SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદે ભાવ—ઉપર જણાવ્યું તે પ્રમાણે મેહ રાજાને હટાવી દઈને ચેતનજી જ્યારે શુદ્ધ દિશામાં વર્તે છે ત્યારે કેવળજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપસરા તેની પાસે રસ અને રંગ સાથે ગાન કરે છે તે તેને વરે છે). જેમ રાજા મહાન લડાઈમાંથી જય મેળવીને આવે છે ત્યારે તેની પાસે વારાંગનાઓ નાચ કરી આનંદ આપે છે અને રંગ ઉડાડે છે, ચતરફ ઘુઘરીને ઘમકાર-ઝાંઝરનો ઝણકાર અને નૂપુરને થનકાર થાય છે, તેમ આ ચેતનજી પાસે કૈવલ્યજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સરા તેના સુંદર આકારમાં ગાન કરે છે. તેના આત્મપ્રદેશે ઈન્દ્રિયને અગોચર પ્રત્યક્ષ જ્ઞાનથી સર્વ વસ્તુને અનુભવ સમકાળે કરે છે, તેના રસમાં તે લયલીન થાય છે, તેના રંગમાં તેને પ્રેમ આવે છે, તેની બાબતમાં તેને ધૂન આવે છે અને તે સર્વત્ર આનંદ આનંદમય થઈ જાય છે અથવા કેવળ કમળારૂપ સુંદર અપ્સરાના ઉપદેશથી આ જીવ ગાન કરવા મંડી જાય છે, તેમાં લયલીન થઈ જાય છે અને તેમાં પ્રેમ લાવે છે, તેના મનમાં સેહ સેહેન જાપ ચાલે છે, તેના કાનમાં અનાહત નાદ સંભળાય છે. આવી મહાન જીત પોતે કરી છે એ વિચારથી જીતને ડંકે વગાડીને આનંદસ્વરૂપ-શુદ્ધ ચિદાનન્દઘન ચેતનજી મને–શુદ્ધ ચેતનાને આખા શરીર પર ધારણ કરે છે. મમતાને તે કયારથી હાંકી મૂકી હોય છે અને હવે મને તેના આત્મપ્રદેશમાં ધારણ કરી દે છે, મને પિતામય બનાવી મૂકે છે. આવા ચેતનજી પિતાના સ્વરૂપ-સિંહાસન પર પિતાના સર્વ પ્રદેશે મને-શુદ્ધ ચેતનાને ધારણ કરીને બેઠા છે કે તેનું વર્ણન બંદીજન મુખથી કરી શકે નહિ, ચીતારે તેને ચીતરી શકે નહિ, કવિ તેને વર્ણવી શકે નહિ. ચેતનજી જ્યારે શુદ્ધ અનુભવની રીતિ વરવા લાગ્યા, ધારણ કરવા લાગ્યા ત્યારે પછી તેને મેહ સાથે મેટું યુદ્ધ થવાનું જ, તેનું છેવટ (પરિણામ) કેવું સુંદર આવે તેને ચીતાર અત્ર આપવામાં આવ્યો છે. એ દશા પ્રાપ્ત કરવા એગ્ય છે કે નહિ એ અત્ર ખાસ વિચારવાને પ્રસંગ છે. મમતાનું કુટિલપણું આગલા પદમાં બતાવ્યું છે, સુમતિ સાથે પ્રીતિ કરવાથી જે અનુપમ આનન્દ થાય છે તેને સામાન્ય ખ્યાલ અત્ર બતાવ્યા છે. અલબત્ત, એમાં મેહ રાજા સાથે મહાભયંકર યુદ્ધ કરવાનું છે, પ્રબળ પુરુષાર્થ ફેરવવાને છે, દઢ આત્મસંયમ કરવાને છે, વિપુલ જ્ઞાનદષ્ટિ જાગ્રત કરવાની છે, નિરુપમ સ્વરૂપદશામાં લીન થવાનું છે અને શુદ્ધ એકાગ્રતા રાખવાની છે; પણ ભયંકર લડાઈને પરિણામે નિઃસીમ આનન્દ થવાને છે, પરિણામ અતિ આકર્ષક છે અને પ્રયાસ કરવામાં આવે તે પ્રાપ્ય છે; માટે ગ્ય વિચાર કરી ચેતનજીને પ્રેરણા કરે કે મમતા માયાના સંગમાં પડ્યા રહ્યા છે તેને હવે છોડી દે અને સ્વરૂપદશા પ્રાપ્ત કરવા માટે સુમતિને સંગ આદરે. એમ કરવાથી એક પતિવ્રતવાળી શુદ્ધ ચેતના સાથે નિરંતરને સંગ થઈ આનન્દરસ ઝીલાશે એ શંકા વગરની હકીકત છે. ટૂંકી દૃષ્ટિને માર્ગ મૂકી દઈ કાંઈક વિચારે, ઉઠે, જાગ્રતા થાઓ, અનાદિ અભ્યાસ પર હવે પદાઘાત કરે અને અનંત સુખ તરફ દૃષ્ટિક્ષેપ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy