SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સહદય વાચકને એમ થવું સંભવિત છે તેથી તેવી કઈ નવી કુરણ થાય તો તે મને જણાવવા કૃપા કરવી. આયદે તેને ઉપગ કરવાની સાવધાનતા રાખવામાં આવશે. દરરોજ સવારના સામાયિક કરવાના નિયમનું આ પરિણામ છે. મારા અતિ વ્યવસાયી ધંધામાં મને તે પદ પર વિવેચન લખવાનું કે તે પર વિચાર કરવાને અવકાશ બધા મળ્યું નથી. તે ઉપરાંત પદને અંગે મારે ઘણું પુસ્તકને નિયમસર અભ્યાસ કરવાની જરૂર પડી છે અને તેથી મને લાભ ઘણે થયે છે, પણ પદને બહાર પાડવાનું જાહેર કર્યા પછી વખત તે જ કારણથી વિશેષ થ છે. ગના વિષને હું અધિકારી નથી, અભ્યાસી પણ નથી, એગપ્રક્રિયા કરી જાણ પણ નથી અને રોગને અંગે પુરાણું પુસ્તકમાંથી હકીકત મેળવવા ઉપરાંત સીધી રીતે હું કાંઈ પ્રકાશ પાડી શકું એ મારો દાવ પણ નથી. આ પદે બહુધા વેગનાં જ છે અને તેથી મહાત્મા પુરુષને બતાવેલ યોગના વિષય પર અભ્યાસ કરી પ્રકાશ પાડવા યત્ન કર્યો છે. તેના અભ્યાસી મને વિશેષ માલુમ ન પડવાથી બહુ સંતોષકારક રીતે લેખ લખી શકાણે નથી છતાં જે કાંઈ પ્રયત્ન થયે છે તે જાહેર પ્રા સન્મુખ રજૂ કરવા ધૃષ્ટતા કરું છું એમ જ્ઞાનસારજીના સદરહુ શબ્દોમાં કહી શકાય તેમ છે. આ પદે સંગીતના શેખીનને અતિ ઉપયોગી છે. પ્રભાત કે રાત્રિના શાંત સમય હોય તે વખતે આ પદેને મનનપૂર્વક ગાવાથી બહુ આનંદ થાય તેમ છે. એ પદના અર્થગૌરવ અને પદાલિત્ય પર જેમ જેમ વિચારણા કરવામાં આવશે તેમ તેમ પદની અંદર રહેલ આત્માનુભવ પ્રકટ થશે. એને વારંવાર પુનરાવર્તન કરી વાંચવાની, મનન કરવાની જરૂર છે. વાર્તાનાં પુસ્તક અથવા વર્તમાન સમાચારના લેખે પેઠે ઉપર ઉપરથી વાંચી જવાથી કાંઈ લાભ પ્રાપ્ત થવા સંભવિત નથી એમ તે કહી શકાય નહિ, પણ જે મહાન લાભ તેના ગર્ભમાં રહ્યો છે તેનો અંશ પણ મળશે નહિ એમ કહેવું યથાર્થ છે. ગાન ગાતી વખતે પણ તેની યોગ્ય સામગ્રી સાથે હોય તે બહુ આનંદ થાય તેમ છે. શાસ્ત્રકાર દ્રવ્યપૂજાના અધિકારીને ગીત વાજિત્રમાં અનંતગણું પુણ્ય કહે છે તેનું કારણ એમ જણાય છે કે તે વખતે આત્મધ્યાનમાં એકતા અને આગળ વધતાં લય થવા સંભવ છે. આવા હેતુથી આ પદના દરેક લયનાં નેટેશન સાથે આપવા ઈરછા હતી અને તે માટે કુશળ ગાય સાથે ગોઠવણ કરી હતી, પરંતુ કેટલાક સંગોને લઈને એ ઈચ્છા પાર પડી નથી. લગભગ મોટા ભાગનાં પદે અસલ રાગ અને રાગિણમાં હોવાથી સંગીતશાસ્ત્રના અભ્યાસીને તેમાં બહુ આનંદ આવે તેમ છે. એની સાથે જ્યારે અર્થવિચારણ કરવાનું સાધન પ્રાપ્ત થયું હોય ત્યારે ગાન વખતે અપૂર્વ લય થવા સંભવ છે. ગાન ગાતી વખતે તે અર્થ વાંચવાનું બને નહિ પણ એક વાર અર્થવિચારણા કરી ગાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy