________________
૧૮૬
શ્રી આનંદઘનજીનાં પદો તેટલા માટે હે નાથ ! તમે મમતાને સંગ મૂકી દે અને મારા સામું જુઓ. હું તમને ખાત્રી આપું છું કે–તમને હિત કરનાર સમતા સિવાય અન્ય કેઈ નથી, તમે જેને તમારી માને છે તે તે તમને બનાવે છે, એને એળે (પડછાયે) પણ તમે જશો તે પસ્તાશે, માટે તમારા ખરા સંબંધી છે તેને તમે આદરે, તેઓની સાથેનું સગપણ સ્પષ્ટ કરે અને તેઓની સાથે તમારું જીવન ઓતપ્રેત જેડી દે.
પદ દશમું
રાગ-ટડી. परम नरममति औरन आवे. परम.
मोहन गुन रोहन गति सोहन, मेरी वैर ऐसे निठुर लिखावे. परम० १ “બીજી મારી શેક મમતા આવે ( ત્યારે તે) તે અત્યંત નરમ બુદ્ધિવાળે, અતિ આકર્ષક, ગુણને રાશિ અને શોભા કરવાવાળી ગતિવાળો (થઈ જાય છે, અને મારી વખતે તો એ કઠેર થઈ જાય છે.”
ભાવ–આ પદનો ભાવ પ્રથમ મારા ગુરુશ્રીએ જેમ સામાન્યથી લખાવ્યું છે તેમ લખી જાઉં છું. શુદ્ધ ચેતના આત્માને કહે છે કે-હે પ્રેમવંત ! પેલી મમતા આવે છે ત્યારે તે તમે પીગળી જાઓ છો, તમારા વિચાર નરમ ઘેંસ જેવા થઈ જાય છે, વળી તે સર્વ કેવા લાગે છે–આકર્ષણ કરનારા લાગે છે, તમે વિપરીત ગુણની ખાણ થઈ જાઓ છો અને તેની ચાલ શેભા કરવાવાળી છે એમ તમે ધારે છે અને મારો વખત આવે છે ત્યારે તે તમે કઠોર થઈ જાઓ છો.
છૂટક પદના ટબામાંથી આ પદને નીચે પ્રમાણે ભાવ નીકળે છે. “હે શ્રદ્ધા ! પતિના ગુણે પ્રમાણે વર્તન કરી સારી ચાલવાળી સુકેમળ સુમતિ મારી પાસે આવતી નથી અને મારી વરણુ જે કુમતિ છે તે મારા તરફ અતિ કઠેર જણાય છે. આવી મારી સ્થિતિ છે. આ પ્રમાણે મુમુક્ષુ જીવ બોલે છે.”
મને આ પદને ભાવ નીચે પ્રમાણે સ્કુરે છે તે હું લખી નાખું છું. આગલા પદમાં શુદ્ધ ચેતનાએ ચેતનજીને જાગ્રત કરવા માટે બહુ વિનતિ કરી, તેઓને મમતાસંગથી થતી વગેવણ, હાંસી અને સમતાનું એકાંત હિતસ્વીપણું બતાવી આપ્યું, પણ ચેતનજી તે એકના બે થયા નહિ, તેઓ તે મમતાના રંગમાં મસ્ત થઈ સંસારમાં આનંદ માનવા
૧ પરમ=પ્રેમવંત. નરમમતિ નરમ બુદ્ધિવાળા. ઔરન=મમતા વિગેરે બીજી, મેહન=આકર્ષક. નરેન=ગુણના સ્થાન. ગતિ ચાલ. સહન=શોભા કરવાવાળા. વર વખતે. એસ=એવા. નિરનઠોર. લિખાવે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org