SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના માત્ર ૧૭ પાનાં હતાં અને પ્રત અપૂર્ણ હતી. કદાચ પ્રતના છેવટના ભાગમાં ટો કરનારનું નામ આપવામાં આવ્યું હોય તો મને માલુમ નથી. જે જે પદ પર બે આપવામાં આવ્યું છે ત્યાં તેની મદદ સંપૂર્ણ રીતે લીધી છે અને ટબાકારનો આશય વિવેચનમાં સર્વ જગ્યા પર બનતી રીતે બતાવવામાં આવ્યું છે. બાકીનાં પદ પરના ટબાની કેપી પણ કરાવી રાખી છે જે હવે પછી આ પુસ્તકના દ્વિતીય વિભાગમાં ઉપયોગમાં લેવામાં આવશે. બીજી તબાવાળી પ્રત સંપૂર્ણ છે. એમાં આ પચાસ પદોમાંથી માત્ર ૯, ૧૭, ૩૨, અને ૫૦ મા પદ પર જ ટબ છે. એ પ્રતને ટો લખનાર અને પ્રથમ જણાવેલી પ્રતને ટબ લખનાર એક જ પુરુષ હોય તેમ જણાય છે, કારણ કે અર્થવિવરણમાં જે જે શબ્દો વપરાયા છે તે લગભગ સરખા છે, છતાં આ પ્રત વિશેષ શુદ્ધ અને કાંઈક વધારે વિસ્તારવાળી આ પ્રતની પણ કોપી કરાવી રાખી છે. પ્રથમ પ્રતમાંહેનાં બાકીનાં આઠ પદેને ઉપયોગ પુસ્તકના દ્વિતીય વિભાગમાં થશે. ભાષાના અને શિલીના જાણનાર કે મહાત્માએ આ ટબ લખેલે છે તેથી તે બહુ ઉપયોગી છે. ટબાકારને પણ કઈ કઈ જગ્યાએ લખવું પડ્યું છે કે “ આનંદઘન મહારાજને આશય તેઓ સમજી શક્યા નથી.” વિવેચનને અંગે આ ઉપરાંત સદરહુ ટબા અનુસાર લગભગ ટબા જેટલાં જ પદનું વિવેચન લખેલું મારા જેવામાં આવ્યું હતું અને પ્રાયે તે ટબ અનુસાર હોવાથી અને ટબાકાર તરફથી થયેલ પ્રયત્નો સીધે લાભ મને મળેલ હોવાથી તેને બહુ ઉપયોગ કરવો પડ્યો નથી. આ ઉપરાંત દરેક પદ વાંચતી વખતે જે જે ભાવ મને કુરતા હતા તે ઝળકાવવા માટે અન્ય પુસ્તકો વાંચી વિદ્વાને સાથે ચર્ચા કરી અને પત્ર દ્વારા માહિતી મેળવી વિવેચનને બને તેટલું ઉપયોગી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આનંદઘનજી મહારાજના આશય કેટલે બધો વિશાળ, ગંભીર અને વિસ્તૃત છે તે બતાવવા માટે એક જ દાખલો પૂરતો થઈ પડશે. જ્ઞાનસારજી જેઓ પિતે પણ ગાભ્યાસી હતા તેઓ આનંદઘનજીની ચોવીશી પર ચાલીશ વરસ સુધી વિચાર કર્યા પછી છેવટે જ્યારે શરીરસ્થિતિ ટકવાની અસ્થિરતા જણણી ત્યારે વિચારનું પરિણામ લખી ગયા અને તે પ્રમાણે તે વીશીના અર્થ છપાઈને બહાર પડેલ છે. આવા ત્યાગવૈરાગ્યવાળા અને યેગના અભ્યાસી ચાળીશ વરસની વિચારણા પછી લખેલા ચોવીશીના ભાવાર્થના ઉપઘાતમાં લખે છે કે બાળક બાંહ્ય પસારીને, કર ઉદધિ વિસ્તાર, આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર. આવા અસાધારણ શબ્દોમાં આનંદઘનજીના આશય માટે વૈરાગ્યરસમાં લીન થયેલા જ્ઞાનસારજી લખે છે. એ ઉપરથી સાર એટલે નીકળે છે કે, જ્યારે ચાળીશ વરસની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy