SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારસ' પદ ૨૩૭ આપા હોય ત્યારે કૃતી દલાલ તેનું જોડાણ કરી આપે છે, પણ જયારે અંતરંગ વસ્તુની વાત આવી પડે છે ત્યારે દલાલનું એમાં કાંઇ ચાલી શકતું નથી, કારણ કે એની પરીક્ષા પણ તેને થતી નથી. પ્રેમ આટલા છે, આવે છે, આ પ્રકારના છે એ જ જ્યારે દલાલ જાણી શકે નહિ ત્યારે તેના સાદા તે કેમ કરાવી શકે ? પ્રેમની કિમત તેા તેની જે આપ-લે કરે છે તેને જ હોય છે, તે જ સમજે છે કે પેાતાના અંતઃકરણના ઊંડાણના ભાગમાં વાસ્તવિક પ્રેમ કેટલા છે અને મનેામન સાક્ષીભાવે સામાના અંતઃકરણમાં પોતા માટે કેટલા પ્રેમ છે તે પણ જાણી શકે છે, પણ લાલ એમાંનુ કાંઈ જાણી શકતા નથી. પ્રેમ વાટે ઘાટે મળતા નથી, દોશીડાને હાટે વેચાતા નથી, એ તેા અંતઃકરણના વિષય હાવાથી લેનાર તેમજ દેનાર જ તેની પરીક્ષા કરી શકે છે. આપના ઉપર શુદ્ધ ચેતનાના પ્રેમ ખરેખરો છે એમ હું ચાસ જાણું છું. વળી આપે તેના તરફ બેદરકારી રાખી છે અને તે પણ અનાદિ કાળથી-લાંખા વખતથી રાખી છે માટે તમારી સાથે અત્યારે તે રીસાયલી છે, પણ તમે પેાતે જ તેને સમજાવે. તમે સાંભળતા હતા ત્યારે દશમા પદમાં શુદ્ધ ચેતના પેાતે જ ખેલી હતી કે · કાઉ ન દૂતી દલાલ વિસીડી, પારખી પ્રેમ ખરીદ મનાવે. ’ કાઈ એવા ચાવટીએ કે દૂતી નથી કે જે પ્રેમની પરીક્ષા કરી તેને સાદા ઉતારી આપે, માટે તમે પાતે જ શુદ્ધ ચેતનાને સમજાવા, મનાવો અને હું તમને ખાત્રી આપુ છુ કે તમારું કામ જરૂર પાર પડશે. વ્યવહારમાં પણ પ્રેમના સોદા થતા નથી. વાસ્તવિક પ્રેમ ન હોય ત્યારે એવા ખ્યાલી ઉપર ઉપરના વિવેક કરવા પડે છે. સ્વાભાવિકતામાં અને કૃત્રિમતામાં ફેર છે. તે ધ્યાનમાં રાખી આ પદના ભાવ વિચારીએ તે અ સ્ફુરે તેમ છે. दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट; तनकी तपत बुझाइए प्यारे, वचन सुधारस छांट. रिसानी० २ "" ( ચેતનાને મનાવવા માટે) તમારે જીવના સબંધમાં એ વાત કરવી : એક તે તમારા મનમાંથી આંટી કાઢી નાખો અને બીજી પ્રભુના વચનામૃતરૂપ છાંટણાવડે શરીરના સંતાપ મુઝાવી નાખા, એલવી નાખેા. ’ ભાવ—ચેતનાને મનાવવા માટે વચ્ચે દલાલ-ચેાવટ કરનારનું કામ નથી, એ બતાવી હવે તેને મનાવવાના ઉપાય સુમતિ બતાવે છે. હું ચેતનજી ! તમારે જો ચેતનાને મનાવવી હોય તેા તમારા જીવના સંબંધમાં એ વાત કરી, એ કામ કરો. એ એ કામ ક્યા ક્યા છે, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. ૨ દો. બાતાંવાતો, કામ, કરણી. થકી=જીવની. મેટેા=મટાડી દે. આંટ=ચ, આંટી, તનકી=શરીરની. તપત=સંતાપ, મુઝાઇએ=મટાડીએ, ઓલવી નાખીએ. છાંટ=છાંટણાવડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy