SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી આનંદઘનજીનાં પદે તારી પિતાની વગોવણી અને જગતથી થતી મશ્કરી ( તું હાથે કરીને વહેરી લે છે). (હવેતને ડહાપણ કેણુ બતાવશે? જુઓ પિતાનું કુટુંબ જે સજજન છે તેઓને મેળાપ તે એ છે કે જે દૂધ અને પતાસાને મેળાપ હોય.” ભાવ–મારા નાથ ચેતનજી! તેં જોયું કે એ મમતા ખોટું ખાતું ખતવે છે. તે પણ બે રીતે સમજવું: એક તે પિતાના ખાતામાં જમે રકમમાં પાપપ્રકૃતિ અથવા કર્મ પ્રકૃતિ વધારે રાખી (વધારે કર્મબંધ કરી) તને નિરંતરને દેવાદાર રાખશે અથવા રકમ બેવડી તેવડી ખેાટી રકમ તારે ખાતે ઉધારી દઈ તને હેરાન કરી તારી સામા હુકમનામાં મેળવી તને નિરંતર સંસારરૂપ કેદખાનામાં નાખી મૂકશે. આવી રીતે તને ભવિષ્યમાં નિરંતર દુઃખ કર્યા કરશે. આ ઉપરાંત તને કેટલું દુઃખ તેની સોબતથી થશે તે હું કહું છું જે સાંભળી તે પર તું વિચાર ચલાવ. એ મમતા તને આખી દુનિયામાં વગોવનારી છે. દુનિયામાં સર્વ પ્રકારનાં દુઃખ આપનાર તે જ છે, કારણ કે કર્મબંધ દુઃખનું કારણ છે અને કર્મબંધ મમતાથી થાય છે. બીજી રીતે તું જઈશ તે નરક, નારકાદિ ગતિમાં પાડી વિડંબના કરાવનાર પણ તે જ છે. અધમમાં અધમ ગતિમાં એકલનાર, ચાંડાળ કુળમાં જન્મ આપનાર, ડુક્કર તરીકે વિષ્ટ ખવરાવનાર, વિષ્ટામાં કીડા તરીકે ઉત્પન્ન કરનાર, વનસ્પતિપણામાં ટકાના ત્રણ શેર લેખે વેચાવનાર અને આખી દુનિયા તારી મશ્કરી કરે એવી સ્થિતિમાં તને મૂકનાર એ જ મમતા છે. વળી પૈસા ચાલ્યા જાય કે સ્ત્રી પુત્રનું મરણ થાય ત્યારે તું શેક કરવા બેસે છે પણ તેમાં તું તારી પિતાની જ હાંસી કરાવે છે. પ્રથમ મમતા કરતી વખતે વિચાર કરતે નથી અને પછી તેનું અનિવાર્ય સ્વાભાવિક પરિણામ આવે ત્યારે મેટેથી રડવા બેસે છે એ અતિ મશ્કરીનું કારણ છે. વળી તું આવી રીતે ધણી ધારી વગરને ચારે ગતિમાં જ્યાં ત્યાં રખડ્યા કરે છે તેથી પણ સુજ્ઞ મનુષ્ય પોતાના અંતરંગમાં તારી હાંસી કરે છે. તેઓ વિચારે છે કે આ અજબ શક્તિવાળે ચેતન મમતા જેવી કુલટા સ્ત્રીને વશ થઈ કે નાચ નાચે છે! કે રખડે છે ! અને કે મૂર્ખ બને છે ! વળી મારા નાથ ! આવા સુંદર મનુષ્યભવમાં પણ તું મમતાના સંગમાં પડી જઈ કાંઈ અભિનવ ગુણની પ્રાપ્તિ કરતા નથી તે પછી નિગોદાદિ અધમ ગતિમાં જઈશ ત્યાં તને ડહાપણ કેણું બતાવશે? મમતાના સંગથી જે ખોટું ખાતું ખતવાય છે તેથી એવી દુર્ગતિમાં જવું તે જરૂર પડશે અને પછી ડહાપણ બતાવનાર-શુદ્ધ માર્ગ બતાવનાર ત્યાં તે કઈ મળશે નહિ તેથી તારે તે એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પડવું જ પડશે, માટે એવા ખાતાને સંબંધ છેડી દે અથવા એવા ખાતાં ખતવનાર મમતાને સંગ છેડી દે અને મારી સામી નજર કર, મને ભેટ, મારા મંદિરે પધાર. હે નાથ ! ઘણુ વખતના સંબંધથી કદાચ તને એમ લાગતું હશે કે મમતા એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy