________________
નવમું પદ
૧૮૩
તારું પેાતાનું માણુસ છે, પણ તે વાત ખરી નથી. એ તા તને સાવનાર, દુ:ખ દેનાર, હેરાન કરનાર છે. જો, આ તારાં સબંધી તે શુદ્ધ સંયમ, ક્ષમા, સતાષ, વિવેક, માવ, આવ, સત્ય, શોચ, બ્રહ્મચ વિગેરે છે, એ તારાં ખરેખરાં કુટુંબી છે, તારા અંગનાં સગાં છે અને વળી ખરેખરાં સજ્જન છે. તેઓ તારારૂપ છે, તારી જેવાં છે, તારા ખરાં વાલેસરી છે, તારા હિતેચ્છુ છે, કર્દિ ખાટું ખત ખતવનારાં નથી, વિડંબના કરનારાં નથી, હાંસી કરાવનારાં નથી. તું સ્વભાવે મીઠા છે, તારા સહજ રૂપમાં હાય ત્યારે અનુપમ સમતાસાગરમાં ડૂબકી મારનારા છે અને તારું કુટુંબ પણ તેવું જ મીઠું' છે. તેઓના અને તારા મેળાપ તે દૂધમાં પતાસુ-સાકર ભળે તેના જેવા મધુર છે. તારી શુદ્ધ દશામાં તું હૈ। ત્યારે તેએ સાથે તારા સબધ ઝળકે છે, પ્રગટ થાય છે, વ્યક્ત રૂપે દેખાય છે, ાલી નીકળે છે અને ખરા સંબંધ તે જ છે, માટે મારું કહેવું માન્ય કરીને વગોવણી કરનાર, મશ્કરી કરાવનાર મમતા સ્રીના સંગ મૂકી દઇ આ ખરા સ`બધી છે તેઓને સબંધ કર, તેઓ સાથે સંબંધ કર અને તેમ કરવા સારું પ્રથમ મને નિહાળ, મારા સામી ષ્ટિ કર, મને જો. હે નાથ ! તું સારી રીતે જાણે છે કે હુમેશાં દૂધની અંદર સાકર ભળે છે અને છાશમાં મીઠું ભળે છે, તે આ દૂધના સંબંધીઓમાં તારા સંબંધરૂપ સાકરને ભેળવ અને મીઠાશમાં વધારો કર, ખાકી મમતાની સંગતમાં તે મીઠું જ ભળશે, કારણ કે તેને સ્વભાવ છાશ જેવા છે. તેની સાથે તેા ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, શાક, ભય, દુગ’છા, વિષય વગેરે જ આવશે, માટે હું ફરી વાર વિનતિ કરીને કહું છું કે-તું મારા સામુ જો અને મમતાના સંગ દૂર કર.
ममता दासी अहितकरी हरविधि, विविध भांती संतासी;
आनंदघन प्रभु विनंती मानो, और न हितु समतासी. नाथ० ॥३॥
“ મમતા દાસી દરેક પ્રકારે અહિત કરનારી છે, તેથી તે તને અનેક પ્રકારે સંતાપ આપશે. હું શુદ્ધ આનંદસ્વરૂપ નાથ ! મારી વિનતિ શ્રવણુ કરા, સમતા જેવું–(સમતા સિવાય) બીજું કેાઇ હિત કરનાર નથી. ”
ભાવ—મારા નાથ ! એક બીજી વાત કહું તે પણ સાંભળે. એ મમતા કે જેના સંગમાં આપ પડી ગયા છે તે કાંઇ શેઠાણી કે રાજપુત્રી નથી, એ તા દાસી છે, માહુ રાજાના ઘરની પરિચારિકા છે, ખદી છે અને આપ જેવા ઉત્તમ પુરુષ દાસી સાથે સંબંધ કરે તે કોઈ રીતે ઉચિત ગણાય નહિ. વળી તે આપને અનેક પ્રકારે નુકશાન કરનારી છે, આપને નરક નિગેાદમાં નાખનારી છે, સંસારમાં રઝળાવનારી છે અને મહાચક્રભ્રમણ કરા
૩ અહિતકરી—અહિત કરનારી. હર=દૂર કર. વિધિ=વિધિપૂર્વક, હરવિધિકાઇ પણ પ્રકારે. ભાંતી= પ્રકાર. સંતાસી=સંતાપ આપશે. પ્રભુ=ભગવાન, નાથ માતા=શ્રવણ કરા. ઓર=મીજી. હિંતુ=હિત કરનાર. સમતાસી=સમતા જેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org