________________
પદ્મરક્ષુ' પદ
૨૨૧
ભાવા પ્રગટ થાય છે અને સત્ર પ્રકાશ થાય છે. એ જ્ઞાન આત્મિક સ્વભાવ છે, તેની મૂળ વસ્તુ છે અને તન્મય છે. સૂર્યથી જેમ વિશ્વમાં પ્રકાશ થાય છે તેમ જ્ઞાનથી લોકાલાક પર પ્રકાશ પડે છે. તેના અતીત, અનાગત અને વર્તમાન ભાવા વિશિષ્ટ જ્ઞાનથી પ્રત્યક્ષપણે અને મતિશ્રૃતથી પરાક્ષપણે ભાસમાન થાય છે. વળી આ પ્રકાશ પડે છે તે સામાન્ય નહિ પણ ચતુર-વિચક્ષણ છે, જે એના મહિમા સમજે તે પરમ આહ્લાદ પામે, જે તેને અનુભવે તે અપૂર્વ રસલીન થાય એવે તે પ્રકાશ પરમ જ્યાતિસ્વરૂપ છે.
સૂર્યના ઉદય થતાં જેમ અધકારનો નાશ થઈ જાય છે તેમ જ્ઞાનભાનુના ઉદય થતાં બ્રાંતિરૂપ અંધકારનું જોર ચાતરફ હતુ તે ખસી જાય છે. અત્યાર સુધી આ જીવ ખાવામાં આનંદ માનતા હતા, સ્ત્રીસંયોગમાં સુખ માનતા હતા, સુંદર વાજિંત્રના સરાદમાં લીન થતા હતા, સારાં કપડાં પહેરવામાં માન સમજતા હતા, મુસાફરખાનાને ઘરનું ઘર સમજતા હતેા, ધનપ્રાપ્તિને સ`સ્વ ગણતા હતા, પૌલિક વસ્તુને પાતાની માનતા હતા એવી રીતે એ પેાતાનાને અને પારકાને આળખતા નહાતા, એવી સવ આમતેમાં જે આનંદ માનતા હતા તે ભ્રમજ્ઞાન હતું, જ્યાં સુખ નહાતુ, જે સુખ નહતું ત્યાંથી તે સુખ શેાધતા હતા અને તેની પ્રાપ્તિને સુખ માનતા હતા. એ સ ભ્રાંતિમય જ્ઞાન હતું તે સૂર્યના ઉદય થવા સાથે ચાલ્યું ગયું. પ્રત્યક્ષ દર્શન થવાથી ભ્રમ ભાગી ગયા અને શુદ્ધ વસ્તુસ્વરૂપનું દર્શન થવા લાગ્યું.
વળી આ ભ્રમાત્મક જ્ઞાન હતુ. તે દૂર થવાથી એક બીજો મોટો લાભ થયે તે બતાવે છે. સાધારણ રીતે રાતે ચારી થાય અને ખાસ કરીને ઘાર અંધારી રાતે ચારી થાય ત્યારે તેના પત્તો મેળવવા મુશ્કેલ પડે છે. પ્રભાત થયા પછી પગીને મેલાવી
ચારને શેાધવાના ઉપાય યોજાય છે. હવે આ ચેતનજીનાં જ્ઞાનદર્શનચારિત્રરૂપ મહામૂલ્યવંત રત્નાની ચારી થઇ ગઇ હતી, પણ ભ્રમરૂપ અંધકારના જોરને લીધે તેના ચારના પત્તો લાગતા નહેાતે; હવે જ્યારે આત્મિક પ્રભાત થયુ ત્યારે ચેતનજીને સમજાયું કે આ તે। પેાતાની ચારી કરનાર પોતે જ હતા. મેાહનીયાદિ કમ` પરતંત્રતાને લીધે વસ્તુસ્વરૂપ ન ઓળખવાથી આપણાં જ્ઞાનાદિ રત્ના ઢંકાઇ ગયાં હતાં, પણ તેનું ચારનાર કાઇ ખીજું નહાતું. રત્ના તે ઘરમાં ને ઘરમાં જ હતાં, પણ આપણે તેને શેાધી શકતા નહાતા. એને કર્માદિ ચારા લૂંટી લે છે એમ માનતા હતા તે તે આપણું અજ્ઞાન હતું. વાસ્તવિક રીતે તે મારી ઋદ્ધિને છુપાવી દેનાર હુ પાતે જ હતેા, તે ઋદ્ધિને છુપાવી દેનાર કર્મના કર્તા પણ હું પોતે હતા. આવી રીતે ચારીના પત્તો લાગ્યા અને અન્યને ચાર કહેવાના વિચાર હૃદયમાં થતા હતા તે નીકળી ગયા. ખરેખર ! આવી જાતની કબૂલાત આપવી એ પણ અતિ વિષમ છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાન—ભાનુને ઉદય થાય નહિ ત્યાં સુધી પોતાની ચારી કરનાર પાતે જ છે એવા ભાસ થાય નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org