________________
૧૯૧
અગિયારમુ પદ
વાત કરે છે. હે શ્રદ્ધા ! આવી રીતે ચેતન અને મારી વચ્ચે પડી દલાલીનુ કામ કરનાર કાઇ નથી. તેઓ તા મમતાનાં મંદિરે પડ્યા રહે છે અને મારા સંબંધી વાત આવે છે કે તે કઠોર બની જાય છે. હું તેા તેમને રીઝવવા ગાયન ગાઉં છું, સમજાવુ' છુ, પગે પડું છું, પણ તેઓ મારી વાત તરફ લક્ષ્ય આપતા નથી. જો સિખ ! તે દૂર ઊભા ઊભા આપણી વાત સાંભળે છે, આટલી આટલી મે તારી પાસે વાત કરી તેઓએ સાંભળી છે તે પણ તે આંખ આડા કાન કરે છે, મારા મ ંદિરે પધારતા નથી, ત્યારે હવે તે શું હું ઢોલ વગાડું? મેં આટલી વિનતિ કરી, મારે તેઓ સાથેના સંબધ તેને બતાવી આપ્યા, મમતા તેની વગેાવણી અને હાંસી કરાવે છે એ બતાવી આપ્યું અને હું તેઓનું એકાંત શ્રેય કરનાર છું એમ સ્પષ્ટ સમજાવી આપ્યું, છતાં પણ મારા પતિ તે મારા તરફ કઠોર જ રહે છે ત્યારે સિખ ! મારે તે હવે શું ઢોલ વગાડવા ?
અમુક મનુષ્યની વિનતિ કરવા છતાં પણુ માને નહિ ત્યારે આ પ્રમાણે કહેવાના પ્રચાર છે કે ભાઇ ! હવે તે શું ઢોલ વગાડીએ અમારાથી બને તેટલું કર્યું, અને તેટલી રીતે સમજાવ્યા, છતાં પણ એ ભાઈશ્રી તે માનતા નથી ત્યારે શું કરીએ ? શુદ્ધ ચેતના તે ભાષાના ઉપયોગ કરી કહે છે કે આટઆટલી વાત મેં મારા પતિને હું સિખ ! ઘણી વાર કહી પણ તે તે મારા મંદિરે પધારતા જ નથી, સિખ ! બહેન ! હું મારા દુઃખની વાત તે કેટલી કહું ? હવે તા કેાઇ ઢોલ વગાડે તા જૂદી વાત છે, મારી કથા કહેવામાં તે કાંઈ વળે તેમ લાગતું નથી.
આ પત્તુના આ પ્રમાણે અર્થ વધારે સમીચીન લાગ્યા છે, તે આગળ પાછળના પદ્મ સાથે અને ગ્રંથકારની રચનાના મુખ્ય તત્ત્વ સાથે બરાબર અંધબેસતા આવે છે એમ મને લાગે છે. હવે આ પ્રમાણે શુદ્ધ ચેતના અને શ્રદ્ધા વચ્ચે જે વાત થઇ તે ચેતને દૂર રહી સાંભળી તેનું પરિણામ શું આવે છે તે આપણે આગળ જોઇએ છીએ.
પદ્મ અગિયારમુ
રાગ-માલકાશ, વેલાવલ ટાડી
आतम अनुभव रीति वरीरी. आतम
मोर बनाए निज रूप निरुपम, तिच्छन्न रुचि कर तेग धरीरी ; + आतम० १
+ કરીરી ' એવા પાાન્તર છે.
* ‘ તિષ્ઠિન ’ એવા પાટાન્તર છે. ૧ વરીરી=મ્રહણ કરી, અંગીકાર કરી.
માર=માડ, ટોપ-પૂર્વે કપાળ પર લડવૈયા બાંધતા હતા, હાલ લગ્ન વખતે સ્ત્રી બાંધે છે તે આકારવાળા, અન એ=બનાવ્યો. તિચ્છિન્ન=તીષ્ણુ. કર=હાથ, હાથમાં. તેગ=તરવાર, ખડ્ગ. ધરીરી=ધારણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org