SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના જલનું ચેાગદન, વિવેકાનંદને રાજ્યાગ, ઉપાધ્યાયજીની દ્વાત્રિંશદ્ઘાત્રિશિકા, હરિભદ્રસૂરિનાં યોગદૃષ્ટિસમુચ્ચય અને ચેગબિન્દુ વિગેરે ચેાળ તથા અધ્યાત્મનાં પુસ્તકે જે પૂર્વે સામાન્ય રીતે જોયાં હતાં તેનું વિશેષ અવલેાકન કર્યું, તે પર વિચાર કર્યાં, જૈનયોગ અને અન્ય યેાગની તુલના કરી, ઉપરાત યોગદૃષ્ટિસમુચ્ચયાદિ ગ્રન્થ તથા તેને અનુસારે લખાયેલી ચોગદૃષ્ટિની સજ્ઝાય વિગેરે જોયાં અને વચ્ચે વચ્ચે પદોનું અચિંતવન કરી કાંઈક લેખનની પ્રવૃત્તિ ચાલુ રાખી. અકેક પદ પર ની શકતા વિચાર કરી તેને માટે ગ્રન્થા વાંચવાયેાગ્ય લાગે તે વાંચી જ્યારે મનમાં સંતોષ થાય ત્યારે જ વિવેચન લખવાનું કાર્ય કરવાની ધારણાને બનતે અંશે આખા પુસ્તકલેખન દરમ્યાન સ્વીકારી છે અને તેથી અસ્તવ્યસ્ત વિચારશને મનતાં સુધી આ પુસ્તકવિવેચનમાં સ્થાન આપ્યું નથી. બાર તેર પદ - શ્રી જૈન ધર્મ પ્રકાશ 'માં છાપ્યાં તે અત્ર લીધા છે પણ તેમાં વાચકને અન્યાય થતા લાગવાથી પદે મારી પાસે અ સહિત હતા તે અને શ્રી નરાત્તમદાસભાઈ ભાણજીની મહેનતના મારી બુદ્ધિ સાથે ઉપયાગ કર્યાં છે. ૩ આવી રીતે જેટલું બની શકે તેટલું ઉપયોગી વિવેચન કરવાની ઇચ્છા રાખી હતી, જેને પાર પાડવા બનતી કોશીશ કરવામાં આવી છે. તૈયાર કરેલ છેવટનું વિવેચન તપાસી જોવા માટે મારા કાકા શ્રીયુત કુંવરજી આણ ંદજીને સેાંપવામાં આવતું હતું. તેઓ શાસ્ત્રશૈલી તથા ભાષાના જાણકાર હેાવાથી વિવેચનવિભાગમાં કાંઈક ફેરફાર સૂચવતા હતા. તેવી રીતે તૈયાર થયેલ કાપી પન્યાસજી શ્રીમદ્ આનંદસાગરજીને તેએ જ્યાં સ્થિત હાય ત્યાં પેસ્ટ દ્વારા મોકલવામાં આવતી હતી. શાસ્ત્રશૈલીના પૂર્ણ વેત્તા અને આગમ તથા ન્યાયના પ્રથમ પંક્તિના વિદ્વાનના હાથમાંથી વિવેચન પસાર કરાવવાની ખાસ જરૂર હતી, કારણુ કે યાગ કે અધ્યાત્મના વિષયમાં શાસ્ત્રશૈલીને ખાધ કરનાર એક પણ વચન નીકળે તે મહાહાહન કરનાર થઇ પડે એ વાતને મનમાં નિણુંય હતા. પરોપકારબુદ્ધિથી તે મહામાએ પેાતાના અમૂલ્ય વખત કાઢી અનેક જગ્યા પર સુધારણા કરી આપી વિવેચનને શાસ્ત્રાનુસાર કરી આપવા કૃપા કરી છે તે માટે તેએશ્રીના અને મારા પૂજ્ય કાકાશ્રીને આ પ્રસંગે ખાસ ઉપકાર માનવાની તક લેવામાં આવે છે. મારા એવા અગત અભિપ્રાય છે કે શાસ્ત્રવિરુદ્ધ લખાયલું એક વચન પણુ અત્યંત નુકસાન કરે છે. કેટલાક વિદ્યાનેાનુ એવું માનવું છે કે સે! પૃષ્ઠમાં નેવું પૃષ્ટ ઉપયાગી હેાય તે તેટલા પૂરતા તે લાભ થાય, એ વાત મને ચેાગ્ય લાગતી નથી. મારા નમ્ર વિચાર પ્રમાણે શૈલી વિરુદ્ધનાં દશ પૃષ્ઠો નેવું પૃષ્ઠો કરતાં વધારે નુકસાન કરે છે અને એવાં પુસ્તકથી લાભના સંભવ જ રહેતા નથી. ગમે તે પ્રકારે પ્રેસમાં પુસ્તક માકલી આપનાર અવ્યવસ્થિત વિચારના લેખકે ને અને તેવાં પુસ્તક વાંચનારને કદાચ આ વાત પસંદ ન આવે એ બનવાજોગ છે, પરંતુ અનતી રીતે શાસ્ત્રગ્રંથાનુ યોગ્ય દહન થવું જોઇએ એ સંબંધમાં તે કોઈના દે મત પડે એમ સભવ લાગતા નથી. આવી રીતે તૈયાર કરેલ વિવેચન છપાવી જાહેર પ્રજાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy