SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમું પદ ૨૨૫ માણેક પાંચ હજારનું છે, આ દશ હજારનું છે, આ વીશ હજારનું છે વિગેરે, પણ મારા પ્રીતમ સુખદાયી માણેક છે, તેની કિમત તે ઝવેરી પણ કરી શકે તેમ નથી. ઝવેરી કિમત કેમ કરી શકતા નથી ? તેનું કારણ બતાવતાં પહેલાં આપણે જાણવું જોઈએ કે લાલ માણેકની કિમત ઝવેરી રિસ્પરસ માણેકને સરખાવીને કરે છે, એક માણેકની કિમત કરતાં બીજા માણેકમાં તેજ (lustre ) વિશેષ હોય તો તે બંને સાથે મૂકીને તેની કિંમત આંકે છે, પણ મારા લાલ રંગીલાની સાથે મૂકી શકાય એવું ઓછી વધતી કિમતનું જ્યાં રત્ન જ ન હોય ત્યાં તેની કિમત કેવી રીતે આંકી શકાય ? જેને સરખાવવા માટે અન્ય રત્ન નથી, તેની કિમત શું હોઈ શકે ? એ તે અમૂલ્ય છે. માણેકના પટંતરમાં રહેલ માણેક તેને ઓછી વધતી કિમત બતાવે છે, પણ આ તે જેની સાદશ્યમાં મૂકી શકાય એવી વસ્તુ (પૌદ્ગલિક) દુનિયામાં છે જ નહિ તો પછી તેની કિમત કેવી રીતે થઈ શકે ? શુદ્ધ દશામાં વર્તતા આત્માનું તેજ નિરંતર એક સરખું જ રહે છે, તેમાં વધઘટ થતી નથી, તેમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ભરપૂર હોય છે, તેના તેજનો પ્રકાશ આંતરચક્ષુને એક સરખો મળ્યા કરે છે. આવા તેજવાળા આત્માની-લાલ રંગીલા નાથની કિમત કઈ ઝવેરી પણ કરી શકે તેમ નથી, કારણ કે તે અમૂલ્ય છે. पंथ निहारत लोयणे, द्रग लागी अडोला; जोगी* सुरत समाधिमें, मुनि+ ध्यान झकोला. निशदिन० ३ અનિમેષ ચક્ષુ લગાવીને મારી આવડે (પતિનો માર્ગ નિહાળું છું; જેમ ચગી સમાધિમાં સુરત રાખે છે અને મુનિ ધ્યાનની લહેરમાં મન રાખે છે તેમ.” ભાવ–હે નાથ ! મારો તમારા ઉપર એવો પ્રેમ છે કે મારી આંખને ફરકાવ્યા વગર, એક ક્ષણ પણ બંધ રાખ્યા વગર તારો માગે હું જોયા કરું છું. વિરહી સ્ત્રી પતિની રાહ જુએ છે, પતિની વાટ જુએ છે, જે દિશા તરફથી પતિ આવવાના હોય તે તરફ જોયા કરે છે. શુદ્ધ ચેતના કહે છે કે-હે નાથ ! હું તમારા આવવાના માર્ગ તરફ આંખને અટકાવ્યા વગર જોઉં છું કે મારા નાથ આ માર્ગે આવશે. સમતાના માર્ગ ઉપર નજર રાખી બેસી રહું છું, સંતોષના માર્ગ તરફ આંખ લગાડી માર્ગપ્રતીક્ષા કરું છું કે મારા નાથ એ માર્ગે પધારશે. વ્રત-નિયમના માર્ગે ચક્ષુ સ્થિર * જોગી સુરતને બદલે “જેગીસર” એવો પાઠાંતર છે. જેગીસર એટલે ગીશ્વર-વિશિષ્ટ યેગી સમજ. + મુનિને બદલે “માનું ' પાઠાંતર છે, તે પર વિવેચન ભાવાર્થ માં જુઓ. ૩ પંથ=માગ. નિહારત જોઉં છું. લેણે=લેચનવડે, આવડે. દ્રગ=આંખ, ચક્ષ. લાગી= વળગી છે. અડાલા હીલચાલ વગરની, અડગ, અનિમેષ. સુરતનેજર. ઝકેલા લહેરમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy