SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું પદ્મ ૧૯૩ નિરંજન નાથ એટલે પરમાત્મભાવ સમજવા. એ સવ આનંદના સમૂહ છે, એમાં જરા પશુ દુ:ખનેા ખ્યાલ નથી, અવકાશ નથી. વળી એ જ્ઞાનમય મૃત્તિ છે, એમાં જ્ઞાનાનંદ ઉત્કૃષ્ટ પ્રકારના છે, એનાથી વધારે જ્ઞાનાનંદ બીજી કોઈ જગ્યાએ, ખીજી કઇ દશામાં પ્રાપ્ત થઇ તેમ નથી, થઇ શકવાના સંભવ જ નથી. એ ભાવ નિરજન છે-નિલે પ છે. એમાં કર્માના નવીન લેપ લાગતા નથી તેથી એ ભાવમાંથી ચ્યુતિ કદ્ધિ પણ થતી નથી. એ આનંદઘનરૂપ-જ્ઞાનસ્વરૂપ નિરંજન નાથને આશાનેા રાધ કરવાથી, સ્થિરતા પ્રાપ્ત કરવાથી અને અજ૫ જાપ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. આશાના સ્વરૂપને અંગે ઉપર સાખીમાં કાંઇક વિવેચન થઈ ગયુ છે અને વિશેષ હકીકત અઠ્ઠાવીશમા પદના વિવેચનમાં આવવાની છે. યમાદિ યાગનાં અંગાના અભ્યાસ કરતાં કાઇ પણ વખતે આશીભાવ ન હાવા જોઇએ. એ ચેગમાર્ગીમાં પ્રવૃત્તિ કરી આગળ વધવાના મુખ્ય ઉપાય છે. આશાને અંગે સર્વ દુઃખા થાય છે અને ખાસ કરીને સ આરંભના કારણુ પાંચમા યમ-પરિગ્રહત્યાગનું ઉત્પત્તિસ્થાન અને સંસાર વધારનાર આશા હૈાવાથી અને નિ`મત્વ ભાવની સ્પષ્ટ વિરેાધી હોવાથી અનંત સુખપ્રાપ્તિના માર્ગે ગમન કરવા માટે આશાના ત્યાગ કરી દેવા એ ખાસ જરૂરનુ છે. આસન એ યાગનું ત્રીજું અંગ છે. પાતંજલયેાગઢનમાં કહે છે કે શિરપુત્રં બાલમં નિશ્ચળ અને સુખકર જે આસન હોય તે યાગના અગરૂપ આસન કહેવાય છે. મનની ચંચળતાને દૂર કરનાર અને ઐય સુખ સંપાદન કરનાર આસનથી શરીરયેગ પર મજબૂત અંકુશ આવી જાય છે. આપણે છઠ્ઠા પદ્મના વિવેચનમાં જોયું કે યોગશાસ્ત્રમાં શ્રીમાન્ હેમચંદ્રાચાર્યે પ"કા સન, વીરાસન, વજ્રાસન, પદ્માસન, ભદ્રાસન, ઈંડાસન, ઉત્કટિકાસન તથા ગોદ્યોRsિકાસનનુ સ્વરૂપ ચાથા પ્રકાશને છેડે બતાવી છેવટે કહ્યુ` છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનારું આસન કરવું.× સામાન્ય રીતે અન્ય યાગાભ્યાસીએ પણ સ્થાન અને આસનના સંબંધમાં કહે છે કે જ્યાં અને જે આસને બેસવાથી રાગદ્વેષ લઘુતાને જલદી પામી જાય તે સ્થાને અને તે આસને ખાસ કરીને ચેાગકાળે બેસવુ. શાસ્ત્રકાર કહે છે કે-અમુક આસને બેસવાથી જ મન સ્થિર થાય છે એવા ખાસ નિયમ નથી અને અનેક મહાસત્ત્વવંત પ્રાણીએ સર્વ અવસ્થામાં પરમાત્મભાવ પામી ગયા છે, પેાતાને કયા સ્થાનમાં અને કેવા આસનથી સ્થિરતા પ્રાપ્ત થશે તે સંચાગ ઉપરથી વિચારી લેવું, પણ ખાસ કરીને એટલા તેા નિયમ સમજી લેવા કે ચિલત આસનથી અને ધમાધમવાળી જગ્યામાં સ્થિરતા પ્રાપ્ત થવી લગભગ અશક્ય છે. સ્થાન અને આસનની પ્રધાનતા * જીએ યોગશાસ્ત્ર, ચોથા પ્રકાશ, શ્લોક ૧૨૪ થી ૧૩૨. × સદર શ્લાક ૧૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy