને ઉપલબ્ધ છે તેને પણ પૂરતો લાભ લેતા નથી. કેળવણીની બાબતમાં આપણે કેમ ઘણી પછાત હોવાને લીધે, શેખેળ કરનારને ઉત્તેજનને અભાવ હોવાને લીધે, સાધારણ દ્રવ્ય અ૫ હોવાને લીધે, નકામાં ખરમાં ઘસડાઈ જઈ જરૂરી ઉદ્ધારનાં ધર્મકૃત્યે કે કેમસેવાનાં કાર્યોમાં કૃપણુતા હોવાને લીધે, તેવાં વિશિષ્ટ કાર્યોમાં ધનવ્યય કરવાની ફરજના જ્ઞાનના અ૫ ભાવને લીધે, જ્ઞાનદ્રવ્યના આશય, અર્થ અને લક્ષણનિદર્શનમાં અતિ સંકુચિત દષ્ટિ હોવાને લીધે, કેળવાયેલા વર્ગને યોગ્ય સાહા... મળતી ન હોવાને લીધે અને તે વર્ગ ઉપર ઉપરના કામમાં લાગી ગયેલ હોવાને લીધે ભય રહે છે કે ઈતિહાસના અતિ અગત્યના વિષયમાં પ્રગતિ કરતાં હજુ ઘણે વખત લાગશે અને દરમ્યાન કેમની સ્થિતિ કેવા પ્રકારની હશે તે કહી શકાય નહિ તેમજ લભ્ય સાધનો ત્યાં સુધી જળવાઈ રહેશે કે નહિ તે પણ કહી શકાય નહિ. ઇતિહાસ સંબંધમાં આવી સ્થિતિ હોવાને લીધે, કોઈ પણ ગ્રંથ સમજવા માટે જે ખાસ ઉપયોગી સાધન છે તેનાં દ્વાર હજુ આપણે માટે લગભગ બંધ છે એમ કહી શકાય. સામાન્ય દૃષ્ટિથી અમુક શબ્દોના અર્થ તેમજ ગ્રંથનું રહસ્ય સમજનાર આ ઐતિહાસિક દૃષ્ટિની અગત્ય સમજી ન શકે અને તેથી કદાચ ઉપરની સર્વ હકીકત અપ્રાસંગિક ગણી નાખે એ સકારણુ ભય રહે છે, પરંતુ તેઓને આ હકીકત જણાવવાની જરૂર લાગે છે કે અમુક ગ્રંથ સમજવા માટે તે ગ્રંથના શબ્દાર્થની જેટલી જરૂરીઆત તે ગ્રંથકર્તા સંબંધી અને રાજ્ય સંબંધી હકીકત જાણવાની તથા બીજી તેને લગતી ઉપલબ્ધ હકીકત જાણી લેવાની છે અને એક રીતે જોઈએ તો આ બાબત વિશેષ અગત્યની છે, કારણ કે ગ્રંથનો અર્થ સમજવામાં તે ઉપયોગી થાય છે અને બહુ પ્રકાશ પાડે છે. જે ગ્રંથને અર્થ વિવેચન આ નિયમાનુસાર લખાયેલા હોય તે વાંચવામાં કેટલો આનંદ આવે છે તે અનુભવ્યાથી ઉપર જણાવેલ હકીકતનું સત્ય લક્ષ્યમાં આવશે.
ચરિત્રનાયકના ઇતિહાસની સ્થિતિ આ પદોના કર્તા શ્રીમાન આનંદઘનજીના ઇતિહાસની શોધ કરતાં જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે વાંચનારને અતિ ખેદ કરાવે તેવી છે. તેઓ સંસારી અવસ્થામાં કેણ હતા ? અથવા તેઓના ગુરુ કેણ હતા ? તેઓએ કઈ સાલમાં જન્મ લીધો ? ક્યારે તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org