________________
૧૨૩
સોળમું પદ અવધ સાથે વર્તન થતું નથી. અત્રે જે જ્ઞાનભાનુનો ઉદય થયો તે તત્વસંવેદન જ્ઞાન સમજવું. વિષયપ્રતિભાસ, આત્મપરિતિમત અને તત્વસંવેદન જ્ઞાનનું સ્વરૂપ બહુ વિચારવા લાયક છે. એના સંબંધમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે એક અષ્ટક લખ્યું છે તે મનન કરવા યોગ્ય છે. સ્થળસંકોચથી અત્ર તે પર વિશેષ વિવેચન કર્યું નથી. તાત્પર્યાર્થ એ છે કે વસ્તુસ્વરૂપ ઓળખી, યથાસ્થિત સ્વપર વિવેચન કરી, આત્મિક ધર્મો અને પૌગલિક પદાર્થો સાથે સંબંધ વિચાર, ઓળખવો અને બન્નેને ભેદ કરી સ્વને આદરવો અને પર ત્યાગ કરવો તે તરવસંવેદન જ્ઞાન છે.
અનુભવ પોતે આ ઉદ્ગાર કાઢે છે અને ચેતનજીને સમજાવે છે કે-જ્યારે જ્ઞાનભાનુનો ઉદય તમારા ઘટમાં થશે ત્યારે તમારી અત્ર વર્ણવી છે તેવી સ્થિતિ થશે. આ પ્રમાણે ભાવ વિચારવાથી ચેતનની અત્યારની દશા અને ભવિષ્યની દશા સાથે સંબંધ બરાબર ખ્યાલમાં આવશે અને આગળ પાછળના પદો સાથેનો સંબંધ બેસતો આવશે. છુટા પદ તરીકે પણ ઉપર જે અર્થ કર્યો છે તે યુક્ત જણાય છે.
પદ સોળમું
( રાગ-મારુ ) निशदिन जोउं (तारी) वाटडी, घरे आवोने ढोला; निश० मुज सरिखी* तुज लाख है, मैरे तूही ममोला. निश. १
હે રંગીલા લાલ ! રાત દિવસ હું તારી વાટ જોઉં છું કે તમે (મારે) મંદિરે પધારે; મારી જેવી તારે તે લાખે છે અને મારે તો હું એક જ અમૂલ્ય છે.”
ભાવ–એક વિરહી સ્ત્રી પિતાના પતિને ઉદ્દેશીને કહે છે કે હે પતિ ! હું તો રાતદિવસ તમારી રાહ જોઉં છું, માટે તમે મારે મંદિરે પધારો અને પરસ્ત્રીને મંદિરે ભટકવાનું મૂકી દે. હે નાથ ! તમારે તો મારા જેવી લાખો સ્ત્રીઓ છે પણ મારે તો તમારે એકલાને આધાર છે, તમે મારે મન અમૂલ્ય છે.
હવે એ ગાથાને આધ્યાત્મિક અર્થ વિચારીએ. શુદ્ધ ચેતના ચેતનને કહે છે કેહે હેલા ! એટલે રંગીલા લાલ ! અનાદિ કાળથી રાત દિવસ હું તે તમારી રાહ જોયા કરું છું, તમારે માગ જોયા કરું છું, તમારા માર્ગ તરફ ચક્ષુ અનિમેષદષ્ટિ રાખી
* સરિખીને બદલે “સરિખે ' અથવા “સરિખા” એવા પાઠાંતરો અન્ય પ્રતોમાં છે અને તુજને બદલે “હે ” એ પાઠ છે.
૧ નિશદિન રાતદિવસ, સર્વ કાળ વાટડી-વાટ, રાહ અથવા માર્ગ. ઢેલા લાલ, રંગીલા. મરે=મારે. તુહીeતું જ. મમલા=અમૂલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org