SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદ જે છૂટે તે આ સ્થાનમાં એક જ જગ્યા પર નિરંતર રહે છે. આશાના વિષય ઉપર અડ્ડાવિશમા પદને પ્રસંગે વિસ્તારથી વિવેચન કરવાનું છે, તેથી અત્ર મૂળ પદની વસ્તુ ઉપર હવે આવી જઈએ. આત્મા પરમાત્મદશાના માર્ગને અનુસરે તે સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય એ સંબંધી આગલા પદમાં જે વિવેચન કર્યું તેના પર એક સામાન્ય સત્ય અહીં બતાવ્યું કે પરમાત્મદશા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે આશાપાશને છોડી દે. એટલે સામાન્ય બંધ કરીને હવે આ જીવને જાગ્રત થવાને ઉપદેશ કરે છે. એમ કરવાનું કારણ તેને જાગ્રત કરીને પરમાભદશાના માર્ગ તરફ પ્રયાણ કરાવવાનું અને નિરંજન નાથની મૂર્તિ પ્રાપ્ત કરવાનું છે. રાગ આશાવરી. अवधू क्या सोवे तन मठमें, जाग विलोकन घटमें, अवधू० तन मठकी परतीत न कीजें, ढहि परे एक पलमें; हलचल मेटि खबर ले घटकी, चिह्न रमतां जलमें. अवधू० १ “હે અખંડ સ્વરૂપ સનાતન ચેતન ! તું તારા શરીરરૂપ મઠમાં શું સૂઈ રહ્યો છે? જાગ્રત થા અને તારા હૃદયમાં જે. તારા શરીરરૂપ મઠને ભારે કરીશ નહિ, એ તે એક ક્ષણમાં ધસી પડે (તે છે), માટે તું સર્વ હિલચાલ છેડી દઈને તારા હૃદયની ખબર લે, પાણીમાં (માછલાના પગની) નિશાની શું શોધે છે ?” અવધુ=અખંડ સ્વરૂપ સનાતન ચેતન. વાપવીતિ અવધૂત: એના વિશેષ અર્થ માટે પાંચમા પદની પહેલી ગાથાને અર્થ જુઓ. ભાવ–હે ચેતન! શુદ્ધ સ્વરૂપવાન ! અખંડ નિલેપ નિરંજન ! તું તારા શરીરરૂપ મઠમાં-ઘરમાં શું ઊંધી રહ્યા છે? તું જરા ઊઠ, જાગ્રત થા અને તારા હૃદયની અંદર શું છે તે જે. શરીરરૂપ ઘરમાં આ જીવ એટલે બધો આસક્ત થયું છે કે તે અંદર નજર કરી શક્યું નથી, માત્ર શરીર ઉપર જ પ્રેમ રાખ્યા કરે છે. આ હકીકત બરાબર સમજવા માટે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજવું જરૂરનું છે. આનંદઘનજી મહારાજ શ્રી સુમતિનાથજીના સ્તવનમાં કહે છે કે– આતમ બુદ્દે હે કાયાદિક ચહ્યો, બહિરાતમ અઘરૂપ. સુગ્યાની, કાયાદિકને હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ. સુગ્યાની. જ્ઞાનાનંદે હે પૂરણ પાવન, વરાજિત સકળ ઉપાધિ. સુગ્યાની. અતીન્દ્રિય ગુણ ગણુ મણિ આગ, ઈમ પરમાતમ સાધ. સુગ્યાની. સુમતિ ચરણ કજ આતમ અરપણુ. ૧ વિલોકન =જે. ઘટમેં હૃદયમાં. પરતીત=ભરોસે. હહિધસી પડે. હલચલ= હીલચાલ. મેટિમેટાડીને. ઘટકી=અંતરાત્માની. ચિહે=નિશાની. રમતાં=શોધતાં. * “જાગ” ને બદલે ‘જાગિ” શબ્દ છે અને “હિ” ને બદલે “હે' શબ્દ કવચિત દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy