SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી આન ધનજીનાં પદ્મા માયા– રહે છે અને મારી સામું પણુ જોતાં નથી. હું તેએને ખતાવી આપું છું મમતા અધમ કુળની છે, અજાણ્યા ગામની રહેનારી છે અને કુલટા છે, પણ મારા પતિ તે એટલા કઠણ થઈ ગયા છે કે હું ગમે તેટલી વાત કરું છું પણ તે સમજતા જ નથી. મે તેને અનેક આકારમાં વાત કહી, તેના માહરાજા સાથેના યુદ્ધવૈભવ સંભળાવ્યા, તેના જીતડકામાં થતે ગંભીર નાદ કહી ખતાબ્યા, પણ એ તેા મમતામાયા સાથે નરમ ઘેંસ જેવા થઈ જાય છે ( જુએ પદ દશમું) અને મારી પાસે આવવાની વાત થાય કે તદ્દન કઠણ બની જાય છે. આટલી સર્વ વાતથી પણ તે તે સમજતા નથી અને મને પેાતાને એવી પીડા થઈ છે કે પતિ વગરની એક ક્ષણ જાય છે તે છ માસ જેવી થઈ પડે છે. કુળવધુને પતિની સેાખતમાં આનંદ રહે છે અને પતિવિરહે એક સેકન્ડ છ માસ જેવી લાગે છે, એક મિનિટ વરસ જેવી લાગે છે, એક રાત આખા ભવ જેવી લાગે છે. વળી તેઓ મમતા–માયાની સેાખતમાં પડી એક મિનિટમાં એટલેા કર્માંધ કરે છે કે મારા મદિરે તેમને પધારવાના વરસાથી લખાતા જાય છે. સમય હે અનુભવ ! આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. મારા પતિ ને શુદ્ધ દશામાં આવી જાય, માયા મમતાના સંગ મૂકી દે અને ગુણ ગ્રહણ કરવા લાગે તે તેએ પેાતે જ આનંદઘન છે, આનંદના સમૂહ છે, સિદ્ધ દશાના ભાગવનાર છે; તેમણે જાણવુ જોઇએ કે હું જ ખરી તેમના ઘરની સ્ત્રી છું, તેમની પટરાણી છું, તેમના હૃદયમાં જગ્યા રોકનારી છું, તેને ચેાગ્ય છું, તેઓની કીતિ અને ખ્યાતિ વધારનારી છું અને માયા મમતા કે બીજી કોઇ પણ તેઓના પ્રેમનું પાત્ર હાલ બની હોય તે સવ ગપ્પા સપ્પા છે, લખાડપણું છે, ગાલ પુરાણ જેવુ' છે, છેતરપીંડીના ધંધા છે, માત્ર ખાલી અકખકાટ છે, એમાં કાંઈ દમ જેવુ નથી, એમાં કાંઇ સાર જેવુ' નથી, એમાં કાંઇ તત્ત્વ જેવુ નથી. જે સ્ત્રીઓ મારા પતિની સ્ત્રી કહેવરાવવાને યોગ્ય પણ ન હાય, જે કુળવધના નામને પણ લાયક ન હોય, જે શુદ્ધ પતિપ્રેમા, પતિપરાયણા, પતિભક્તા ન હોય તેને સ્ત્રી કહેવી તે માત્ર વાજાળ છે, શબ્દાનું અજ્ઞાન છે, અસત્ય વચનવિન્યાસ છે. સુમતિ અનુભવને ઉદ્દેશીને ખેલતાં ખેલતાં આવેશમાં આવી જઇ ઉદ્ગાર કાઢે છે કે હું આનંદઘન ભગવાન ! મારા નાથ ! મારા પતિ ! હું તમારા ઘરની ખરી શ્રી છું અને આ બીજી તે। લખાડ સ્ત્રીઓ છે, એનુ સ્વરૂપ તમે સમજો, વિચારા, ધ્યાનમાં લાવો. આખા પદમાં કહેવાના આશય એ છે કે-માયા મમતામાં મસ્ત રહેનાર ચેતન તેનુ વાસ્તવિક સ્વરૂપ સમજતા નથી, તેનુ પરિણામ સમજતા નથી, તેનાથી થતા સંસારસંબંધ (સંસારવૃદ્ધિ) ધ્યાનમાં લાવતા નથી અને તેથી સ્વપરના ખ્યાલ કર્યા વગર નિરંતર પરવસ્તુને પેાતાની માની તેમાં રમણતા કર્યા કરે છે, તેની પ્રાપ્તિમાં આનદ માને છે અને તેના વિયોગમાં શૂન્ય હૃદયના થઈ જાય છે. આના પરિણામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy