SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સતત વિચારણું પછી અને વૈરાગી જીવન પછી પણ જ્ઞાનસારજીને તેઓશ્રીની કૃતિના અર્થને કાગળ ઉપર લખવાની વાતમાં એક પ્રકારની ધૃષ્ટતા લાગી અને તે પ્રયત્નને વાઢsf f = નિલયાદુગુ વિતય વિતતાં થયાત વિઘાનુાશે: બાળક પિતાના બાહુને પસારીને કહે કે “સમુદ્ર આવડો મટે છે” એના જેવું લાગે ત્યારે પછી અતિ ગંભીર આશયવાળાં તેમના કરેલા પદેનું સંસારના અનેક બંધનમાં રચેલ ચેલ મારા જે એક સામાન્ય માણસ વિવેચન લખે તેને માટે શું કહેવું તે વિચારવા ગ્ય છે. ધંધા તથા સંસારને અંગે અનેક પ્રકારની વિચિત્ર વિકારમય જિંદગીમાં દિવસને મોટો ભાગ ગાળનાર આવા ઉત્તમ પદ પર વિવેચન કરવાને અધિકારી પણ ગણી શકાય કે નહિ? એ પ્રશ્ન અનેક વાર મારા મનમાં ઉદ્દભવ્યો હતો અને હજી તે શંકાનું સંતોષકારક સમાધાન થયું નથી; છતાં ગુરુમહારાજે કૃપા કરી જે અર્થવિચારણા બતાવી છે તે અતિ ઉપયોગી જણાયાથી અને જાહેર પ્રજાને તેનો લાભ મળે તો પ્રયાસનું એક રીતે પણ સાર્થક્ય છે એમ ધારી આ પદ પર વિવેચન ગુરુદર્શિત માર્ગ પર કરવા પ્રયત્ન કર્યો છે અને તેને જાહેરમાં મૂકવાની લાલચ સ્વપર લાભના હેતુએ કરી છે. એમાં જે જે ખલનાઓ થઈ હોય તેને માટે જવાબદારી પિતાની છે, કારણ કે નયગર્ભિત વચનને એકાંતમાં ખેંચી જવાના પ્રસંગે બહુ આવે છે. સામાન્ય રીતે આ પદોમાંનું કઈ પણ વચન લેતાં તે વાત જણાઈ આવે તેમ છે. વળી એવી ખલનાઓ થવી પણ સંભવિત છે. કેઈ વખત આનંદઘનજી મહારાજના આશયને બતાવવાનો પ્રયત્ન કરવા જતાં તેમના અંગત વિચારથી તદ્દન ઊલટી બાજુએ પણ ચાલ્યા જવાનું બને; પરંતુ એમ ન બને તેટલા માટે ઉપરોક્ત સ્વીકારાયેલા વિદ્વાનને આ વિવેચન બતાવી બનતી ખલનાઓ દૂર કરવા તત્પરતા રાખી છે, છતાં આશય સમજવાની અસમર્થતાને લીધે અને વિષય ઝળકાવવાની અશક્તિને લીધે પ્રમાદ થયે હોય તો તે ક્ષેતવ્ય ગણવા અત્ર વિજ્ઞાપ્તિ છે. | વિવેચન સંપૂર્ણ હોવાનો દાવો છે કઈ રીતે થઈ શકે તેમ છે જ નહિ, કારણ કે આવા મહાન પુરુષોના એકેક વાક્યના ગર્ભમાં બહુ હકીકત સમાયેલી હોય છે. સામાન્ય અને વિશિષ્ટ લેખકે વચ્ચે તફાવત મુખ્યત્વે કરીને એ જ હોય છે કે જ્યારે સામાન્ય લેખકે એકને એક વાતનું પીંજણ નકામું કર્યા કરે છે અને જ્યારે તેના લખેલાં મેટાં પચીશ પાનાંના લેખને કે બે કલાકના ભાષણને નિષ્કર્ષ કાઢવામાં આવે ત્યારે તે માત્ર એક કે બે પંક્તિમાં સમાઈ જાય છે અથવા એક કે બે મિનિટથી વધારે વખત બેલવામાં લેતા નથી, ત્યારે વિશિષ્ટ લેખક અથવા વક્તાના એક વાક્યમાં એટલું બધું અર્થગૌરવ અને ગૂઢાર્થનું તત્ત્વ રહેલ હોય છે કે તે સામાન્ય દષ્ટિએ સાધારણ વાક્ય જેવું લાગે પણ તે પર જેમ જેમ વધારે પરામર્શ થાય તેમ તેમ અનેક નવીન વાત ખુરી આવે અને તે કહેતાં અથવા લખતાં પુષ્કળ વખતને વ્યય કરવો પડે. આ પદની વિચારણા કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy