________________
સત્તરમું પદ
૨૨૯ જણ નથી. મિત્ર વિવેક જે ખરા ખોટાનું-સ્વપરનું વિવેચન કરે છે તે તેનાથી દૂર છે અને તેને લઈને ઉપર જણાવેલ પરિણામ આવે છે. હવે મિત્ર વિવેક સમતાને કહે છે કે-હે બાળા ! ચેતનજી સાથે મારે સંબંધ થવા માંડ્યો છે તેથી તેના મનની ગુપ્ત વાત હું તને કહી શકું છું. મેં તેને વસ્તુઓનું વિશિષ્ટ જ્ઞાન આપ્યું છે તેથી હવે તેઓ મમતા માયાને સંબંધ મકી દઈને શુદ્ધ માર્ગ ગ્રહણ કરવા લાગ્યા છે તેથી છેવટે એ મારે મિત્ર ચેતનજી જે વસ્તુસ્વરૂપે આનંદઘન ભગવાન જેવો છે તે તારે મંદિરે પધારશે, અને તારી સેજ પર રંગ જમાવશે, તારી સાથે પ્રેમથી ભેટશે અને તારામય થઈ જઈ તને શુદ્ધ ચેતના બનાવી દેશે અને અંતે સર્વનો મેળાપ અનંત કાળ સુધી રહેશે. મમતા માયાને મૂકી દઈ એક વખત શુદ્ધાવબોધ તેને થશે તો પછી તારે તેની ચિંતા નહિ રહે, માટે તારે શેક કરવાની જરૂર નથી, નાથજીને તેને મંદિરમાં લાવવામાં મારા તરફથી હું બનતી મદદ કરીશ. - સમતા અને શુદ્ધ ચેતના વચ્ચે કઈ વખત ગોટાળો થઈ ગયે લાગે છે તેમ સમજવાનું નથી. વિશિષ્ટ અવસ્થામાં ચેતનની સ્ત્રી શુદ્ધ ચેતના રહે છે અને પ્રાથમિક શુદ્ધ થતી જતી અવસ્થામાં સમતા (સુમતા) તેની સ્ત્રી હોય છે. આગળ જતાં સમતા પિતે જ શુદ્ધ ચેતનાનું રૂપ લે છે તેથી સવ વિરોધ શમી જાય છે. આખા પદને આશય એ જ છે કે–ચેતનને માયા મમતામાં મુંઝાતો અટકાવી તેની શુદ્ધ દશા પ્રગટ થાય તેવો પ્રયાસ કરવાની બહુ જરૂર છે. શુદ્ધ આનંદઘન ચેતનનું તે અંત્ય પર્યવસાન છે અને તે પ્રગટ કરવા માટે જેટલો બને તેટલો પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. એ સંબંધમાં પ્રમાદ કરવાથી પ્રાપ્ત થયેલ ઉત્તમ જોગવાઈને લાભ મળતો નથી અને સંસારપાત થતો જાય છે.
પદ સત્તરમું
(સેરઠ ગિરનારી.) छोराने क्यु मारे छे रे, जाये काट्या डेण; छोरो छे मारो बालो भोळो, बोले छे अमृत वेण. छोराने० १
છોકરાને કેમ મારે છે ? એ છોકરો તારા દેવાને કાપી નાખે છેદન કરે તેવો છે. એ મારો છોકરે બાળમેળો છે અને અમૃત જેવાં વચન બોલે છે.”
ભાવ—ઉપરના પદમાં છેવટે કહ્યું છે કે-મિત્ર વિવેકે સુમતિને કહ્યું કે-નાથ તારા મંદિરે પધારશે અને સેજડીમાં રસરંગ જમાવશે. હવે સુમતિ ચેતનને કહે છે કે
૧ જાયે છોકરે. કાવ્યા=કારી નાખ્યા, છેદન કર્યા. ડેણ=દ્ધ, ઘરડા; અથવા દેવું (કર્મપ્રપંચરૂપ દેવું સમ્યકત્વ પુત્ર ટાળે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org