________________
સર
શ્રી આનથનજીનાં પદ્મ
અને કદાચ ભાસ થઇ જાય તે તેટલે દરજ્જે પેાતાની ભૂલ કબૂલ કરવાની સરળતા પણ પ્રાપ્ત થાય નહિ.
“ મેલ વગરનું હૃદયકમળ વિકસ્વર થયું, ( આત્મ ) ભૂમિ પર વિષયરૂપ ચંદ્રની કાંતિ મંદ થઇ ગઇ. ( હવે તે। ) આનંદઘન માત્ર વલ્લભ લાગે છે, બીજા લાખા કરાડા વલ્લભ નથી લાગતા. ’’
अमल कमल *विकच भये भूतल, मंद विषय शशि कोर आनंदघन एक वल्लभ लागत, और न लाख किरोर. मेरे० ३
ભાવ-જ્ઞાનરૂપ ભાનુના ઘટમાં ઉદય થયા ત્યારે હૃદયકમળ વિકસ્વર થયું. કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હા ધરે ચંદણું પ્રીત ' સૂર્યંના ઉદય થયે સૂર્યવિકાસી કમળ વિકસ્વર થાય છે અને ચંદ્રના ઉદય થતાં રાતે કુમુદ વિકસ્વર થાય છે. હૃદયકમળ વિકસ્વર થયું એટલે હૃદયમાં એક પ્રકારની જાગૃતિ થઇ ગઇ, તેમાં આનંદ આનંદ પ્રસરી ગયા.
દ
વળી સૂર્યના ઉદય થવા માંડે છે ત્યારે ચંદ્રની કાંતિ ઝાંખી થતી જાય છે તેમ જ્ઞાનભાનુને ઉદય થતાં આત્મભૂમિ ઉપરથી વિષયારૂપ ચંદ્રની કાંતિ ઝાંખી પડવા લાગી. પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષય છે. રાગદ્વેષ પર જય મેળવવાથી અને વસ્તુસ્વરૂપનું જ્ઞાન થવાથી વિષય ઉપર પ્રેમ મંદ થતા જાય છે, વિરસ વિષયપુષ્પ ઉપર મનભ્રમર રખડતા બંધ થતા જાય છે, તેને તેમાં પ્રેમ થતા નથી, રાગ થતા નથી, આનદ થતા નથી. પછી આ જીવને ખાવામાં, પીવામાં, પહેરવામાં, એઢવામાં, રૂપ જોવામાં, સુંઘવામાં કે સાંભળવામાં જે રસ પડતા હતા તે અટકી જાય છે.
હવે તે માત્ર આનંદરાશિ ભગવાન તેને વલ્રભ લાગે છે, ખીન્ન લાખા કરોડો ઉપર તેને પ્રથમ જે રાગ થતે, તેઓ તરફ આકર્ષણ થતુ હતુ, તે ઉપર લય લાગતી હતી તે સ અટકી ગયું અને હવે તે સ તદ્દન ફીકા લાગે છે, રસ વગરના લાગે છે, દમ વગરના લાગે છે. જ્ઞાનભાનુ ઉદય થતાં આવી રીતે શુદ્ધ ચેતનાના વિરહકાળ પૂર્ણ થાય છે, આત્મવિભૂતિ પ્રગટ થાય છે, વિષયપ્રેમ મંદ થતા જાય છે અને આનંદઘન ભગવાન તરફ એકતાન લાગે છે અને મન અન્યત્ર જ્યાં ત્યાં ભટકતુ હતું તે એક ઠેકાણે સ્થિર થઇ જાય છે.
વિષયપ્રતિભાસ કે આત્મપરિણતિમત્ જ્ઞાન થાય ત્યાં સુધી વસ્તુસ્વરૂપના શુદ્ધ
* વિચ ભયે ભૂતલને બદલે ‘વિકચ નમ્રતલ ' એવા પાડે છે.
૩ અમલમેલ વગરનું, નિર્મળ, વિચવિકસ્વર. ભયેથયું. ભૂતલ=પૃથ્વીતલ, આત્મભૂમિકા. નમ્રતલ એ પાઠાંતરનો અર્થ મળતા નથી. કાર=કાંતિ. એકમાત્ર વલ્લભવહાલા. કરાર–કરાડ, સેા લાખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org