SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રી આનૠનજીનાં પદ્મા જવાળા મને રાત્રે ( ઉપલક્ષણથી દિવસે પણુ) ખડુ સંતાપ આપે છે, આટઆટલું સાંભળીને પણ આનઘન પ્રભુ ચેતન મારે મંદિર) જો ન પધારે તે બીજું તે શુ કાંઈ ઢોલ વગાડાય ? ” ભાવ—હું શ્રદ્ધા બહેન ! વળી દલાલ અથવા તીને બધી વાત કહેવી એ પણ પેાતાની જાંગ ઊઘાડવા જેવું છે. તું જાણે છે કે ગમે તેમ છે તે પણ ચેતનજી મારા પતિ છે, મારા નાથ છે, શુદ્ધ દશામાં આવે ત્યારે મારી સાથે રમણ કરનારા છે તેથી અત્યારે તે જો કે તેઓ મારી શેક મમતાના મંદિરમાં રમણ કરે છે, મમતા સાથે આસક્ત થઇ ગયા છે તે પણ તેઓની વાત ખીજાને કરવી એ મારા ઘરનાં છિદ્ર ઊઘાડાં પાડવા જેવું કામ છે અને સુજ્ઞ સ્ત્રીએ પેાતાના ઘરની વાત ખીજાને કરવી એ કાઇ પણ પ્રકારે ઠીક તેા કહેવાય નહિ. હું ગમે તેમ તેાયે ચેતનની સ્ત્રી છું, ચેતનના ઘરની દાસી છું અને ગૃહિણી ઘરની એખ ઉઘાડે એ સતીકતવ્ય કહેવાય નહિ. મારે એમની સાથે રહેવાનું અને અત્યારે હું તેમનું વાંકુ મેલું તેા કુલીન સ્ત્રીને ચેાગ્ય કહેવાય નહિ. આવી જાંધ ઊઘાડવા જેવી અમારી કથા જ્યાં ત્યાં કર્યાં કરવી એ મને તે જરા પણ યગ્ય લાગતું નથી, તે પણ હું સખિ ! મેં જાંઘ ઉઘાડીને પણ મારી વાત તને કરી, કેમકે મારા પતિ મારા મંદિરે પધારતા નથી, મને એકલી રાખી મૂકે છે તેથી તેના વિરહથી ઉત્પન્ન થયેલી જવાળા મને આખી રાત હેરાન કરે છે. પતિ વગરની સ્ત્રીઓની રાતે જે દશા થાય છે તે મારે દરરાજ અનુભવવી પડે છે અને તે મને જરા પણુ પસંદ આવતું નથી. બીજો અર્થ એમ પણ થાય છે કે–મારા પતિ મારી સાથે રીસાણા છે એ વાતની લ′પટ પુરુષાને ખબર પડી છે તેથી તે મને રાતે અનેક પ્રકારના ત્રાસ આપે છે, દુઃખ આપે છે અને મંદિરના કમજો મેળવે છે. આ જાર પુરુષ તે પરભાવ સમજવા. પૌદ્ગલિક ભાવમાં અથવા ચેતનેતર અન્ય વસ્તુમાં રમણુ કરવારૂપ લપટ પુરુષ શુદ્ધ ચેતનાના મદિરના કબજો, ચેતન વિભાવદશામાં હાય છે ત્યારે, લે છે અને પછી તેનાથી અન પરપરા ચાલે છે. જો પતિ મારે ઘેર હાય, મારા મદિરને પાવન કરતા હાય તેા રાગ, દ્વેષ, અજ્ઞાન વિગેરે પરભાવનુ જોર જરા પણ ચાલી શકતું નથી, તેઓ મારા મદિરમાં દાખલ થવાની હિંમત પણ કરી શકતા નથી, પણુ પતિશૂન્ય મ ંદિર જોઇ તેઓ પોતાના દોર સારી રીતે ચલાવે છે અને મને હેરાન હેરાન કરી નાખે છે. અથવા વિરહાનળની જ્વાળા મને આખી રાત હેરાન કરે છે, સળગાવી મૂકે છે, ખાળી નાખે છે અને પતિવિરહિણી સ્ત્રીની પેઠે મને સતાવ્યા કરે છે. જાર ચેતનાને ત્રાસ આપે અને મંદિરના કબજો લે એ પ્રસંગે ચેતન અને ચેતનાને અભેદ્ય કલ્પી ચેતન પર તેઓ પોતાના દોર ચલાવે છે એમ વિચારવું. આનંદઘન શબ્દથી અહીં શુદ્ધ દશામાં આન્યા પછી સમજવા, એએ ભવિષ્યમાં પરભાવ ત્યાગ કરી અખંડ આનંદ કરનાર થવાના છે એ દશાને ઉદ્દેશીને અત્ર તેનાં સંબંધી Jain Education International અખંડ ચિદાનંદસ્વરૂપ ચેતન ભાગવનાર અને તેમાં રમણુ આનંદઘન નામે શુદ્ધ ચેતના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy