________________
૧૬૯
સાતમું પદ લેવા જેવું છે. ગમે તેટલે પરિશ્રમ કર્યા છતાં પણ એ કદિ તારું પિતાનું થવાનું નથી, અંતે તે ધસી પડવાનું છે એમ તું વિવેકનેત્રને ઊઘાડીને જો.
આ પ્રમાણે સ્થિતિ છે માટે તું બીજી નકામી હીલચાલ છોડી દઈને તારા અંતરાત્મામાં શું છે તેની ખબર લે, તેની તપાસ કર, તેને માટે શેઘ ખોળ ચલાવ. તું હવે સમયે તે ખરે કે આ શરીરઘર પાયા વગરનું છે તો પછી તેમાંથી તું શું સાર કાઢવાને છે? તારા હૃદયમાં શું છે તે પર વિચાર ચલાવ. હાલ તે તું પાણીમાં માછલાના પગની નિશાની શોધે છે, જે વસ્તુ પાણીમાં કદિ રહી શકતી નથી તેની શોધ પાછળ મંડ્યો છે એ તારી મૂર્ખતા છે. તું જાણે છે કે શરીરમાં સુખ નથી, શરીરના પાલનવડે સુખ નથી, શરીરનું સુખ નથી, છતાં તેને માટે તેનાથી જ તેમાં સુખ મેળવવા ઇરછે છે એ તારી નકામી હીલચાલ મૂકી દઈ તારા અંતરાત્મ ભાવની ખબર લે. અત્યાર સુધીની તારી હીલચાલ છે તે સર્વ બહિરાત્મ ભાવ છે, તે સર્વે તજી દે. વળી તારા શરીરમઠમાં શું છે તે તારા ધ્યાનમાં ન આવ્યું હોય તે તેનું બરાબર સ્વરૂપ બતાવવામાં આવે છે તું તે સાંભળ.
मठमें पंच भृतका वासा, सासा धूत खवीसा; छिन छिन तोही छलनकुं चाहे, समजे न बौरा सीमा. अवधू० २
(શરીરરૂપ) મઠમાં પાંચ ભૂતને વાસે છે અને શ્વાસોશ્વાસરૂપ ધર્ત ખવાસ પણ ત્યાં છે જે પ્રત્યેક ક્ષણે આ જીવને છળવાને ચાહે છે, તે પણ આ અજ્ઞાની ગાંડે શીખાઉ (તે) સમજતા નથી.
અથવા ધર્ત શબ્દનો અર્થ “કંપ-ધુમતે ” એ પણ કરી શકાય. આ અર્થ વિષયને અનુરૂપ છે.
ભાવ-જે શરીરઘરનું તું લાલનપાલન કરે છે તે ઘરમાં તે ભૂત અને ખવીસ રહેલાં છે. દુનિયાને સર્વમાન્ય નિયમ છે કે જે ઘરમાં ભૂતને વાસ થયે હોય ત્યાં જે કોઈ રહે તે તેને સુખ ઉપજતું નથી, શારીરિક અને માનસિક અનેક પ્રકારની ઉપાધિઓ નિરંતર થયા કરે છે. દુનિયાને ભૂતથી મનાયલે ત્રાસ ઉપયોગમાં લેતાં તેમ જ શરીરમાં પૃથ્વી વિગેરે ભૂતે પણ એક શબ્દવાચક હોવાથી તે પર શ્લેષ કરી સમજાવતાં આ જીવને કહે છે કે-તારા શરીરમાં તે પાંચ ભૂતને વાસ છે અને શ્વાસોશ્વાસરૂપ ખવીસ આવીને વસેલે છે. આ શરીર પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે, મતલબ તેમાં
૨. વાસા =ઘર, રહેઠાણ. સાસા=શ્વાસે શ્વાસરૂપ. ધૂત=ધુતારે અથવા કંપતે, ઘુમતા. ખવીસા=ખવીસ, માથા વગરને ભૂત. છિનછન=પ્રત્યેક ક્ષણે. તેહીeતે. બૌરાષબાવરે, ગાંડે. સીસા=અભણ, શીખાઉ,
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org