________________
૨૮
શ્રી આનંદઘનજીનાં પદે હકીકત જરા પણ ગુપ્ત રાખ્યા વગર તમને કહી બતાવી અને તમે તે સમજતા નથી ત્યારે મારે હવે શું ખુલ્લી રીતે ભિખ માગવી, ખેાળા પાથરવા ?
ખોળા પાથરવા એ ગુજરાતી ભાષાનું ખાસ અર્થસૂચક વાક્ય (idiom) છે. સંઘને આમંત્રણ કરવા વિગેરે પ્રસંગે સંઘની પ્રાસાદી મેળવવા બળા પાથરવામાં આવે છે અને ભાષામાં તે ભિક્ષા માગવાના-કૃપા માગવાના અર્થમાં વપરાય છે.
આટલી બધી નમ્રતા બતાવવાનું કારણ પણ શુદ્ધ ચેતના કહી દે છે. હે નાથ ! જ્યારે હું તમારું મુખ જોઉં છું ત્યારે મારા મનનું ડામાડોળપણું ચાલ્યું જાય છે, હું તમારામાં સ્થિર થઈ જાઉં છું અને મારે અને તમારે એક વાર મેળાપ થયા પછી કઈ કાળે પણ વિરહ થતો નથી. આવી રીતે મારે અને તમારે મેળાપ મારા મનની જે અસ્થિર અવસ્થા છે તે દર કરી નાખે છે. મનમાંનું દુઃખ દૂર કરી નાખે છે અને તે સ્થિતિ નિરંતરને માટે પ્રાપ્ત થાય છે તેથી હે નાથ ! મારે મંદિરે જરૂર પધારે.
मित्त विवेक वातें कहें, सुमता सुनि बोला;
आनंदघन प्रभु आवशे, सेजडी रंग रोला. निश० ५ ઉપર પ્રમાણે સુમતાના બેલો સાંભળીને ( ચેતનને સુમતાન) મિત્ર વિવેક વાતમાં કહે છે કે--આનંદરાશિ ભગવાન તારી સેજ પર પધારશે અને રંગ વરસાવશે.”
ભાવ-શુદ્ધ ચેતનાએ (સુમતાએ) નાથજીને પધારવાના સંબંધમાં ઉપર પ્રમાણે વિલાપ કર્યો, આમંત્રણ કર્યું તે બાજુમાં રહીને મિત્ર વિવેક સાંભળતો હતો. શુદ્ધ ચેતનાને આ પ્રમાણે વિલાપ કરતી સાંભળી વિવેક મિત્રે તેને (સુમતિને) કહ્યું કેહે સુમતા ! સાંભળ ! આનંદરાશિ ભગવાન-સ્વયં અખંડાનંદસ્વરૂપ ચિદાનંદ ચેતનજી તારા મંદિરે હવે જરૂર પધારશે, અને રંગ ઉડાડશે, આનંદ કરશે, મજા કરશે; માટે હવે તારે વિલાપ કરવો ઉચિત નથી.
ચેતનને જ્યાં સુધી સદસવિવેક થતો નથી ત્યાં સુધી તે પરભાવમાં રમણ કર્યા કરે છે. તે સમજતો નથી કે સ્વવસ્તુ શું છે અને પરવસ્તુ કઈ છે? તેથી તે પરભાવમાં રમણ કરવામાં આનંદ માને છે અને તેની અસર એટલે સુધી થાય છે કે પરભાવ તે તેને સ્વભાવ જેવો થઈ જાય છે. વિષય, કષાય, નિદ્રા, વિકથા, પ્રમાદ વિગેરેના સેવનમાં તેને એટલે આનંદ આવે છે કે તે તેમાં તન્મય થઈ જાય છે, તદ્રશ્ય થઈ જાય છે અને સંસાર વધારતો જાય છે. આ સર્વનું કારણ એ છે કે તેને વસ્તુસ્વરૂપનું જ્ઞાન નથી, ભાન નથી, સમ
૫ મિર=મિત્ર. વાતેતેથી અથવા વાતમાં. સનિ=સાંભળ. બેલા વચન. સેજડી=બિછાને પર. રંગ રસરંગ. રોલા વરસાવશે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org