________________
શ્રી આનઘનજીનાં પદ્મા
ભાવ—સુમતિના ઉપર જણાવેલા પ્રશ્ન સાંભળી અનુભવ ઉતર આપે છે કે-હે સુમતિ ! તું મને માયા મમતાના કુળધર્મોનું પૂછે છે પણ એના જવાખમાં તને કાંઇ સતે।ષ થશે નિહ. વાત એમ છે કે ચેતનજી જ્યારે એની સાબતમાં હાય છે, એના મંદિરમાં હોય છે ત્યારે આનંદમાં આવી જાય છે, લહેરમાં આવી જાય છે, પ્રમાદમદિરાના પાનમાં મસ્ત અની સદદ્વિવેક ભૂલી જાય છે તેથી પછી તે કુલટા છે, વેશ્યા છે કે કુળવધુ છે તેની જરા પણ તપાસ કરતા નથી. લેાકમાં કહેવત છે કે ‘ રાજાને ગમી તે રાણી અને છાણા વીણતી આણી. ' એટલે એની સાથે પછી તત્સંબંધી વાત પણ કાઇ કરતું નથી અને મેહમદિરામાં મસ્ત અનેલા ચેતનજી તે સંબધી વિચાર પણ કરતા નથી; એ વાત તે! ઠીક પણ તું દિલગીર કેમ દેખાય છે ? તારા શાકનું કારણ તે મને સમજાવ. મારું કથન તેા એ છે કે તારે તે તારું કામ કર્યા જ કરવું, તારું રૂપ પ્રગટ કરવું અને પતિને પેાતાના મંદિરે ખે`ચી લાવવા, પણ વારુ, તારી ઉદાસીનું કારણ શું છે તે મને બતાવ. સુમતિ કહે છે—અનુભવ ! મારી ઉદાસીનું કારણ શુ છે તે હું તને કહી સંભળાવું છું તે ખરાબર ધ્યાનમાં લઇ તે પર વિચાર કર. જે ગમે તેમ તે પણ ચેતનજી મારા પતિ રહ્યા, તેએ માયા મમતા જેવી કુલટાનાં મદિશમાં ફર્યો કરે, રખડ્યા કરે અને મારી સામુ પણ જુએ નહિ, પણ હું તે તેમની એક પતિવ્રતા સ્ત્રી રહી, તેથી મારાથી કાંઇ પતિના સર્વથા ત્યાગ થઈ શકે નહિ. સુજ્ઞ પતિવ્રતાના ધમ છે કે પતિ તેને ખીજે, લડે કે તિરસ્કરે, તે પણ મનસા વચસા કમા એ પતિના ત્યાગ કરે નહિ, એને છેડે નહિ, એની સેવના એક ચિત્તથી કર્યા કરે. આ પ્રમાણે હાવાથી મારા પતિને તજી શકાતા નથી અને અમારા લેાકમાં તેની મશ્કરી થાય છે તે સાંભળી હું ખળી મરું છું. તું જાણે છે કે મનુષ્ય પોતપાતાના નાના સર્કલ( વતુ`લ )માં સામાન્ય રીતે માન-પ્રતિષ્ઠા મેળવવા અને તેને સારો અભિપ્રાય પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને તેમાં માનહાનિ ન થાય તેની ખાસ સંભાળ રાખે છે. મારા સ'ખ'ધીએ મહાવ્રત, જ્ઞાનદષ્ટિ વિગેરે અનેક છે, તે મારા પતિની ઠેકડી કરે છે કે-અહા ! જેનાં કુળધર્મો તથા ઠામઠેકાણાં જણાયેલ નથી, જે પ્રત્યક્ષ વ્યભિચારિણી છે, જેના વેશ, હાવભાવ અને કટાક્ષ દુઃશીલા સ્ત્રી જેવાં છે તેવી પણ્યસ્ત્રી મમતાના સંગમાં એને પિત તે। પડી રહે છે, એ તેા મૂખ છે, ગાંડા છે, અલહીન છે. આવી રીતે મારી દેખતાં મારા પતિની હાંસી થાય છે તે હું સહન કરી શકતી નથી, મારી ઉદાસીનતાનુ કારણ તે જ છે. અનુભવ ! મારા પતિને હુ છેાડી શકતી નથી અને તેમની મશ્કરી થાય તે હું સહન કરી શકતી નથી. આ વિચારથી મારા મન પર શાકની છાયા આવી ગઇ છે.
જે બે પાડાંતર નેટમાં મૂકા છે તે બહુ સારા અથ આપે છે. સુમતિ પોતે
શર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org