SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રી આનંદધનજીનાં પદો હે ચેતનજી! તમે આ છોકરાને શું મારે છે? એ છોકરે તે તમારા અનેક ભવમાં કરેલાં કર્મરૂપ ત્રણને છેદન કરે તેવો બળવાન છે, વળી તે બાળભેળો છે અને કાલાં કાલાં વચન બોલે છે. અત્ર કરો તે ઉપજતું ઉપશમ સમકિત સમજવું. જરા વખત (અંતર્મુહૂર્ત) ફરસી ચાલ્યું જાય તેને ઉપશમ સમકિત કહેવામાં આવે છે. અનાદિ મિથ્યાત્વી જીવ પ્રથમ એ સમકિત પ્રાપ્ત કરે છે. આખા ભવચકમાં પાંચ વખતથી વધારે વાર ઉપશમ સમકિત જીવ પામતું નથી. એ સમકિત વીજળીના ઝબકારા જેવું છે, એની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. હે ચેતન ! તું ઉપશમ સમકિતરૂપ બાળકને શા માટે મારે છે? એને ઘાત શા માટે કરે છે ? સમકિતની શક્તિ એવી છે કે એ બાળક હોય તો પણ અનાદિ કાળથી લાગેલા અને તેથી વૃદ્ધ કહેવાતા મિથ્યાત્વરૂપ ઋણને ઘાત (નાશ) કરી નાખે છે. એ ઉપશમ સમકિત હજુ બાળક છે, કારણ કે હાલ જ ઉત્પન્ન થયેલ છે અને વળી સંપૂર્ણ જ્ઞાનાભાવી હોવાથી ભેળું છે. એવા બાળભેળા છોકરાને તું શા માટે મારે છે? શા માટે તેને નાશ કરે છે ? વળી તે અમૃત સમાન વચન બોલે છે. સુદેવને એ સુદેવ માને છે. સુગુરુને સુગુરુ માને છે અને શુદ્ધ ધર્મને સુધર્મ માને છે. આવા સાચા અંતઃકરણના અને અમૃત સમાન મીઠાં વચન બોલનારા બાળકને તો તારે રમાડવું એગ્ય છે કે તેને મારવું યુક્ત છે? સામાન્ય નિયમ પ્રમાણે કાલાં વચન બોલનાર છેકરાઓ સર્વને પ્રિય લાગે છે અને તારા સંબંધમાં તો તેથી ઉલટું છે. આ બાળક તો આત્મધર્મ અને કેવલી પ્રણત ધર્મમાં અભેદ બતાવે છે, તને શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવે છે અને સાધ્યનું દર્શન કરાવે છે. એવા બાળકને તું શું જોઈને મારે છે ? તેને શા માટે નાશ કરે છે? તું જે કાર્ય કરે છે તે વ્યવહારથી તદ્દન વિપરીત અને ગેરવાજબી જણાય છે માટે તું જરા વિચાર કર. આ પદનો અર્થ એક ટબા અનુસાર કર્યો છે. એ ટ નં. ૨ નો છે, જેના સંબંધમાં ઉપદુઘાત જુઓ. પૂ૦ મહારાજશ્રી ગંભીરવિજયજીએ કરેલ અર્થ પદને છેડે આપે છે, તે પણ વિચારવા ગ્ય છે. लेय लकुटिया चालण लाग्यो, अब कोई फुटा छे नेण; तुं तो मरण सिराणे सूतो, रोटी देसी कोण ? छोराने. २ (વળી જે ) એ બાળક લાકડી લઈને (ટેકે દઈને) ચાલવા લાગે છે. (હે ડેણ!) તારી શું છે હવે ફૂટી ગઈ છે (કે તું તે દેખતો નથી)? પણ તું તે મરણને ઓશીકે સૂતો છે, ત્યારે તને ખાવાનું કેણ આપશે ?” ૨ લકુટિયા=લાકડી, યષ્ટિ. ચાલણ ચાલવા. કુદા છે ફૂટી ગઈ છે. નેણ=આંખે. સિરાણે એસીકે. રોટી ખાવાનું. દેસી આપશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy