SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી આનંદઘનજીના પર ગસૂત્રોમાં આને પાંચ યમ તરીકે ઓળખવામાં આવે છે. વેગનું આ પ્રથમ અંગ છે અને આત્માથી પર રહેલી સર્વ વસ્તુ પર જય મેળવવાને પાય છે. એ પંચ મહાવ્રતનું સૂકમ સ્વરૂપ બહુ લક્ષ્ય પૂર્વક વિચારવા લાગ્યા છે. એ પંચ મહાવ્રત પણ સમ્યગજ્ઞાન–વસ્તુસ્વરૂપના શુદ્ધ અવધપૂર્વક હોય તે વિશેષ લાભ કરનાર થાય છે; નહિ તે બહુધા કાયલેશ કરાવે છે. આ પંચ મહાવ્રતને પંચપરમેષ્ઠીનું સ્વરૂપ આપી અત્ર કહે છે કે-તારા શિર પર પંચપરમેષ્ઠીને વાસ છે, મતલબ તારે પંચમહાવ્રતની ધરા તારા માથા ઉપર વહન કરવાની છે અને તેની સાથે જ જ્યારે તારા હૃદયઘટમાં રહેલી શુભ મનરૂપ બારી દ્વારા તું અવલેકન કરીશ ત્યારે તને વસ્તુસ્વરૂપને ભાસ થશે. પંચમહાવ્રત દ્વારા મહાત્યાગ કરીને પછી જ્યારે તું મનને વિકલ્પથી દૂર કરી તદ્દ્વારા અવલોકન કરીશ ત્યારે આત્મવિચાર દ્વારા તારો અપ્રતિપાતીભાવ-તારું પરમાત્મસ્વરૂપ-તારું લક્ષ્યસ્થાન-પ્રવ સ્થાન–અચળ સ્થાન દેખાશે. સંસારચક્રના દુઃખમય ઘેર આકાશમાં દૂરથી દેખાતે રમણીયચિર પ્રકાશ આપનાર-ઝળકતે આ ક્ષાયિક ભાવને તારે તારું લક્ષ્યસ્થાન બનશે અને પછી તને ગમાર્ગમાં આગળ ચાલવા સ્વાભાવિક પ્રેરણું થશે. આ અર્થમ્ફરણમાં પંચ પરમેસરનો અર્થ બરાબર બંધબેસતો આવે છે કે તેને સ્થાને પાંચ ઇધિ લેવી ઉચિત ગણાય તે વિચારવા યોગ્ય છે. તાત્પર્ય એ છે કે–ચોગના પ્રથમ અંગ યમમાં અત્ર પ્રવેશ કરી, પરમાત્મભાવનું દર્શન કરી પછી જે ભાગ્યશાળી પ્રાણી હોય છે તે યોગમાર્ગમાં વધત જાય છે. કેવી રીતે વધતું જાય છે તેનું કાંઈક દર્શન આ જ પદમાં થશે. आशा मारी आसन धरी घटमें, अजपाजाप जगावे आनंदघन चेतनमय मूरति, नाथ निरंजन पावे. अवधू० ४ “આશાને ત્યાગ કરીને હૃદયમાં સ્થિરતા ધારણ કરે અને અંતરંગ દવનિરૂપ અનુરચરિત જાપ કરે ત્યારે આનંદના સમૂહરૂપ નિરંજન નાથની જ્ઞાનમય મૂર્તિ પ્રાપ્ત કરે.” ભાવઉપરની ગાથામાં પ્રવને તારે નિરખવાની જે હકીકત કહી તેનું દર્શન કરી ગમાર્ગમાં ચેતન આગળ વધારો કરે છે તે આ પ્રમાણે પ્રથમ આશાને ત્યાગ કરે એટલે જે કાંઈ કાર્ય કરવાં તે આ તદ્દન નિરાશી ભાવથી કરવાં, ફળાપેક્ષા વગર કરવા બીજું તેની સાથે સ્થિરતા પ્રાપ્ત કરવી એટલે શરીરની પ્રવૃત્તિ ઉપર યોગ્ય અંકુશ આવી જાય અને સાથે આત્મતત્વમાં એકતા થવાથી મુખથી ઉરચાર કર્યા વગર શુદ્ધ પરમાત્મદશાના ભાવની વિચારણારૂપ અંતરંગ જાપ ચાલ્યા કરે. એ ત્રણે ભાવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખના જ રાશિરૂપ નિઃકેવળ આત્મસ્વરૂપમય શુદ્ધ મૃર્તિ ચિદાનંદઘન સ્વરૂપ નિર્લેપ પરમાત્મભાવરૂપ શ્રી ભગવાનને તું પ્રાપ્ત કરે એમાં જરા પણ સંશય કરવા જેવું નથી. જ મારી=બી દઈ, ત્યાગ કરી. આસન-સ્થિરતા. અજપાજાપ=અંતરંગ ધ્વનિરૂપ જલ્પ વગરનો જાપ. ચેતનમય=જ્ઞાનમય. નિરંજન=કમલેપ વગરના. Jain Education International n International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy