________________
શ્રી આનંદઘનજી અને તેમને સમય પણ ઘણો પ્રકાશ નાખી શકાય તેમ પણ સૂચવાય છે. અર્થ અને પરિણામ વગરના ઝઘડાએમાં જીવનશક્તિ અને ધનને માટે વ્યય કરતાં આવી દિશાઓમાં શક્તિને વખતસર દોરવાથી બહુ લાભ થાય તેમ છે અને ખાસ કરીને અનેક પ્રાપ્ય સાધનો નાશ થાય તે પહેલાં તેને ઉપયોગ કરી લેવાની ખાસ જરૂર છે.
ઇતિહાસની આવશ્યકતા વિજ્ઞાનની દૃષ્ટિથી જ્યારે ઈતિહાસને તપાસવામાં આવે ત્યારે બહુ જ લાભ થાય છે. સામાન્ય રીતે હકીકતે કહી જવી, બનાવ નોંધી જવા અથવા વર્ણનો આપવા અને વિજ્ઞાનની નજરથી તે સર્વનું પૃથક્કરણ કરી તેમાંનાં સારભૂત રહસ્યો ખુલ્લાં કરવાં એ વચ્ચે બહુ મોટું અંતર છે. અમુક કવિના સમયમાં સમાજનું બંધારણ કેવા પ્રકારનું હતું, રાજ્યસ્થિતિ, રાજ્યનીતિ અને રાજ્યકાન્તિ કેવા પ્રકારની હતી, લેકસ્થિતિ કેવી હતી, સાધુ અને ગૃહસ્થવર્ગ વચ્ચે સંબંધ કેવા પ્રકારનો હતે વિગેરે વિગેરે હકીકત જણાયા પછી અમુક ગ્રંથકર્તાનો ગ્રંથ વાંચવામાં આવે અને તે પર વિચાર કરવામાં આવે તો તે ગ્રંથને લગભગ દરેક વિભાગ શા આશયથી અને કોને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે તે સારી રીતે સમજાઈ જવાને સંભવ છે. સ્યાદ્વાદ શૈલીની એક ખાસ ઉત્તમતા એ છે કે, તત્ત્વજ્ઞાનને અનુસરીને દરેક જમાનાને અનુસરતા જરૂરને બોધ કરવા માટે આચાર્યો ઉદ્યત રહેતા અને તદનુસાર તેઓની ઉપદેશધારા ચાલતી; તેથી અમુક સમાજની સમયસ્થિતિ ગ્રંથકર્તાને આશય સમજવા માટે બહુ ઉપયોગી છે. આવી દષ્ટિથી ગ્રંથ સમજવા માટે જે ઈતિહાસના જ્ઞાનની આવશ્યકતા છે તે ઇતિહાસ તૈયાર કરવાને હજુ આપણે જરૂર પૂર પ્રયાસ કર્યો હોય એમ જણાતું નથી જેન કોમને માથે અનેક પ્રકારની ખાસ જવાબદારીઓ છે અને તે જવાબદારીઓ પૂરી પાડવા માટે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે એમ સ્પષ્ટ સમજાયા છતાં આવા અગત્યના વિષયમાં હજુ ધ્યાન અપાયું નથી તે અતિ ખેદનો વિષય છે. એથી પણ વધારે ખેદનો વિષય એ છે કે જે અનેક બાબતોની જવાબદારી છે તે સ્વીકારવા અને તેને માટે પ્રયત્ન કરવા જેટલી શકિત ધરાવનાર, પ્રકાશ નાખનાર અને વિચારની આપ-લે કરે તેવી ઐતિહાસિક કે સાહિત્યના વિષયની એક મંડળી હજુ હતી ધરાવતી નથી. એક બાજુએ પાશ્ચાત્ય વિચાર જોસથી ફેલાય, બીજી બાજુએ કેમને માથે અનેક તીર્થોની જવાબદારી હોય, અનેક મંદિરે જાળવવાનાં હોય, અનેક પુસ્તકના ઉદ્ધાર કરવાના હોય અને સાથે અનેક ભેદ, વિભેદ અને તેના ભેદે અને તે ભેદના પણ ભેદમાં રહી તદ્દન નાના વર્તુળમાં કામ કરવાનું હોય, સાથે નકામે શક્તિ, ધન અને મગજનો ક્ષય કરનાર કલેશેનો પ્રવાહ ચાલ્યા કરતો હોય અને તેવા અગત્યના પ્રસંગને પહોંચી વળે અને પિતાને અનુસરનાર સમુદાયને સામુદાયિક શક્તિ વડે ખરા ઉપયોગી માર્ગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org