________________
શ્રી આનઘનજીનાં પદ્મા
એક તે। તમારા મનમાંથી આંટી કાઢી નાખેા. જ્યાં પ્રેમ હોય ત્યાં આંટી નહિ અને જ્યાં આંટી હાય ત્યાં પ્રેમ નહિ; માટે તમારા મનમાં જે વળ હાય તે દૂર કરી નાખેા. તમારા મનમાં હજુ પરભાવગમનરૂપ આંટી છે, તમે હજી તમારી પતિવ્રતા સ્ત્રી પર ખરાખર પ્રેમ રાખવાનું શીખ્યા નથી, તમે હજી જ્યારે ત્યારે માયામમતા વિગેરે વેશ્યાઓનાં મદિરામાં ભટક્યા કરેા છે. જો તમારે ખરાખર પ્રેમ કરવા હાય, શુદ્ધ ચેતનાને તમારા હૃદયમંદિરમાં સ્થાન આપવુ હોય તે પરભાવરમણુ મૂકી દઇ એક નિષ્ઠાથી તેના પર શુદ્ધ પ્રેમ રાખે! અને મનમાંથી આંટીઘુંટી કાઢી નાખા, દૂર કરા, ફ્રેંકી દો. કોઇને મનાવવું હોય ત્યારે મિષ્ટ મિષ્ટ વચનેાવડે તેને શાંત કરવાની જરૂર પડે કરવા પડે છે, તેમ અહીં
છે. તેના મનમાં જે સતાપ હાય તે પ્રથમ વચન દ્વારા શાંત
૧૩.
"
પણુ સમજવુ. શુદ્ધ ચેતનાને મનાવવા માટે તમે ‘ હવે પછી હું આમ નહી કરું, પૌદ્ગલિક ભાવમાં નહીં રમું. ઇત્યાદિ મિષ્ટ વાવડે તેને શાંત કરા, એટલે તે તરત મનાશે. સ્રીતિ વિશ્વાસુ હાય છે તેથી પતિનાં વચને પર વિશ્વાસ રાખી તરત મનાઈ જાય છે. આ મૂળ અર્થ જણાય છે. ખીજો આવા અર્થ પણ થાય છે કે તમારા શરીરમાં જે વિષયકષાયજન્ય સંતાપ થયા કરે છે, તમને જે આતુરતા રહ્યા કરે છે તે મટાડી દો. મતલબ તમને બાહ્ય સુખ મેળવવાની જે આતુરતા છે તે દૂર કરો, શાંત કરી, એટલે આત્મસ્વરૂપને લાગતી અગ્નિ શાંત કરેા. રાગદ્વેષજન્ય સંતાપ તમારા શરીરમાં રહે છે તે દૂર કરી. સંતાપ કેટલા અને કેવા થાય છે તે ખરાબર અવલેાકન કરવાથી જાય તેમ છે. એક વસ્તુ મેળવવાના લાભ થાય, કીતિ મેળવવાની ઇચ્છા થાય, તેમ જ અન્ય મેાહનીય કર્મીના આવિર્ભાવ થાય ત્યારે માનસિક Àાભ થવા ઉપરાંત શરીરમાં એક પ્રકારની ગરમી થઇ આવે છે જે ખારિક દૃષ્ટિથી જણાશે. સંતાપ એ અગ્નિ છે, એને શાંત પાડવાના ઉપાય જળછંટકાવ છે, માટે રાગદ્વેષ રહિત વીતરાગ ભગવાનનાં વચનરૂપ અમૃતનો છટકાવ કરવાથી સંતાપની શાંતિ થાય છે, અગ્નિ બુઝાઇ જાય છે. આવી રીતે તી કરભાષિત વચનામૃતના વરસાદ થશે ત્યારે મનની વ્યથા અને શરીરને સંતાપ દૂર થશે અને તેમ થશે ત્યારે શુદ્ધ ચેતના જે અત્યારે તમારાથી રીસાણી છે તે મનાશે અને તમારા હૃદયમંદિરમાં આવી નિર'તર વાસ કરશે.
ક્ષાયક સમકિત પ્રાપ્ત થયા પછી શુદ્ધ ચેતનાના નિરંતર સંબંધ થાય છે તેને માટે શારીરિક અને માનસિક શુદ્ધિ કરે. શુદ્ધ ચેતના પ્રગટ કરવા માટે પરભાવરમણુ અને સ્વરૂપસતાપરૂપ મન અને શરીરના વ્યાધિને આગમકથન અને તીર્થંકરના ઉપદેશરૂપ અમૃતછંટકાવથી શાંત પાડવા ચાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org