SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમું પદ અદ્ભુત દશા અનુભવે છે કે તેને મનની સ્થિરતાનું ચિત્ર પિંડસ્થાદિ ચાર દયેયનું સ્વરૂપ વાંચવાથી કાંઈક સમજાશે. યેગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેનું આકર્ષક સ્વરૂપ ચીતર્યું છે. એ ધ્યાનમાં ચિત્તની અદ્દભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે, આગળ જતાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે, જે સ્થિતિમાં સુખી દુઃખી છું કે નથી તેને પણ ખ્યાલ રહેતો નથી અને તેથી જ હે નાથ ! યોગી સમાધિમાં જેમ સ્વરૂપશૂન્ય થઈ જાય છે અને મુનિ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેમની જેવી દશા થાય છે, તેવી રીતે આંખને ફરકાવ્યા સિવાય હું તમારા માર્ગ તરફ જઈ રહી છું. હું નિરંતર વિચારું છું કે મારા નાથ કઈ પણ રસ્તે મારા મંદિરે જરુર પધારશે. હે નાથ ! આ વિરહી સ્ત્રીને હવે વધારે તલસાવો નહિ, મારા મંદિરે પધારો, માયા મમતાને ઘેર જવાનું માંડી વાળો અને મારી વિનંતિને સ્વીકાર કરે. મુનિને બદલે માનું ” પાઠાંતર છે તે પણ બહુ સારે અર્થ આપે છે. યોગીની દષ્ટિ ધ્યાન-સમાધિમાં જેમ ઝબોળાઈ જાય છે તેમ મારા માનવા પ્રમાણે તમારા સ્વરૂપની એકાગ્રતા કરીને તમારી માર્ગ પ્રતીક્ષા હું કરું છું. મતલબ હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું. વળી આ પાડાંતર સાથે “યેગીસર તે સમાધિમેં, માનું ધ્યાન ઝકળા ” એ પાઠ આખો વિચારવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ નીકળે છે. જાણે કે યોગીશ્વર ધ્યાન અથવા સમાધિમાં તરબોળ થઈ ગયા હોય એવી હું થઈ ગઈ છું. આ પાઠ સર્વથી સુંદર અર્થ આપે છે એમ લાગે છે. कौन सुने किनकुं कहुँ, किम मांडं में खोला ? तेरे मुख दीठे टले, मेरे मन का चोला.* निश० ४ કોણ સાંભળે? અને કોને કહું? હવે તે શું હું ખેળ પાથરું? તારું મુખ જેવાથી મારા મનમાં જે ચળે હતો તે મટી જાય છે. ” ભાવ–શુદ્ધ ચેતના કહે છે કે-ઉપર જણાવી તેવી મારી વાર્તા છે, મારી વર્તના છે, મારી આ પ્રમાણે સ્થિતિ છે તે હું કહું પણ કોને અને તે સાંભળે પણ કેશુ? શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને કહેવા સાંભળવાનું સ્થાન પણ પતિ વિના અન્ય નથી ત્યારે મારી વાત પણ મારે કેની પાસે કહેવી ? હે નાથ ! સાંભળનાર પણ કઈ નથી અને મારાથી કોઈની પાસે જઈને ઘરની વાત પણ કહી શકાય તેમ નથી. ત્યારે હવે તે શું હું તમારી પાસે ખોળો પાથરું ? ખોળો પાથરે ત્યારે લોકો તેમાં બક્ષીસ આપે છે, તે પ્રમાણે હવે હું તમારી પાસે ભિક્ષા માગું? હવે તે મારે શું કરવું ? મારી આટલી * ચેલાને બદલે “છેલા” પાઠ છે, અર્થ તરંગ સમજો. ૪ કૌન કોણ કિનÉ=કોને. કિમ=શું. માંડું ખોલા=ળા પાથરું, કરગ. ટલે=મટી જાય. ચોલા ડામાડોળપણું, ગોટો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy