SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ટીકાવાળા ગ્રંથ માટે પણ તેમ કરવાની પદ્ધતિ શરૂ થયેલ હાવાથી અત્ર તેમ કરવાનુ ચેાગ્ય ધારવામાં આવ્યું છે. એ ખાસ વધારામાં મૂળમાં જે પાઠ સ્વીકાર્યાં છે તે જ દાખલ કરવામાં આવ્યે છે તેથી પાઠાંતર માટે તેા વિવેચન તરફ જ જોવાની જરૂર રહેશે. મુખઇનિવાસી અને જૈન ગ્રંથા છપાવવાની બાબતમાં પહેલ કરનાર શ્રાવક ભીમશી માણેકે આનંદધન અને ચિદાનંă બહુતેરી ’ ના નામથી એક બુક છપાવેલ છે. એ પુસ્તક બહુ સુંદર રીતે છાપ્યું છે પણુ તેમાં બહુ અશુદ્ધિ જોવામાં આવી. આથી એ પદોની ચાર પ્રતા મેળવી. એક બહુ શુદ્ધ પ્રત મુનિરાજશ્રી ભક્તિવિજયજી ( શ્રી આત્મારામજી મહારાજના પ્રશિષ્ય) તરફથી મળી હતી અને એ પ્રતા શ્રી લક્ષ્મીચંદ ઘેલાભાઈએ શ્રી પાલીતાણાના અંબાલાલજીના ભંડારમાંથી લઇને માકલી આપી હતી. એક ચેાથી પ્રત પુસ્તકના આકારમાં લખેલ એક યિત પાસેથી મળી હતી. એ ચાર પ્રતા ઉપરથી મૂળ પાઠ તૈયાર કરવામાં આવેલ છે. એમાં જ્યાં જ્યાં પાઠાંતરે મૂકવા યેાગ્ય લાગ્યા ત્યાં ત્યાં મૂક્યા છે. પાઠાંતરો નેાટમાં લખવાનું ખાસ કારણ એ છે કે આ પો ગાન કરવાયાગ્ય છે. અને ગાન કરતાં એકાદ અક્ષર વધવા ઘટવાથી લય ત્રુટી જાય તેા કર્તાને જ જાણે લયનું પૂર્ણ જ્ઞાન નહેાતું એવા આક્ષેપ આવી જાય. આથી જ્યાં લયને આઘાત અથવા અસર કરે એવા પાઠાંતર પ્રાપ્ત થયા છે ત્યાં તેને બનતાં સુધી નેટની અંદર જ લખવામાં આવ્યા છે. અ વિચારણામાં પણ પાઠાંતરને મેટો ઉપયોગ છે અને કેટલાક પાઠાંતરે તે અમાં મોટા ફેરફાર કરે છે. કેટલાક પાઠાંતરાને અ ન બેસવાથી કે તેને ફેંકી દે છે તેથી ભવિષ્યમાં બહુ નુકસાન થાય છે; તેથી બનતાં સુધી સવ પાડાંતા નેટમાં લખવામાં આવ્યા છે. જો કે આ સ્થળે આનધનજીના હસ્તે લખેલી કે તેના સેવકાની લખેલી પ્રતિ મળી હાત તેા કઈ પણ કહેવાનુ રહેત નહીં, પણ તે ન મળવાથી આ પ્રયત્ન કરવાયાગ્ય અને ઉપયાગી લાગ્યા છે. ખુદ આનંદઘનજીની કૃતિ, ગાન, પદના ઉચ્ચ આશય વગેરે મૂળ પુસ્તકને અંગે પ્રાપ્ત થતી હકીકત પર ઉપોદ્ઘાતમાં વિવેચન કરવામાં આવ્યું છે. તેથી અત્ર તે પર ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. વિવેચનને અંગે મને જે મદદ મળી છે તેમાં એ ટખાવાળી પ્રતા છે. એક પ્રતમાં પચીશ પદ્મના ટો લખેલે છે જેમાંના આ પચાસ પદમાંથી સત્તર પદ આવેલાં છે. આ પ્રત બહુ શુદ્ધ છે. જો કે તેની ભાષા મારવાડીને મળતી છે પણ પ્રયાસ કરવાથી સમજી શકાય તેવી છે. ટા લખનાર કાણુ છે તે સમજાતું નથી કારણ કે ટખાકારનું નામ પ્રાપ્ત થતું નથી અને મારી પાસે જે પ્રત આવી તેમાં * પ૬ ૯, ૧૧, ૧૭, ૨૩, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૨, ૪૧, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૫૦ એ સત્તર પદ પર ટમે આ પ્રતમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy