SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી આનંદઘનજીનાં પદ પ્રાપ્ત થતાં વાર લાગતી નથી અને તે અવસ્થામાં પ્રમોદ થતાં જીવ જ્યારે ક્ષપકશ્રેણી માંડી તેમાં છ દાણાને ઉમેરે કરી દે છે એટલે એકદમ સાત ને છ તેર થાય એટલે તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી ચાર અઘાતી કર્મ સહિત થોડે વખત ત્યાં રહે છે અને છેવટે એક દાણે તેમાં વધારી ચતુર્દશ ગુણસ્થાનક અગી કેવળીદશા પંચ હસ્વાક્ષર કાળ પર્યતા અનુભવી સાધક દશામાંથી સિદ્ધદશામાં ચાલ્યા જાય છે. આવી રીતે ચૌદે દાણું મેળવવાથી–તેને સરવાળો કરવાથી–બરાબર વિવેકપૂર્વક તેની વ્યવસ્થા કરવાથી હિસાબ બરાબર થઈ જાય છે, હિસાબને છેડે લીંટીઓ દોરાઈ જાય છે અને કર્મનું ખાતું ખલાસ થાય છે. વિવેકપૂર્વક જેને એ હિસાબ કરતાં આવડે તેનું એમાં કામ છે. જો દાણ ગણીને સરવાળો કરી બરાબર સોગઠી ચલાવતાં ન આવડે તો વળી રખડપટ્ટો થાય છે, માટે સોગઠી ચલાવવાનો વિવેક શીખે, તેનાં બધાં ઘરે ઓળખે, તેને કોનાથી ભય છે તે સમજો, તે ભયમાંથી મુક્ત થવારૂપ મધ્યસ્થાન કેમ પ્રાપ્ત થાય તેની ગણતરી કરે, તેને માટે વિવેક વાપરે અને છેવટે તે પ્રાપ્ત કરે, જેથી આ અરઘટ્ટ ઘટીને છેડે આવે, નકામા આંટાઓ મટી જાય, ભવના ફેરાને નાશ થાય, સંચારચક પર બ્રેક ચડે અને નિરંતર સ્વરૂપાનંદમાં રમણ થાય. चउराशी माहे फिरे नीली, स्याह न तोरी जोरी लाल जरद फिर आवे घरमें, *कबहुक जोरी विछोरी. प्राणी० ४ “લીલી સેગડી ચોરાશીમાં ફરે છે, કાળી ગઠી જોડી તેડતી નથી, લાલ અને પીળી કોઈ વાર જોડી છેડી દઈને ફરી કદાચ ઘરમાં આવે છે.” - ભાવ–આ ગાથાને અર્થ વિચારતાં પહેલાં લેશ્યાનું સ્વરૂપ જરા સમજી લેવું પ્રાસંગિક થઈ પડશે. જેમ શુદ્ધ સ્ફટિક કૃષ્ણ તેમજ રક્તાદિ વર્ણવાળા દ્રવ્યની પાડોશમાં આવે ત્યારે તેના પરિણામમાં ફેરફાર દેખાય છે તેમ કૃષ્ણ આદિ દ્રવ્યના સંયોગથી શુદ્ધ આત્માને જે અભિનવ પરિણામે થાય તેને વેશ્યા કહેવામાં આવે છે. જ્યાં જ્યાં ગ હોય ત્યાં લેહ્યા હોય અને જ્યાં ગ ન હોય ત્યાં લક્ષ્યા ન હોય તેથી મન, વચન, કાયાના ગાંતરમાં રહેલ દ્રવ્યને વેશ્યા કહેવામાં આવે છે અથવા તો ગના પરિણામને વેશ્યા કહેવામાં આવે છે. આત્માના સૂક્ષ્મ સ્વતંત્ર પરિણામને “અધ્યવસાય ” કહેવામાં આવે છે, પુગળના ઉપષ્ટભને આધારે થતા પરિણામને લેફ્સા કહેવામાં આવે છે. કર્મબંધમાં કષાયે સ્થિતિબંધ અને અનુભાગબંધ કરે છે ત્યારે આ ગાંતર્ગત લેશ્યાઓ પ્રકૃતિબંધ કરે છે, જો કે કષાને સદ્ભાવ ત્યાં સુધી સહાયક દ્રવ્ય તરીકે * કબુહક પાઠાંતર છે. - ૪ ચઉરાશી માંહે રાશી ઘરમાં, રાશીના ફેરામાં. નીલ-લીલી. સ્યાહાકાળી. તરીકનોડી. જેરી યુગ, જુગ. જરદ પીળી. ઘરમેં=ઘરમાં, આત્મસ્વભાવમાં. કબહુક=કઈ વાર. વિછેરી છોડી દઈને. Jain Education International Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy