SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ આનંદઘનજી અને તેમના સમય Jain Education International 45 ઐતિહાસિક વિષયમાં આપણી સ્થિતિ ઐતિહાસિક વિષયમાં સમસ્ત ભારતવર્ષની સ્થિતિ અનેક કારણાને લઇને બહુ વિચારણીય છે એમ અનેક પ્રસંગે જણાવવામાં આવ્યું છે. મહાન્ આચાર્યાં, ગ્રંથકર્તાઓ અને ખીજા સ્મરણીય પુરુષો નામકીનની અપેક્ષા કરતાં આત્માન્નતિ તરફ વિશેષ લક્ષ આપતા હાવાથી, નામની ચિરસ્મરણીયતા રહેવી અશકય છે, એ રહસ્ય તેઓને સમજાઈ ગયેલ હાવાથી તેમજ ધર્મ કે દેશના સમિષ્ટ ઉદ્ભવ ઉપર તેમનુ વિશેષ લક્ષ્ય હાવાથી અને તેમાં વ્યક્તિનિમજન થઈ જવાના આશય હાવાથી અથવા એવાં એવાં એક કે અનેક કારણેાને લઇને આર્યાવર્તમાં મહાત્મા પુરુષાના ઇતિહાસના લગભગ અભાવ છે એમ કહેવામાં આવે તે તે મહુધા ખાટું નથી. અન્ય પ્રસંગે કહેવામાં આવ્યું છે તેમ આર્યાવર્તને માટે આ હકીકત સત્ય છે પરંતુ જૈન કામના ઇતિહાસને માટે સ્થિતિ સરખામણીમાં કાંઈક સતાષકારક છે. આ પ્રમાણે હકીકત છે છતાં તેમાં આ વિષયમાં જૈન ગ્રંથામાંથી જે હકીકત મળી આવે છે તે વસ્તુતઃ ઘણી અપૂર્ણ હાય છે અને ખાસ કરીને જેને વિજ્ઞાનની દૃષ્ટિથી ઇતિહાસ તપાસવા હાય અને માત્ર સાલવારી લખી જવાને અથવા બનાવેાના નાનિર્દેશ કરી જવાને જ આશય ન હેાય તેમને નિય કરવા માટે જોઇએ તેવાં સાધના પૂરાં પાડે તેવી હાતી નથી. અત્યાર સુધી કેટલાક રાજા તથા મુખ્ય પાટે થયેલા આચાર્યાં સંબંધી કેટલીએક માહિતી આપનારી ઐતિહાસિક હકીકત મળી આવે છે અને આ સ્થિતિ પણુ સંવત્ એક હજાર પછીને માટે છે એમ કહીએ તે ચાલી શકે. તે પહેલાંના ઇતિહાસ વિશેષ અંધકારમાં છે. ઐતિહાસિક વિષય પર પ્રકાશ નાખે તેવી દૃષ્ટિથી હજી વાંચન કરનારા અને શેાધખાળ કરનારા ખંતીલા જૈને ઓછા છે. પુસ્તકાનાં મંગળાચણ તથા અંતિમ પ્રશસ્તિ ઉપરથી, તામ્રપત્રા ઉપરથી, સિક્કાઓ ઉપરથી, પુરાણા લેખા ઉપરથી તેમજ તત્સમયના બીજા લેખા ઉપરથી ઐતિહાસિક બાબતમાં શેાધખાળ કરવા માટે સારી રીતે કામ કરનારની હજુ ઘણી જ આવશ્યકતા છે અને એવી રીતે જો કાય કરવામાં આવે તે ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયાગી થઈ શકે એવાં અનેક સાધના લભ્ય છે. મારવાડ–મેવાડનાં પ્રાચીન તીર્થાંમાં અનેક લેખા છે, તામ્રપત્રની અનેક પ્રતે હજી માજુદ છે અને સાંપ્રદાયિક જ્ઞાનવાળા વિદ્વાનેા પાસે અનેક દંતકથાઓ છે-તે સના સારી રીતે અભ્યાસ કરી ઉપયોગ કરવામાં આવે તે વિક્રમ સંવત્ હજાર પછી લગભગ નિયમસર ઇતિહાસ મળી શકે તેમ છે એમ કહેવાય છે અને તપૂના ઇતિહાસ પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy