SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું પદ્મ ૧૯૭ જે પ્રાણી શરીર ઉપર આત્મબુદ્ધિ ધારણ કરે છે, એના સુખમાં, આનંદમાં, મેાજમાં રસ લે છે, એને સર્વસ્વ સમજે છે, એના ઉપર માયા મમતા કરી એમાં બંધાઇ જાય છે તે બહિરાત્મા જાણવા. કાયાક્રિક ઉપર મમત્વ ન રાખતાં તેના સાક્ષી તરીકે રહે તે અંતરાત્મા સમજવા અને સર્વ ઉપાધિના ત્યાગથી જ્ઞાનાનંદમાં રમણ કરે અને અહીંદ્રિય ગુણનું સ્થાનક થઈ જાય તે પરમાત્મા સમજવા. આ અહિરાત્મા અને પરમાત્માના સંબધમાં આ ગ્રંથમાં દે દે પ્રસંગે બહુ ઉલ્લેખ હાવાથી એનું સ્વરૂપ અગાઉ વિચાયું" છે તે ઉપરાંત અત્ર કાંઇ જરા વિસ્તારથી વિચારીએ. આત્મસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થયા વગર સ્વપર વિવેચન થતુ નથી તેથી તેના સ્વરૂપને બેધ અવશ્ય કરવા ચેાગ્ય છે. શરીર વિગેરે પરવસ્તુમાં આત્માના ભ્રમ થવાથી માહિનિદ્રામાં જેની ચેતના અસ્ત થઈ ગઈ છે એવા આત્માને અહિરાત્મા કહેવામાં આવે છે. અહિર્ભાવના ત્યાગ કરી આત્મામાં જ આત્માના નિશ્ચય કરવા અને તેને તથાસ્વરૂપે એળખવા એ અંતરાત્મા છે અને જે આત્મા તદ્દન નિલેપ, નિષ્કલ ( શરીર રહિત ), શુદ્ધ, નિષ્પન્ન, નિવૃત્ત અને નિર્વિકલ્પ હોય તેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. અંતરાત્મા અને અહિરાત્મામાં ભેદ એટલે જ છે કે બહિરાત્મા જ્યારે ચૈતન્યસ્વરૂપ આત્માને દેહાર્દિ પદા–પર વસ્તુઓ સાથે જોડે છે ત્યારે અંતરાત્મા તેને સવ બાહ્ય પર વસ્તુઓથી પૃથક્ કરે છે; મતલબ ઇંદ્રિય દ્વારા આત્માને જે માની લીધેલુ સુખ મળે છે તરૂપ વ્યાપર કરનાર શરીરને અહિરાત્મા આત્મભાવે જુએ છે. મનુષ્યપર્યાયરૂપે થયેલા આત્માને તે મનુષ્ય માને છે, દેવસ્વરૂપ આત્માને દેવ માને છે, તિર્યંચગતિ પ્રાપ્ત કરેલ આત્માને તિર્યંચ માને છે અને આવી રીતે ભ્રમમાં પડી જઇ આત્માનું શુદ્ધ સ્વરૂપ શુ છે તેની શુદ્ધ દશા કઈ છે અને વર્તમાન દશાનુ કારણ શું છે તે તે સમજતા નથી. જેવી રીતે પેાતાના આત્માના સંબંધમાં તે ભૂલ કરે છે તેવી જ રીતે અન્યના આત્માના સંબંધમાં પણ તે તેવી જ ભૂલ કરે છે. છેવટે અજ્ઞાનવરથી પીડિત થઇ હિરાત્મ ભાવમાં વતા જીવ પેાતાથી અત્યંત ભિન્ન પુત્ર, સ્ત્રી, પશુ અને છેવટે ધનમાં પણ આત્મત્વ જુએ છે. આ હિરાત્મ ભાવમાં વર્તતે જીવ પાતાની સ` સૌંપત્તિ, વિભૂતિ અને અલંકારને નાશ કરતા સંસારગત માં ઉતરતા જાય છે. આ હિરાત્મ ભાવ છેડી દઈને અંતરાત્મ ભાવ જેમાં આત્મસ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન-સ્વપર વિવેચન થાય છે તે પ્રાપ્ત કરીને પરમાત્મ ભાવ પ્રાપ્ત કરવાના આ પદોમાં વારવાર ઉપદેશ દી જૂદી રીતે આવશે તે બહુ સમજવા ચેાગ્ય છે. ખાસ કરીને દ્રિયા દ્વારા આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થઈ આ જીવ પરભાવમાં રમણ કરી રહ્યો છે તેને આત્મવિચારણા કરાવી સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને યોગસ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ વિષય બહુ ઉપયોગી થઈ પડે છે. સ્વરૂપવિચારણા કરતાં એને જે સ્થિતિ સમજાય છે તે પર વિવેચન કરવું અનાવશ્યક છે, કારણ કે લગભગ સર્વ પદોના તે જ વિષય છે. આ પદની વિચારણા કરવી એ બહિરાત્મ ભાવ તજી અંતરાત્મ વૃત્તિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy