________________
૨૨૬
શ્રી આનંદઘનજીનાં પદે કરું છું કે કદાચ નાથ તે રસ્તે પધારશે અને તેમ કરવામાં મારી આંખનું મટકું પણ હું મારતી નથી. મારાં ચક્ષુ આપના માર્ગ ઉપર એવાં સ્થિર કરું છું કે જેવું ગીનું સાધ્ય સમાધિમાં અથવા મુનિનું મન ધ્યાનમાં સ્થિર થાય છે. પાતંજલ ગદશનકારે યેગનાં આઠ અંગ જણાવ્યાં છે તેમાં સમાધિ એ આઠમું અંગ છે, અને તે મત પ્રમાણે યેગીની એમાં પરિસમાપ્તિ થાય છે. ગદર્શનના મત પ્રમાણે મેંગનાં પાંચ અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ મંદાધિકારીને માટે બતાવેલાં છે,
જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ તે વિશિષ્ટ અધિકારીને સામાન્ય છે. પ્રસ્તુત સમાધિનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, તહેવાથwાત્રનિર્માણ કરવામા સમiધા ધ્યાન જ્યારે ધ્યેયરૂપ અર્થના આકારને જ નિર્ભાસ કરાવે છે અને પિતાના સ્વરૂપથી જાણે શૂન્ય હોય એવું થાય છે ત્યારે સમાધિ કહેવાય છે. ધ્યાનઅંગમાં અને સમાધિઅંગમાં ફેર એટલો છે કે ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથ૬ ભાન હોય છે અથવા બીજી રીતે કહીએ તો ધ્યાનમાં બેયાકાર વૃત્તિનો પ્રવાહ વિચ્છિન્ન હોય છે અને સમાધિમાં અવિચ્છિન્ન હોય છે. એગદર્શનના મત પ્રમાણે સમાધિમાં જે શૂન્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે જૈન દર્શનના ગજ્ઞાનને ઈષ્ટ નથી, પણ અત્ર તે વિષય પ્રસ્તુત નથી તેથી તેની ચર્ચા પણ અપ્રાસંગિક ગણાય; છઠ્ઠી પદના વિવેચનમાં અને ઉદ્દઘાતમાં તે સંબંધી કાંઈક ઉલ્લેખ કર્યો છે. તાત્પર્યાર્થ એ છે કે આવા પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવી એ યેગીનું પરમ સાધ્ય રહે છે અને જ્યારે તેને તે પ્રાપ્ત કરે છે ત્યારે વસ્તુતઃ તે તે
ધ્યેયને પ્રત્યય જ હોય છે, પણ તે અખંડિત ધારાવત ચાલતો હોવાથી વ્યક્તિને તે દયથી પૃથક રૂપે જણાત બંધ થાય છે અને તે વખતે દયેય સ્વરૂપનો તેને જે નિર્ભાસ થાય છે તેમાં ધ્યેયાકાર વૃત્તિનું પૃથક જ્ઞાન જતું રહેતું હોવાથી તે સ્વરૂપશૂન્ય હોય એમ થાય છે. આવી સમાધિમાં એક સરખો પ્રવાહ ચાલતાં જે ધારા પ્રસરે છે, મનની એકાગ્રતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે તેવી રીતે હે નાથ ! આપના માગરૂપ ધ્યેયને હું અનિમેષ દષ્ટિએ જોયા કરું છું.
તેવી જ રીતે મુનિરાજ જ્યારે ધ્યાનમાં જોડાય છે ત્યારે તેઓના મનની સ્થિરતા એટલી હદ સુધી વધી જાય છે કે છેવટે માગને પણ નિરોધ થાય છે. શુભ ધ્યાનમાં જૈન શાસ્ત્રકાર ધર્મધ્યાન અને શુક્લધ્યાન બે ગણે છે. તેમાં થેયના પિંડ, પદસ્થ, રૂપથ અને રૂપાતીત ભેદો અને તેના વિભેદ બહુ વિચારવા ગ્ય છે, તેમ જ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનવિચય ધર્મધ્યાનનું સ્વરૂપ તેમ જ શુક્લધ્યાનના પૃથફત્વવિતર્ક સપ્રવિચાર, એકવિતક અપ્રવિચાર, સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ અને ઉછિન્નક્રિય અનિવૃત્તિનું સ્વરૂપ વિચારવા યોગ્ય છે. જ્યારે મુનિ ધર્મધ્યાનારૂઢ થાય છે ત્યારે એવી
* આ સમાધિનું સ્વરૂપ સમજવા લાગ્યા છે. વિશેષ જિજ્ઞાસુએ પાતંજલ યોગદર્શનના તૃતીય પાદના ત્રીજા સૂત્ર પર વિવેચન જેવું. (પૃષ્ઠ ૨૯૮. પ્રે. કણીયાનું ભાષાંતર-દ્વિતીયાવૃત્તિ. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org