SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું પદ ૨૦૧ થવાથી તરત જ બાકીના ત્રણ ઘાતી કર્મના ક્ષય થઈ જાય છે. એ માહનીય ક ઘાતી છે. તેની સ્થિતિ પણ સૌથી વિશેષ સીત્તેર કાડાકોડી સાગરાપમની છે અને તે મિથ્યાત્વ, કષાય, નાકષાય, વેદાદિ દ્વારા જીવને અનેક પ્રકારના નાચ કરાવે છે. ચતુતિમાં ભ્રમણ કરાવનાર એ પાસાથી જેવા દા પડે છે તે પ્રમાણે સેગઠી ચાલે છે, એક ઘરમાંથી બીજા ઘરમાં જાય છે, એક પતમાંથી બીજા પતમાં જાય છે અને વળી કેાઇ વાર ઘેર પણુ પાછી આવે છે; તેમજ આ જીવ પણ એક ને એક ગતિમાં ફર્યા કરે છે, બીજી ગતિમાં જાય છે અને વળી કાઈ વાર પાછા નિગેાક અવસ્થામાં પણ પડી જાય છે. જ્યાં સુધી રાગદ્વેષના પાસા પડ્યા કરે છે. ત્યાં સુધી ચારે ગતિમાં આ જીવ રખડ્યા કરે છે. જ્યારે રાગદ્વેષના પાસા પડવા બ`ધ થાય ત્યારે જ ચતુતિ ભ્રમણના ઈંડા આવે છે, એ હકીકત નિરંતર લક્ષ્યમાં રાખવાની જરૂર છે. દા પડે તેવા સગઠીના પ્રયોગ કર્યા વગર તે માજીના નિયમ પ્રમાણે ચાલે નહિ, પણ જે સભાળ રાખી આજી માંડે છે, પાસા ખરાખર નાખી જુગીઆ દાણા લઇ પેાતાની સોગઠી મરવા દેતા નથી તે પાસાને કખામાં કરી, ચારે પત એળગી જઇ મધ્યસ્થાનમાં પહેાંચી જાય છે, જ્યાં ગયા પછી સાગઠીને પાછું ફરવું પડતું નથી, કેાઈનાથી મરવું પડતું નથી અને આગળ પાછળની બીજી સાગઠીથી ભય રહેતા નથી. રાગ કેશરી રાજા હોઈ વિષયાભિલાષ મંત્રી સાથે પાંચ ઇંદ્રિયારૂપ છેકરાઓને લઇને આ જીવ ઉપર કેવા પ્રપંચ ચલાવે છે અને તેમાંથી બચવાના ઉપાય તરીકે સદાગમ સાથે વિવેક પતના અપ્રમત્તતા શિખર જે ચરણધમ' રાજાશ્રિત છે, તે પર બેસવુ’-એ હકીકત શ્રી ઉપમિતિભવપ્રપંચની અદ્ભુત કથા લખનાર શ્રીમાન સિદ્ધષિ ગણિએ એ ગ્રંથના ચેાથા પ્રસ્તાવમાં બહુ ચમત્કારિત રીતે બતાવી આપી છે. દ્વેષગજેંદ્રના લશ્કરને પણ એવા જ ખ્યાલ તેમાં આપ્યા છે. શ્રીમદ્યશેાવિજયજી પણ રાગના સ્વાધ્યાયમાં કહે છે કે~~ જેહુ સદાગમ વશ હાઇ જાશે ૨, અપ્રમત્તતા શિખર વાસે રે, ચરણ ધર્મ નૃપ શૈલ વિવેકે ૨, હા ન ઢળે રાગી ટકે રે. આ મે।હુ રાજાના સુભટા પર જય મેળવી ચતુતિની રમત બંધ કરેા, એમાં જીવના સાદે છે, માથું મૂકવાની રમત છે, કેાણી પરના ગેાળ ખાવાના છે. એ પાસામાં કેવી યુક્તિખંધ ચેાજના કરી છે તે હજુ પણ વધારે વિચારવા લાયક છે. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy