SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી આનંદઘનજીનાં પદો “મારા કહેવાથી ગુસ્સે થઈશ નહિ, (કારણ કે, તું જ એવું શીખવે છે, વધારે કહેવાથી તો એવું લાગે છે કે જેમ સર્પની ફણ જેવા આંગળાં દેખાય.” ભાવ અનુભવહું જાણું છું કે તું મારા નાથને મિત્ર છે તેથી હું તેની વિરુદ્ધની હકીકત કહીશ તે તને પસંદ નહિ આવે અને તેથી મેં જ્યારે તેને કહ્યું કે મારા પતિ તે બકરીના ગળામાં રહેલા સ્તનમાંથી દૂધ દેહવા ઇરછા રાખે છે ત્યારે તને કદાચ તારા મિત્રને માટે લાગી આવ્યું હશે, પણ તેમાં ખોટું લગાડવાનું કાંઈ કારણ નથી, તારે મારા ઉપર જરા પણ ગુસ્સે થવાનું કારણ નથી, કારણ કે મેં જે વાત કહી તે તે તે પોતે જ શીખવે છે. તું જ કહે છે કે-મમતામાં કાંઈ સાર નથી, એ અંધ કરનાર છે અને એના પાસમાં પડેલે પ્રાણી કદિ સુખ પ્રાપ્ત કરી શક્તા નથી; તેથી તારી કહેલી વાત જ હું કહું છું. આટલા ઉપરથી હું ધારું છું કે તું મારા ઉપર ગુસે તે લાવીશ નહિ. વધારે વાત કહેવાથી તે દુઃખ લાગી જાય તે જેમ સર્પની ફેણ જેવી આંગળી લાગે તેવું થઈ આવે છે. ઠપકે આપતી વખત અન્ય તરફ લાંબે હાથ કરવામાં આવે છે તે સર્પ જે લાગે છે તેમ હું તને કહું છું તે દુઃખ જેવું તને લાગતું હશે. અંગુલી સર્ષ દિખાવે એટલે ઠપકો આપતી વખતે જે સર્પાકાર હાથે દેખાય તે પ્રમાણે હું તને લાગતી હઈશ-એ પ્રમાણે આને ભાવ થાય છે. આ ભાવ હજુ બરાબર ઝળક્ય નથી. કેઈને ઠપકે વારંવાર આપતાં તેને છેવટે એટલું બધું માઠું કઈ વખત લાગી જાય છે કે પછી ઠપકો આપવા માટે જે આંગળી ઉઠાવવામાં આવે તે પણ તેને સર્ષ જેવી લાગે છે. આ પ્રમાણે ભાવાર્થ નીકળવે પણ સંભવિત લાગે છે. અથવા આંગળી લાગવાથી જેમ સર્ષ કોપી થઈ જાય છે તેમ મનુષ્યને બહુ કહેવાથી ચીડાઉ પ્રકૃતિવાળો થઈ જાય છે, જરા જરામાં ઉદ્ધત પ્રકૃતિવાળો બની જાય છે. કહેવાની મતલબ એ છે કે-શુદ્ધ ચેતના મમતાસંગના પરિણામનું જે વર્ણન કરે છે તેવું જ વર્ણન અનુભવ પણ આત્માને શીખવે છે. અનુભવ વારંવાર આત્માને કહે છે કે–તમારું પિતાનું સ્વરૂપ શું છે? તે જુઓ, વિચારો, સમજો અને પર વસ્તુ પર મોહ કરી બેઠા છો તે તમને ઘટતું નથી, તમને છાજતું નથી, તમને લાગતું નથી. તમે મમતાની સેબતથી જે સુખ મેળવવાને ઈચ્છે છે તે તમને કદિ મળનાર નથી, કારણ કે ત્યાં વાસ્તવિક સુખ છે જ નહિ. આવી રીતે અનુભવ આત્માને વારંવાર કહે છે, તે જ હકીકત કહીને શુદ્ધ ચેતના અનુભવને ભલામણ કરે છે કે-હવે નાથને જાગ્રત કરો અને મમતાને સંગ છોડાવી દે. વળી એ ચેતનછ અત્યારે મમતાની સેબતમાં કેવા પડી ગયા છે એને તારશ્ય ચિતાર મન સમીપ રજૂ કરે જરા પણ મુશ્કેલ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy