________________
૨૦૬
શ્રી આનંદઘનજીનાં પ લેશ્યાને રસ તદ્દન તીખે, કાપિત લેશ્યાને રસ આમળા જેવો કસાયો, તે લેશ્યાને રસ કેરીના રસ જેવ, પદ્મ લેશ્યાને રસ મદિરા જેવો મધુર અને શુકલ લેશ્યાને રસ શેલડીના રસ જેવો મિષ્ટ હોય છે. પ્રથમની ત્રણ લેશ્યા અતિ દુર્ગધી અને મલિન છે તેમ જ તેઓને સ્પર્શ ઠડો, લૂખે અને જરા પણ પસંદ આવે તેવો નથી; તેથી ઉલટી બાકીની ત્રણ લેશ્યાઓની ગંધ અતિ સુંદર, સુગંધી યુક્ત અને નિર્મળ છે તેમ જ તેને સ્પર્શ સ્નિગ્ધષ્ણુ છે. આપણે અનુભવ ઉપરથી જોઈ શકીએ છીએ કે જેવા જેવા વિચારે થાય છે તે પ્રમાણે મુખાકૃતિ ઉપર રંગ ફેરફાર થયા કરે છે. એ લેસ્થામાં વર્તતા નું વર્તન કેવું હોય છે, તેની દશા કેવી હોય છે, તેની સ્થિતિ કેટલી હોય છે વિગેરે ઘણી ઉપયોગી હકીકત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના લેશ્યા અધિકારથી જાણવી. અત્ર સિદ્ધાંતમાં બતાવેલ એક દષ્ટાંત બહુ ઉપગી હેવાથી તે સંક્ષેપથી બતાવીએ, જેથી જૂદી જૂદી લેશ્યાઓમાં વર્તાતા જીવોના અભિપ્રાય સમજાશે. છ મનુષ્ય ભૂલા પડીને મહાભયંકર અટવીમાં આવી પડ્યા અને ભૂખ્યા થવાથી ચારે દિશામાં ખાવાનું શોધવા લાગ્યા. તરફ નજર ફેરવતાં તેઓએ એક જાંબુ વૃક્ષ જોયું. તેના ઉપર જાંબુ લટકી રહ્યાં હતાં અને તે વૃક્ષ જાણે વટેમાર્ગુને પોતાના તરફ આમંત્રણ કરતું હોય તેવું સુંદર દેખાતું હતું. તે જોઈ એક વટેમાર્ગ એ કહ્યું કે-આ વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું હોય તે આપણને જાંબુ ખાવાની બહુ મજા આવે. બીજાએ કહ્યું કે–આખું વૃક્ષ શામાટે પાડી નાખવું ? જે મોટી ડાળોમાં ફળો છે તેને કાપી નાંખે. ત્રીજાએ કહ્યું કે-મોટી ડાળીઓનું આપણે શું કામ છે ? નાની નાની ડાળીઓ પર જાંબુ છે તેને કાપી કાપી નીચે નાખે એટલે આપણું કામ થશે. ચેથાએ કહ્યું કેગુચ્છામાં જાંબુ છે તેને જ તોડી પાડે ને, આપણે મટી કે નાની ડાળીઓનું શું કામ છે? પાંચમાએ કહ્યું કે-આપણે તે ગુચ્છાનું પણ શું કામ છે? જાંબુને જ નીચે પાડો કે જે ખાઈને આપણે ધરાઈ જઈએ. છઠ્ઠાએ કહ્યું કે–આ નીચે ઘણાં જાંબુ પડ્યાં છે તે જ વિને ખાઈએ, ઉપરથી જાંબુ પાડવાનું પાપ આપણે શા માટે વહેરવું જોઈએ? આ છએ માણસે વેશ્યાવાળા સમજવા. આ જાંબુના દષ્ટાંતનાં ચિત્રો પણ જોવામાં આવે છે જેથી આ હકીકત બરાબર સમજાઈ જાય છે. આ પ્રમાણે વેશ્યાની જે હકીકત લોકપ્રકાશ ગ્રંથને આધારે બતાવી છે તેમાંની કેટલીક સેગઠાબાજીની રમતમાં ઘટાવી છે અને કેટલીક બાજી રમવાની જૂદા જૂદા દેશની પદ્ધતિ જૂદી જૂદી હોવાથી સમજાઈ શકી નથી તે વિદ્વાન વાંચનારે ઘટાવવા યત્ન કરો. બાકી સંગઠીના રંગને વેશ્યાના રંગ સાથે પૂરતો સંબંધ છે એમ તે સ્પષ્ટ જણાય છે.
પાટના સંબંધમાં આપણે હવે કેટલીક રમત જોઈએ. રમત રમતાં રમતાં કઈ વાર જૂદી જૂદી ચાલે ચાલતાં નવા નવા આવિભો થાય છે. ચારે પટમાં થઈને રાશી ઘર છે તે આપણે જોયું છે. લીલી સોગઠી રાશી ઘરે ફર્યા કરે છે, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org