SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ઉપયોગ માટે મહાર પાડ્યું છે તે કરેલ ધારણામાં કેટલે અંશે ફલીભૂત થયેલ છે તે વિચારવાનું કાર્ય વાંચનારાઓનું અથવા ટીકાકારાનુ છે. અવિવેચન વિભાગમાં કોઇ કોઇ પ્રસંગે બહુ વિસ્તાર કરવામાં આવ્યે છે. નયનિક્ષેપ પર પાંચમા પદમાં, યેાગસંબંધમાં છઠ્ઠા પટ્ટમાં અને દન સંપ્રદાયે પર ચાલીશમા પદમાં ખાસ વિવેચન તે તે વિષયાના અભ્યાસ કરીને લખવામાં આવ્યું છે. એમ કરવાના હેતુ એટલેા છે કે જે અપૂર્ણ ગ્રંથામાં તે વિષય ચર્ચલા છે તે વાંચવા વિચારવાના સમય ઘણા વાચકેાને મળી શકતા નથી અને આધુનિક ગુજરાતી ભાષામાં તેનું વિવેચન હાય તેા શાસ્રાવગાહનચ થવી સંભવત છે; તેથી ટૂંકામાં પણ મુદ્દાસર વિવેચન એ એ વિષયા પર કર્યું છે. એવા ગહન વિષયાની રેખા માત્ર પશુ ચીતરી શકાય, પુસ્તકના કદના પ્રમાણમાં અનવું મુશ્કેલ છે, પરંતુ જે દિગદર્શન કરાવવા પ્રયત્ન કરવામાં આવ્યે છે તે શાસ્ત્રમનનની જિજ્ઞાસા થવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યેા છે અને તે કા જો અલ્પાંશે પણ થયુ હાય તા તે આનંદપ્રદ છે. ઘણા પ્રાણીએ એવા વિષયનાં પુસ્તકા વાંચી શકે પણ નહિ તેને આવું દિગ્દર્શન જેટલું વિવેચન પણુ લાભ કરનારું થાય એમ લાગે છે. આવા મહાન અર્થગૌરવવાળાં પદ્મ ઉપર સારી રીતે વિવેચન કરવાની આવશ્યકતા એટલા માટે છે કે અપૂર્વ વિદ્વાનના એક એક વાકચમાં અર્થચમત્કૃતિ રહેલી હાય છે. ભાવપૂર્ણ પદોના પ્રત્યેક વાક્ય પર એટલું વિવેચન થઈ શકે તેમ છે કે અત્ર જેટલું લખાણુ કર્યુ છે તે અત્યંત અલ્પ છે એમ કહેવામાં અતિશયાક્તિ જરા પણ નથી. એક પાંચમા કે છઠ્ઠા પદ પર જ જો સપૂર્ણ વિવેચન કરવામાં આવે તે આવાં અનેક પુસ્તકે ભરાય તેમ છે. આવાં અપૂર્વ અઘટનાવાળાં પદેાના વિવેચનમાં વિચાર કરવામાં આવે તેમ તેમ વધારે અસ્ફુરણા થાય તેમ છે. જેમ જેમ શાંતિથી આ વિવેચનમાં શબ્દા, અક્ષરા અને ભાવાના ક્રમ જાળવવામાં આવ્યે છે. જેઓને વિવેચન વાંચવાની જરૂર, અવકાશ કે અપેક્ષા ન હેાય તે અર્થવિચારણા કરી શકે તેથી માત્ર શબ્દાર્થ પણ નેટમાં આપ્યા છે અને તેમ કરવાના હેતુ એટલે છે કે કેટલાક સ્વતંત્ર વિચાર કરી શકે તેવા પ્રાણ પુરુષાને વિવેચન વાંચવાની જરૂર ન હાય તે તેઓ તેમ કરી શકે. વળી એકલુ ગાન કરવાની ઈચ્છા હાય તેને એક ગાથા પછી બીજી ગાથા પ્રાપ્ત કરતાં વચ્ચે પૃષ્ઠો મૂકી દેવાં પડે અને ગાવાના લયમાં ભંગ પડે એ સ્થિતિ વિવેચન છપાઈ ગયા પછી જણાઈ અને એમ થતાં કર્તાના મૂળ ઉદ્દેશને ખામી આવે એમ લાગ્યું તેથી પુસ્તકને છેડે સ` પદો મૂળ સ્વરૂપે પણુ આપી દીધાં છે કે જેને ઉપયોગ ગાનાર બહુ સારી રીતે કરી શકશે. આથી પુસ્તકમાં થોડાં પૃષ્ઠોના વધારે થયે છે અને તેથી કાંઇક પુનરાવર્તન જેવું પણ થયું છે, પરંતુ તેમ કરવું ઉપયુક્ત કારણથી આવશ્યક છે એમ એક વિદ્વાન મિત્રના સ્વાધીન મત હાવાથી તેમ જ હાલમાં લાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy