SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આરભુપદ ૨૦૯ પડે છે. વળી જ્યારે સોગઠી લપમાં પડે છે ત્યારે પણ પે! આવતાં વખત લાગે તે અન્ય રમનાર । લઇને પેાતાની સોગઠી ગાંડી કરે છે તે જીતવાની અણી ઉપર આવેલી માજી પાછી ફરી વાર શરૂ થાય છે અને ઘણી વાર હાર ખાવી પડે છે. આવી રીતે ઘરે આવેલી સાગડીને બેસવા માટે પણ પગડાની (પોની ) જરૂર પડે છે અને એવી રીતે લપમાં પડતાં અને ા મેળવતાં વખત લાગે તે માજી હારી જવાય છે. જો આનંદઘન પ્રભુ મહારાજ આ પગડુ' બતાવી આપે તે આ જીવ એક ચાલમાં આખી બાજી જીતી જાય છે, નહિ તે ત્રણ ત્રણ સાગડી ડુબાડી દીધેલ હાય છતાં પણ બાજી હારી જાય છે, બધાં ઘર વટાવીને આવેલ હાય તા પણ છેવટે રખડી પડે છે અને જે પે। આવી જાય તે ‘હું જીત્યા, હું જ્યે' એમ પાકાર કરીને કહે છે. ચારમાંથી ત્રણ સાગડી ડૂબી ગયેલ હોય અને બીજા દાણા ચાલવાની જગ્યા ન હોય ત્યારે જ આવી સ્થિતિ થાય છે, તેમ જ ઉપશમશ્રેણી માંડે ત્યારે ચેતનજીના એવા જ હાલ થાય છે. જેમ દાણા વધારે આવી જાય અને ચાલવાનુ હાય નહિ ત્યારે વારવાર ખડું કરવું પડે છેતેમ ઉપશમશ્રેણીગત જીવને અગિયારમાં ગુણસ્થાનકેથી પાછા છ, સાતમે, પાંચમે, ચેાથે, બીજું કે પહેલે પણ પડવું પડે છે. આવી રીતે જીતેલી ખાજી હારી જવામાં માત્ર એક પગડાને વાંધા આવે છે; તેમ જ જો ભાવિવેકનુ એક પગડું' ન આવે તે આ જીવ ઉપર નીચે અથડાયા પછડાયા કરે છે, પણ તેના ઈંડા આવતા નથી. એ પગડાને શ્રીપ્રભુના ચરણકમળની સેવા એકદમ બતાવી આપે છે અને એવી રીતે વખતસર જો એક પગ આવી જાય તે। આ જીવ ખાજી જીતી જઈ આનંદમાં આવી નિરંતર લહેર કરે છે. વળી ભાવ શબ્દના અર્થ ભાવલેસ્યા કરવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ થાય છે. દ્રવ્યથી આ જીવને છ લેસ્યાઓ ઘણીવાર થાય છે પણ શુદ્ધ ભાવલેશ્યા છેવટની ત્રણ થાય ત્યારે જ આ જીવને પે। આવ્યુ' ગણાય છે. મતલબ ગ્રંથીભેદની નજીક આવે ત્યારે પણ તે માત્ર 'ભાવતેજૉલેસ્યા નજીક આવ્યા ગણાય છે. આ ભાવલેશ્યા પ્રાપ્ત કરવારૂપ પગડું પણ તેણે મેળવવાનુ છે. હે આનંદઘન નાથ ! આવી રીતે હું એકેદ્રિયાદિ તિય ચગતિમાં અને નારકીમાં રખડ્યો, કાઇ વાર મનુષ્ય થયા, મદ્ધિક દેવ પણ થયા, કાઈ કોઈ વાર તે। સંસારના છેડે આવી પહેાંચ્યા, પણ સદ્વિવેક મને પ્રાપ્ત થયા નહીં, તેથી પાછા વળી ચક્રભ્રમણમાં પડી ગયા. આપ કૃપા કરી હવે મારા ચારાશીના ફેરા અળસાવી દે, મને ભાવિવેક પ્રાપ્ત કરાવી આપે અને આ મારી ચેાપાટની બાજીમાં એક પે। ખાતર મારે આટલી વાર ખડું કરવું પડે છે, પાછા ફરવું પડે છે અને રખડપટ્ટી કરવી પડે છે તે કોઇ રીતે મારા પર કૃપા કરીને અટકાવે. મારી સંસાર ખાજી જીતી જાઉં અને મારા ભવના ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy