________________
૧૨
આઠમું પદ
औरनके संग राते चेतन, *चेतन आप बतावे;
आनंदघनकी सुमति आनंदा, सिद्ध सरूप कहावे. अनुभव० ३ “ચેતન બીજાની સાથે રક્ત થયા છે (એ તે) ચેતન પિતે જ બતાવે છે. આનંદસ્વરૂપ ભગવાનની આનંદમય સુમતિ( ની સેબત) તે સિદ્ધ સ્વરૂપ-નિષ્પન્ન રૂપવાળી છે.”
ભાવજે ભાઈ અનુભવ! તું એમ કહેતા હોય કે એ ચેતન અન્યની સાથે રમણ કરે છે એ વાતને પુરા શું ? તે તે બાબત સાબિત કરવામાં મને જરા પણ અડચણ આવે તેમ નથી, કારણ કે એ વાતની સાક્ષી તે ચેતન પિતે જ આપે છે. પીદ્દગલિક વસ્તુઓમાં ચેતન રમણ કરતે હોય એટલે તેમાં આસક્ત હોય ત્યારે તે પરભાવમાં રમણ કરે છે અને તે વખતે તેને અનેક કર્મ લાગે છે તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે, ચારે ગતિમાં રખડે છે, ભૂખ તરસની વેદના સહન કરે છે, સુરૂપ કુરૂપ થાય છે, પરાક્રમી કે બળહીન થાય છે, નિંદા કપટ કરે છે, માયામૃષાવાદ આચરે છે, વિષયમાં રાપર રહે છે, સુભાગી દુભાંગી થાય છે વિગેરે અનેક નાટક કરે છે, અનેક નાચ નાચે છે, અનેક ખેલ કરે છે, તેથી તે પર વસ્તુને સંગ કરે છે તે વાત તે પિતે જ બતાવી આપે છે; બાકી જ્યારે આનંદસ્વરૂપ ભગવાનની આનંદમય સુમતિ સ્ત્રીની સેબતમાં તે હેય-મતલબ મારા સંગમાં હોય ત્યારે તે તું જાણે છે કે તેનું નિષ્પન્ન સ્વરૂપ થઈ જાય છે, ત્યારે તે એ સર્વજ્ઞ, સર્વદશ, અખંડ સુખ ભોક્તા, અજ, અવિનાશી, અક્ષય, અજરામર, અગુરુલઘુ, અખંડ વીર્યવાન થઈ જાય છે તેથી તેનું સ્વરૂપ છાનું રહેતું નથી.
આનંદસમૂહ ભગવાન તે શુદ્ધ ચિદાનંદ આત્મ સિદ્ધ દશામાં રહેલો સમજ, ત્યાં સર્વ પ્રકારને આનંદ છે, ત્યાં જાતિ, જરા, મરણને ભય નથી, સર્વદા એક સરખી સ્થિતિ છે અને આત્મગુણરમણરૂપ અને સ્થિરતારૂપ ચારિત્ર છે. એ સિદ્ધ સ્વરૂપ ચેતનની સુમતિ સ્ત્રી જે શુદ્ધ ચેતના પિતે જ છે તેની સોબતમાં હોય ત્યારે તો એનું નિષ્પન્ન રૂપ થઈ જાય છે, પછી તે આમ ચક્રભ્રમણ કરતો નથી, પછી પારકી વસ્તુને પિતાની માનતો નથી, પછી જ્યાં ત્યાં માથું મારતે નથી, માટે તે અનુભવ ! મારા નાથ પરભાવમાં રક્ત છે એ સંબંધમાં જરા પણ શંકા જેવું નથી, તેથી હું તને કહું છું કે તે પાણીમાંથી માખણ લેવવા માગે છે, વેધુમાંથી તેલ કાઢવા માગે છે, અજાગલસ્તનમાંથી દૂધ મેળવવા માગે છે એ ખરી વાત છે. એ સંબંધમાં તારે જરા પણ દુઃખ લગાડવું નહિ, તારે મારી
* “ચેતન આપ બતાવે” ને સ્થાને “માઠે આંખ બતાવે” અથવા “માતે આપ બતાવે ” એ પાઠાંતર છે.
x “સિદ્ધ સરૂપ કહાવે'ને બદલે કેટલીક પ્રતમાં “ધનવા કેન કહાવે' એવો પાઠાંતર છે, તેને અર્થ બેસતો નથી, પણ તે પાઠ વિચારવા યોગ્ય છે.
૩ રનકે પારકાની. રાતે રક્ત થયા છે. આપ=પોતે જ, સિદ્ધ=નિપજ. કહાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org