________________
૧૮૪
શ્રી આનધનજીનાં પદ્મા વનારી છે; માટે આપ એને શાસ્ત્રવિહિત રીતિએ ત્યાગ કરે. શાસ્ત્રવિહિત રીતિએ છે કે સંસારનુ' સ્વરૂપ ખરાખર ઓળખી, સ્વપરના ખ્યાલ કરી, પરભાવ તરફ વિરાગ લાવી સંસારથી ઉદ્વિગ્ન મન કરવું. માત્ર એ રીતિએ જ આપ ખરાખર મમતાનો ત્યાગ કરી શકશે. બાકી જો ખીજી કોઈ પણ રીતે આપ તેના ઉપર સામ્રાજ્ય ચલાવવા પ્રયત્ન કરશે અને તેના માત્ર તિરસ્કારથી સમજણુ વગર ત્યાગ કરવા દોડશે તે તે બેવડા—દશગણા જોરથી તમારી સામે થશે, તમને વધારે જોરથી સંસારમાં સાવશે અને તમારા નામે ખાટાં ખત બનાવવા મડી પડશે, માટે એના આપ. રીતસર ત્યાગ કરા, તેનાથી આપ ન્યારા થાઓ, તેની સાથેના સંબંધ કાપી નાખા, નહિ તે આપ જરૂર માનશે કે એ તમને વિવિધ પ્રકારે સંતાપ આપશે. ઉપર જણાવ્યું તેમ તે તમને ચારે ગતિમાં ધકેલા ખવરાવશે, તમારી સાથે વિષયકષાયને જોડી દેશે, તમને પ્રમાદમદિરા પાઈ ચકચૂર બનાવી ભાન ભૂલાવી દેશે, તમને વિવેક સાથે સબંધ પણુ કરવા નહિ દે અને તેવી રીતે તમને નીચા અને નીચા ઉતારી છેવટે તમને સંસારસમુદ્રમાં ડૂબાડી દેશે. ( નિગેાદમાં પહેાંચાડી દેશે) અને તે વળી તે સાથે તમારે ગળે એવા પથ્થર માંધશે કે તમે કદિ ઊંચા પશુ નહિ આવી શકે. તમને ઊંચા આવવાના ખ્યાલ પણ નહિ આવે અને તે પ્રમાણે અધમ સ્થિતિમાં રહી અહેાનિશ દુઃખ પામ્યા કરશે.
આવી રીતે મમતા અનેક પ્રકારે સંતાપ આપનારી છે અને વધારે સંતાપ દેનારી થઇ પડશે તેના વિચાર કરે. રિવિધના હરેક પ્રકારે એવા અથ કરીએ તે પણુ દરેક પ્રકારે અહિત કરનાર મમતા છે એમ તેના ભાવ આવે છે એટલે સંતાપ આપવામાં તે કોઇ ભાખતની કચાશ રાખતી નથી, તેના હાથમાં જે ઉપાય આવે તેને તે પ્રયાગ અજમાવી લે છે. મમતા આવી છે તેથી હરેક પ્રકારે તેના ત્યાગ કરવા ઉચિત છે. આવેા અથ હરવિધિના કરેલા જૂની પ્રતમાં છે. અથવા પ્રથમ પંક્તિના બીજો અર્થ આ પ્રમાણે પણુ થાય. · મમતા દાસી છે, અહિત કરનારી છે તેને વિધિપૂર્વક દૂર કર. '
હે નાથ ! અત્યારે તે તમે વિષયકષાયમાં ડૂબી ગયા છે પણ તમારું શુદ્ધ સ્વરૂપ આનંદમય છે, પરમાત્મસ્વરૂપ છે, શુદ્ધ નિર ંજન છે તેને ઉદ્દેશીને હું કહું છું કે હે આનંદધન નાથ ! મેં આપને ઉપર વિનંતિ કરી તે આપે સાંભળી, તે મારી માગણી તરફ ધ્યાન આપે। અને મારી સામું જુએ. હું તમને ખરાખર કહું છું કે તમારું ખરેખરું હિત કરનાર સમતા સિવાય બીજું કાઈ નથી. તમે ગમે તેની પાસે જશેા, ગમે તે ક્રિયા કરા, ગમે તેટલાં અનુષ્ઠાના કરશે, પણ જ્યાં સુધી તમે સમતાના સંગ કરશે નહિ, ત્યાં સુધી સ ફ્રાંફાં છે; કારણ કે તેનાં કુટુ'બીએ સારાં છે, તે સારી છે અને તે તમારી પેાતાની છે, તમારા પર સ્વાભાવિક, નિકૃત્રિમ પ્રેમ રાખનારી છે અને તે હું પોતે જ છું, * આ અર્થ પણ બધએસતા છે જે સબંધ જોવાથી સમજાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org