________________
૧૭૪
શ્રી આનંદધનજીનાં પદો એક મદદગાર તરીકે બહુ સારી થાય છે. વનરાજીથી વિરાજિત, સંસારના પવનની ગંધને પણ નહિ લેનાર, શાંત પર્વતની એકાંત ટોચ પર પર્યકાસન કરી આત્મવિચારણા કરવામાં આવે ત્યાં જે આત્મસમૃદ્ધિને સાક્ષાત્કાર થાય છે તે મેટર, ટ્રામ અને ગાડીઓના અવાજ વરચે કે અસ્થિર આસને ડોલતી ખુરશી પર છે કે કલ્પનામાં આવો અશક્ય છે. આસન યેગનું ત્રીજું અંગ છે અને યોગમાર્ગ પર પ્રવેશ કરનારને તે ખાસ ઉપયોગી છે એ લક્ષ્યમાં રાખવું.
અજપા જાપઃ પરમાત્મતત્વનું ચિંતવન કરવાની ટેવ પડ્યા પછી મુખેથી ઉચ્ચાર કર્યા વગર હુદયમાં તેની લય લાગે છે, અનુચ્ચરિત જાપ ચાલે છે અને અન્ય વસ્તુઓ તરફ ધ્યાન ગયા વગર તેની જ રટણ ચાલ્યા કરે છે. છઠ્ઠા પદમાં અનાહત નાદનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં ઘટમાં–હદયમાં એક અતિ મધુર અવાજ ચાલ્યા કરે છે તેમ જ તેની સાથે અંદર અજ૫ જાપ ચાલ્યા કરે છે એમ કહેલ છે. આપણે સામાન્ય રીતે નવકારવાળી ગણતા હોઈએ છીએ ત્યારે ફુટ કે અફુટ અક્ષર બેલીને કે વિચારીને જપ કરીએ છીએ, પણ
જ્યારે એગમાર્ગમાં જીવનની પ્રગતિ થાય છે ત્યારે તે અનુચ્ચરિત જાપ કરી શકે છે. સાંસારિક પ્રાણું જેમ ધનાદિકને અનુચ્ચરિત જાપ કરે છે, તેવી રીતે પરમાત્મદશા પ્રાપ્ત કરવાની રઢ લાગ્યા પછી તેને અજ૫ જાપ ચાલે છે.
આવી રીતે આશાને ત્યાગ કરવાથી મનોવેગ પર અંકુશ આવી જાય છે, આસન સ્થિર કરવાથી કાયયોગ પર અંકુશ આવી જાય છે અને અજ૫ જાપ કરવાથી વચનયોગ પર અંકુશ આવી જાય છે. આ ત્રણે યોગ પર અંકુશ પ્રાપ્ત થવાથી સ્વપરને વિવેક એટલે સ્પષ્ટ થાય છે કે પરિણતિની વિશેષ નિર્મળતા થઈ ધીમે ધીમે કમસર નિરંજન નાથના પદ પર આરોહણ થતું જાય છે, ચિદાનંદ ભગવાનની જ્ઞાનમય મૂર્તિનું દર્શન થાય છે અને છેવટે પરમાત્મભાવ પ્રાપ્ત કરવાનું જે સાધ્યબિંદુ છે તેનું જે ઝાંખું દર્શન થયું હતું તે સ્પષ્ટ દર્શન થાય છે, તેની નજીક-તેની તરફ ગમન થતું જાય છે અને છેવટે તે ભાવ પ્રાપ્ત થાય છે.
પદ આઠમું
સાખી
आतम अनुभव फूलकी, नवली कोउ रीत
नाक न पकरे वासना, *कान गहे परतीत ॥ १॥ ૧ ફૂલકી ફૂલની, પુષ્પની. નવલી=નવીન, અભિનવ. ઉકાઈ. વાસના=સુગંધી. પરતીત પ્રતીતિ, હયાતીની ખાત્રી.
* “કાન ન ગહે પ્રતીત” એ પ્રમાણે પાઠાંતર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org